ભારત-પાકિસ્તાનની મૅચમાં ‘સૂર્યવંશી’

23 October, 2021 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં આ ફિલ્મના પ્રમોશન માટે રણવીર સિંહના શો ‘ધ બિગ પિક્ચર’માં કૅટરિના કૈફ અને રોહિત શેટ્ટીએ ભાગ લીધો હતો. જોકે અક્ષયકુમારના  ફૅન્સની ઇચ્છા છે કે તે પણ આ ફિલ્મને પ્રમોટ કરે.

ભારત-પાકિસ્તાનની મૅચમાં ‘સૂર્યવંશી’

વર્લ્ડ કપ ટી૨૦ની ભારત-પાકિસ્તાનની મૅચ દરમ્યાન ‘સૂર્યવંશી’ને પ્રમોટ કરવા અક્ષયકુમાર, કૅટરિના કૈફ અને રોહિત શેટ્ટી પહોંચી જવાનાં છે. તાજેતરમાં આ ફિલ્મના પ્રમોશન માટે રણવીર સિંહના શો ‘ધ બિગ પિક્ચર’માં કૅટરિના કૈફ અને રોહિત શેટ્ટીએ ભાગ લીધો હતો. જોકે અક્ષયકુમારના  ફૅન્સની ઇચ્છા છે કે તે પણ આ ફિલ્મને પ્રમોટ કરે. હાલમાં અક્ષયકુમારે ઊટીમાં ‘રામસેતુ’નું શૂટિંગ પૂરું કર્યું છે. તે મુંબઈ આવીને તરત જ આ ફિલ્મના પ્રમોશનમાં સક્રિય બની જવાનો છે. ૨૪ ઑક્ટોબરે વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મૅચ દરમ્યાન એક ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટમાં અક્ષયકુમાર, કૅટરિના કૈફ અને રોહિત શેટ્ટી ફિલ્મને પ્રમોટ કરશે. મૅચની શરૂઆત થાય એ પહેલાં જ આ ત્રણેય જણ લોકોને ભરપૂર મનોરંજન કરાવશે. આખો દેશ આ અગત્યની ક્રિકેટ મૅચ જોશે એથી ફિલ્મને પ્રમોટ કરવા માટે આનાથી સારું પ્લૅટફૉર્મ બીજું કોઈ ન હોઈ શકે. જોકે તેઓ ગ્રાઉન્ડ પર નહીં, સ્ટુડિયોમાં ફિલ્મને પ્રમોટ કરશે.

bollywood news bollywood bollywood gossips entertainment news akshay kumar katrina kaif