મુંબઈ-ગોવા હાઇવેનો ટ્રાફિક હળવો કરવા હવે નવો પ્લાન

16 June, 2025 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાર વૈકલ્પિક માર્ગોને વિકસાવવાની જાહેરાત, ૧૫ કરોડ રૂપિયાની ફાળવણી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-ગોવા હાઇવે પર ટ્રૅફિકને હળવો કરવા માટે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુંબઈ-ગોવા હાઇવેના વૈકલ્પિક ચાર માર્ગોને ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે એવી જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કરી છે.

આ ચાર માર્ગોમાં માણગાવ પંચાયત અંતર્ગત આવતા ત્રણ માર્ગ (મોરબા રોડથી મુંબઈ-ગોવા હાઇવે, સાંઈનગર કનૅલ બ્રિજથી ઉત્તેખોલ કનૅલ ગામ રોડ, નિઝામપુર કનૅલ રોડથી ભાદાવ રોડ) તેમ જ ઇન્દાપુર કનૅલ રોડથી વિગવળી ફાટા રોડ સુધીના માર્ગનો સમાવેશ થાય છે.

અજિત પવારે જણાવ્યું હતું કે ‘૧૭ વર્ષથી મુંબઈ-ગોવા હાઇવેનું કામ રખડી પડ્યું છે. હવે આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવશે. ઇન્દાપુર અને માણગાવ બાયપાસ રોડનું કામ પૂરું થતાં જ આ માર્ગ પર બૉટલ નેક (બે રસ્તા મળીને સાંકડો રસ્તો બની જાય એ)ની સમસ્યા દૂર થઈ જશે. પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાઓને પહોળા કરવાની સાથે જ એને સુધારવામાં પણ આવશે. આ પ્રોજેક્ટ માટે નૅશનલ હાઇવે બજેટમાંથી નહીં પણ રાજ્ય સરકાર ભંડોળ પૂરું પાડશે.’

રસ્તો ગયો ખાડામાં

દાદર ટી.ટી.ના બ્રિજ પર મોટો ખાડો પડી ગયો છે. તસવીર ; આશિષ રાજે

mumbai-goa highway highway national highway mumbai traffic news mumbai mumbai news maharashtra maharashtra news