આ વર્લ્ડ કપ એ દરેક ક્ષણનો આનંદ માણવા અને વધુ પ્રેશર ન લેવા વિશે છે : ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર

27 September, 2025 10:46 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઘરઆંગણે વર્લ્ડ કપ રમવાના પ્રેશર વિશે વાત કરતાં ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું, `૧૨ વર્ષ પછી ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે અને મને લાગે છે કે એ આપણા બધા માટે ખૂબ જ સારો રહેશે`

આઠેય ટીમની કૅપ્ટન્સે ટ્રોફી-ફોટોશૂટ અને પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી હતી

વિમેન્સ વન-ડે વર્લ્ડ કપના પ્રારંભ પહેલાં ગઈ કાલે બૅન્ગલોરમાં યજમાન ભારત અને બંગલાદેશ સહિત આઠેય ટીમની કૅપ્ટન્સે ટ્રોફી-ફોટોશૂટ અને પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી હતી.

ઘરઆંગણે વર્લ્ડ કપ રમવાના પ્રેશર વિશે વાત કરતાં ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે આ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘જ્યારે મેં રમવાનું શરૂ કર્યું હતું ત્યારે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મને મારા દેશની કૅપ્ટન્સી કરવાની તક મળશે, એ ફક્ત એક સ્વપ્ન હતું. ૧૨ વર્ષ પછી ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે અને મને લાગે છે કે એ આપણા બધા માટે ખૂબ જ સારો રહેશે. આ વર્લ્ડ કપ એ દરેક ક્ષણનો આનંદ માણવા અને વધુપડતું પ્રેશર ન લેવા વિશે છે. અમે ડ્રેસિંગ રૂમમાં પણ આ બાબતોની ચર્ચા કરતા નથી. અમે અહીં ફક્ત ક્રિકેટ રમવા માટે છીએ અને અમારું ધ્યાન ફક્ત ક્રિકેટ પર છે.’

womens world cup international cricket council cricket news sports sports news india australia bangladesh england new zealand pakistan south africa sri lanka