28 September, 2021 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિહાઇન્ડ ધ સીન્સ
મહારાષ્ટ્રની સરકારે થિયેટર્સ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેતાં તેમનો આભાર માનતાં અક્ષયકુમારે ‘સૂર્યવંશી’નો ફોટો શૅર કર્યો હતો. જોકે આ ફોટો આઇપીએસ ઑફિસર ડીજીપી આર. કે. વિજને પસંદ ન આવ્યો. ટ્વિટર પર આર. કે. વિજે ટ્વીટ કર્યું હતું કે ‘ઇન્સ્પેક્ટર સાહબ બૈઠે હૈં તનકર ઔર એસ. પી. સાહબ ખડે હૈં. ઐસે નહીં હોતા હૈ જનાબ.’
તેમને રિપ્લાય આપતાં ટ્વિટર પર અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘જનાબ આ તો બિહાઇન્ડ ધ સીન્સનો ફોટો છે. અમે કલાકારો માટે તો જેવો કૅમેરા ઑન થાય કે એકદમ પ્રોટોકૉલમાં પાછા આવી જઈએ છીએ. અમારા મહાન પોલીસ દળના અમે હંમેશાંથી આભારી રહીશું. આશા છે કે તમે જ્યારે આ ફિલ્મ જોશો તો તમને પણ ગમશે.’