05 June, 2025 07:49 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
૧૦ દિવસ પહેલાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ભગવાન શ્રી રામલલા અને હનુમાનદાદાના આશીર્વાદ લીધા હતા
વિરાટ કોહલીની ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટ્રોફી જીતી લીધા બાદ અયોધ્યામાં હનુમાનગઢીના ઉત્તરાધિકારી મહંત જ્ઞાનદાસજી મહારાજ અને મહંત સંજયદાસ મહારાજનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘૧૦ દિવસ પહેલાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ભગવાન શ્રી રામલલા અને હનુમાનગઢીના આશીર્વાદ લીધા હતા અને એ જ દિવસે નક્કી થયું હતું કે વિરાટ કોહલી આ ટ્રોફી જીતશે. જેના દરેક કણમાં શ્રીરામ-હનુમાનજી રહે છે તેમની હોડી ચોક્કસપણે કિનારે પહોંચે છે અને હનુમાનજીએ તેમને કિનારે પહોંચવામાં મદદ કરી છે.’
આ મુદ્દે બેઉ સંતોએ કહ્યું હતું કે ‘વિરાટ અને અનુષ્કાએ હનુમાનગઢીના આશીર્વાદ લીધા હતા. હનુમાનજીએ કોહલીને આશીર્વાદ આપ્યા એટલે પહેલી વાર તેને ટ્રોફી મળી છે. વિરાટ અને અનુષ્કા બેઉ આધ્યાત્મિક છે અને બેઉ ભગવાન રામ અને હનુમાનનાં ચરણોમાં આવ્યાં હતાં. તેઓ હનુમાનગઢી અને શ્રીરામનો ઇતિહાસ જાણવા પણ ઉત્સુક હતાં. દર્શન સમયે મૅચ વિશે બોલતાં વિરાટે કહ્યું હતું કે જો તે જીતી જશે તો ફરીથી દર્શન કરવા આવશે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ ફરીથી દર્શન માટે અહીં આવે.’