28 April, 2025 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છગન ભુજબળ
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરીષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન છગન ભુજબળે ગઈ કાલે કહ્યું હતું કે ‘પહલગામમાં કરવામાં આવેલા હુમલાનો મુખ્ય ધ્યેય કોમી રમખાણો કરાવવાનું જ છે. આપણે આતંકવાદીઓની ફેલાયેલી આ જાળમાં ન ફસાતાં એકતા રાખવી જોઈએ. હિન્દુ-મુસ્લિમનો પ્રચાર બંધ કરવો જોઈએ. આતંકવાદનો સામનો કરવા માટે આપણે એક થવું પડશે. કાશ્મીર સહિત દેશન મુસ્લિમોએ આ હુમલાની નિંદા કરી છે અને પહલગામમાં મુસ્લિમને પણ ગોળી વાગી જ છે.’
BJPના નેતા અને મહારાષ્ટ્રના પોર્ટ્સ મિનિસ્ટર નીતેશ રાણેએ અગાઉ નિવેદન આપ્યું હતું કે હિન્દુઓએ દુકાનદારને તેનો ધર્મ પૂછીને ખરીદી કરવી જોઈએ. આ નિવેદનના અનુસંધાનમાં છગન ભુજબળે રવિવારે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.