25 April, 2021 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોવિડના દરદીઓ માટે પ્લાઝમા ડોનેટ કર્યા ગુરમીત અને દેબિનાએ
ગુરમીત ચૌધરી અને દેબિના બૉનરજીએ કોવિડના પેશન્ટ માટે પ્લાઝમા ડોનેટ કર્યા છે. કોરોના પૉઝિટિવ માટે પ્લાઝમા એક વરદાનરૂપ સાબિત થઈ શકે છે. કોરોનાને માત આપનાર દરદીઓના પ્લાઝમાથી કોરોના પૉઝિટિવ પેશન્ટ સ્વસ્થ થાય છે. કોરોનાથી સ્વસ્થ થયેલા દરદીઓએ ૨૮ દિવસની અંદર પ્લાઝમા ડોનેટ કરવાના હોય છે એથી ગુરમીત અને દેબિનાએ પ્લાઝમા ડોનેટ કર્યા છે. એનો ફોટો દેબિનાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો છે. તેમણે સમાજના અન્ય લોકોને પણ પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રેરિત કર્યા છે. ગુરમીતે લોકોની મદદ કરવા માટે પણ હાથ લંબાવ્યા છે.