25 September, 2021 09:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઉસ્માન ખ્વાજા
પાકિસ્તાન મૂળનો ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજા ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડની પાકિસ્તાનની ટૂર રદ થતાં નારાજ છે અને કહે છે પૈસાના પાવરને લીધે કોઈ ભારતની ટૂર કૅન્સલ નથી કરતું. ખ્વાજાનો જન્મ પાકિસ્તાનનાં થયો હતો પણ એ પાંચ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર સિડની શિફ્ટ થયો હતો. ખ્વાજાએ કહ્યું કે મને લાગે છે કે ખેલાડીઓને અને સંસ્થાઓને પાકિસ્તાનને ના પાડવી આસાન છે, કેમ કે એ પાકિસ્તાન છે. એવું બંગલા દેશ સાથે પણ થઈ રહ્યું છે. પણ જો આવી જ સ્થિતિ નિર્માણ થાય તો ભારતને કોઈ ક્યારેય ના પાડવાની હિંમત નથી કરતું. પૈસો બોલે છે. આપણે બધા આ જાણીએ છીએ. પાકિસ્તાન વારંવાર સાબિત કરી રહ્યું છે કે ત્યાં બધું સલામત છે, પણ કોઈ સાંભળતું નથી.’ ખ્વાજાએ છેલ્લે કહ્યું જો ઑસ્ટ્રેલિયન ટીમ આવતા વર્ષે શેડ્યુલ પ્રમાણે પાકિસ્તાનની ટૂર કરશે તો એ એમાં હોંશેહોંશે સામેલ થશે.