20 January, 2022 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિષ્ણુ વિશાલ
સાઉથનો ઍક્ટર વિષ્ણુ વિશાલ કોવિડમાંથી બહાર આવી ગયો છે. તેને ઓમાઇક્રોન થયો હતો. જોકે હજી સુધી તેને થાક લાગે છે. તેની ‘FIR’ અને ‘મોહનદાસ’ને જોવા માટે લોકો આતુર છે. પોતે કોરોનામુક્ત થયો હોવાની માહિતી ઇન્સ્ટાસ્ટોરી પર આપતાં વિષ્ણુ વિશાલે લખ્યું હતું, ‘ફાઇનલી હું કોવિડમાંથી બહાર આવી ગયો છું. મને ઓમાઇક્રોન થયો હતો (જેની ટેસ્ટ કરી હતી). એ જરાય હળવો નહોતો. ૧૦ દિવસ ખૂબ જ પીડાદાયક હતા. હજી સુધી થાક જેવો અનુભવ થાય છે. આશા છે કે જલદી જ ટ્રેક પર પાછો આવી જઈશ. સૌએ આપેલા પ્રેમ માટે આભાર. દરેક સાથે મારા આગામી કામની માહિતી શૅર કરવા માટે આતુર છું.’