બે દિવસમાં બે શ્રીલંકન બોલર્સ T20 સિરીઝમાંથી થયા બહાર

26 July, 2024 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલશાન મદુશંકા અને અસિથા ફર્નાન્ડોની થઈ એન્ટ્રી

દિલશાન મદુશંકા (ડાબે) અને અસિથા ફર્નાન્ડો (જમણે).

ભારત સામેની T20 સિરીઝ પહેલાં શ્રીલંકન ટીમના બે બેસ્ટ T20 બોલર્સ ખરાબ ફિટનેસને કારણે સ્ક્વૉડમાંથી બહાર થઈ ગયા છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે દુષ્મન્થા ચમીરાને સ્થાને અસિથા ફર્નાન્ડોને ટીમમાં સ્થાન મળ્યું છે. ફાસ્ટ બોલર નુવાન તુષારા પ્રૅક્ટિસ દરમ્યાન હાથની ઈજાને કારણે બહાર થયો છે, તેને સ્થાને દિલશાન મદુશંકાને સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. દુષ્મન્થા ચમીરા (૫૫ મૅચ) અને નુવાન તુષારા (૧૧ મૅચ) ટીમના અનુભવી T20 બોલર્સ હતા. યુવા બોલર્સ અસિથા ફર્નાન્ડો (૩ મૅચ) અને દિલશાન મદુશંકા (૧૪ મૅચ) ભારત સામે કેટલો પ્રભાવ પાડી શકશે એ સમય જ બતાવશે.  

sports news sports cricket news sri lanka t20 indian cricket team