04 March, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે
‘ધુરંધર’ની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવા માટે તૈયાર છે. હવે ફિલ્મની રિલીઝ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ફિલ્મ વિશે બીજા ખુલાસા થઈ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ‘ધુરંધર : ધ રિવેન્જ’ માત્ર ઍક્શન માટે જ નહીં પરંતુ એના વિશાળ રનટાઇમ માટે પણ ચર્ચામાં છે. અહેવાલ મુજબ ફિલ્મનો સમયગાળો આશરે ૨૩૫ મિનિટ એટલે કે લગભગ ૩ કલાક ૫૫ મિનિટનો હોઈ શકે છે. આ પહેલી ફિલ્મ કરતાં પણ વધારે છે. ફિલ્મનો આ રનટાઇમ દર્શાવે છે કે આ વખતે આદિત્ય ધરે વાર્તાને વધુ વિગત અને ઊંડાણથી રજૂ કરી છે. તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મના ટીઝરને મંજૂરી આપી છે. ફિલ્મમાં દર્શાવેલી હિંસાને ધ્યાનમાં રાખીને એને ‘A’ (માત્ર વયસ્કો માટે) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.