અભિનેત્રી શીતલ પંડ્યાને થયો કોરોના, પણ આજની મેચ માટે હાઈ જોશ

24 October, 2021 10:53 PM IST  |  Mumbai | Karan Negandhi

શીતલે પોતે સોશિયલ દ્વારા ચાહકોને તેમની આ પરિસ્થિતિની જાણ કરી હતી.

શીતલ પંડ્યા

અભિનેત્રી અને ડાન્સર શીતલ પંડ્યાને કોરોના થયો હોવાની માહિતી સામે આવી છે. શીતલે પોતે સોશિયલ દ્વારા ચાહકોને તેમની આ પરિસ્થિતિની જાણ કરી હતી. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરીમાં #COVIDPOSITIVE સાથે લખ્યું કે “મેં સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે. હા હું આઇસોલેટ થઈ રહી છું. કોવિડ હજી પૂરો થયો નથી.”

આ સંદર્ભે વાત કરતા શીતલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “હું હાલ યુકેમાં છું અને મેં અહીં ઘણા શૉમાં પરફોર્મ કર્યું છે. મને કેવી રીતે ચેપ લાગ્યો તે હું જાણતી નથી. મારા પતિ ડૉક્ટર છે, તેથી ઘરે અમારી પાસે ટેસ્ટ કીટ છે. લગભગ ચાર દિવસ અગાઉ મારો સ્વાદ અને સુગંધ જતાં મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો.”

જોકે, તેણીએ કહ્યું હતું કે તેની તબિયત સારી છે અને તેને કોરોનાના માત્ર હળવા લક્ષણો છે. આ આઇસોલેશનના સમયમાં શું કરવા માંગો છો? તેના જવાબમાં શીતલે કહ્યું કે “હું આજની ભારત-પાકિસ્તાનની મેચ માટે ખૂબ જ ઉત્સાહિત છું અને તે ચોક્કસપણે જોવા માંગુ છું. આ સમય પસાર કરવા માટે હું ઘણી ફિલ્મો અને સિરીઝ જોઈશ અને પૂરતો આરામ કરીશ.”

ઉલ્લેખનીય છે કે શીતલે ઉમેર્યું હતું કે “હું જલદી રિકવર થઈ જવા ઈચ્છું છું અને ફરી એ જ જોશ સાથે કામ શરૂ કરવા માંગુ છું.”

entertainment news dhollywood news coronavirus