30 April, 2025 05:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાલે મુંબઈ પહોંચવાના છે. આ દરમિયાન બીકેસીમાં WAVES કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. બીકેસી સ્થિત જિયો વર્લ્ડ સેન્ટરમાં વિશ્વ ઑડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈન્મેન્ટ સમિટ (WAVES) કાર્યક્રમ 1મેથી 4 મે સુધી આયોજિત કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આવતી કાલે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી કાલે આખો દિવસ મુંબઈમાં જ રહેશે. સવારે સાડા 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પીએમ મોદી મુંબઇમાં હાજર રહેશે. આ દરમિયાન તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર પણ આ સમિટમાં હાજર રહેશે.
પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને બેઠક
જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન વધતું જઈ રહ્યું છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી સીસીએસની મીટિંગ આજે ફરી બોલાવવામાં આવી છે. આ મીટિંગમાં ભાગ લેવા માટે ગૃહ મંત્રી અમિત શાહ લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચી ગયા છે. આ સિવાય રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાન આવાસે પહોંચી ગયા છે. જણાવવાનું કે આજે દિલ્હીમાં એક પછી એક કુલ 4 બેઠકો થવાની છે.
ભારત શહીદીને ભૂલશે નહીં: રાજીવ રંજન પ્રસાદ
જેડીયુ નેતા રાજીવ રંજને પટનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi) સંરક્ષણ મંત્રી, એનએસએ, સીડીએસ અને ત્રણેય સેના પ્રમુખો સાથેની મુલાકાત પર કહ્યું, `ભારત નિર્દોષ લોકોની શહાદત ભૂલી શકે નહીં.` મોટા રાજદ્વારી નિર્ણયો લીધા પછી, સમગ્ર વિશ્વએ એકતા દર્શાવી. ફરીથી, પ્રધાનમંત્રીની સંરક્ષણ મંત્રી, NSA, CDS અને ત્રણેય સેના પ્રમુખો સાથેની બેઠકમાં આવો નિર્ણય લેવો એ નિઃશંકપણે પાકિસ્તાન માટે ખરાબ દિવસોની શરૂઆત છે. તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. ત્યારથી, પીએમ નરેન્દ્ર મોદી અને સુરક્ષા દળો એક્શન મોડમાં છે.
WAVES શું છે?
WAVES (World Audio Visual Entertainment Summit) એ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મીડિયા અને મનોરંજન ઉદ્યોગ માટે આયોજિત એક વૈશ્વિક સમિટ છે. આ સમિટનો ઉદ્દેશ્ય ઉદ્યોગના નેતાઓ, હિસ્સેદારો અને નવીનતાઓને એક પ્લેટફોર્મ પર એકસાથે લાવવાનો છે જેથી પડકારોનો સામનો કરી શકાય અને વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપી શકાય, જે આ ક્ષેત્રના ભવિષ્યને અસર કરશે.
પાત્રતા માપદંડ
- ભારત અને વિશ્વભરના બધા સર્જનાત્મક વ્યાવસાયિકો આ સ્પર્ધા માટે અરજી કરવા માટે ખુલ્લા છે.
- સહભાગીઓ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ.
-સહભાગીઓ બહુવિધ એન્ટ્રીઓ સબમિટ કરી શકે છે.