21 September, 2024 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મકરંદ દેશપાંડે, અર્શદ વારસી
‘મુન્નાભાઈ MBBS’માં ચમકેલી સંજય દત્ત અને અર્શદ વારસીની જોડી દંતકથારૂપ બની ગઈ, પણ તેઓ બન્ને મુન્નાભાઈ અને સર્કિટના રોલ માટે ફર્સ્ટ ચૉઇસ નહોતા. મુન્નાભાઈનો રોલ મૂળ પ્લાન મુજબ તો શાહરુખ ખાન ભજવવાનો હતો અને તેની સાથે ફિલ્મમાં મકરંદ દેશપાંડે ચમકવાનો હતો. શરૂઆતમાં ફિલ્મ જ્યારે લખાઈ ત્યારે એમાં મકરંદના પાત્રનું નામ ખુજલી હતું. પછી જોકે શાહરુખની જગ્યાએ સંજય દત્ત આવી ગયો અને તેના જોડીદાર તરીકે અર્શદ વારસીની વરણી થઈ. ત્યાર બાદ અર્શદના સૂચનને પગલે તેના પાત્રનું નામ ખુજલીને બદલે સર્કિટ કરવામાં આવ્યું.