03 June, 2025 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ. એસ. રાજામૌલી
આજે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાનારી IPLની ફાઇનલ વિશે ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીએ સોશ્યલ મીડિયા પર કહ્યું છે કે ફાઇનલમાં ગમે તે જીતે પણ એ જીત દિલ તોડી નાખનારી હશે.
એસ. એસ. રાજામૌલીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક ટ્વીટ કર્યું છે. આમાં તેણે વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની IPL ટીમની જર્સીવાળી તસવીર શૅર કરી છે અને લખ્યું છે કે ‘ઐયર તો બુમરાહ અને બોલ્ટના યૉર્કરોને થર્ડ મૅન બાઉન્ડરી તરફ દોરી રહ્યો છે... શાનદાર... આ માણસ દિલ્હીને ફાઇનલમાં લઈ ગયો અને ડ્રૉપ થયો... કલકત્તાને ટ્રોફી જિતાડી અને ડ્રૉપ થયો... હવે ૧૧ વર્ષ બાદ યંગ પંજાબને લીડ કરીને ફાઇનલમાં પહોંચાડે છે. તે આ વર્ષની ટ્રોફીનો પણ હકદાર છે. બીજી તરફ વિરાટ કોહલી છે, જે વર્ષો દરમ્યાન શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, હજારો રન બનાવી રહ્યો છે, તે પણ આ જીતનો હકદાર છે. પરિણામ ગમે તે હોય, એ દિલ તોડી નાખનારું હશે.’