છ વર્ષ પછી લિપુલેખ પાસ પરથી ભારત-ચીન વચ્ચે ટ્રેડ શરૂ થશે

21 March, 2026 09:41 AM IST  |  Pithoragarh | Gujarati Mid-day Correspondent

૨૦૧૯માં ગલવાન ઘાટીના સંઘર્ષ પછી આ ઘાટી બંધ કરી દેવામાં આવી હતી : જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન ટ્રેડ માટે આ માર્ગ ખૂલશે

ફાઇલ તસવીર

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલા લિપુલેખ પાસના માધ્યમથી ભારત અને ચીન વચ્ચે બૉર્ડર પર ટ્રેડ ફરી શરૂ થવા જઈ રહ્યો છે. લગભગ ૬ વર્ષના બ્રેક પછી આ પાસ બે દેશો વચ્ચેના ટ્રેડ માટે ખોલવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ આશિષ ભટગાઈએ કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના નિર્દેશો પછી આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિદેશ મંત્રાલય તરફથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યા પછી આ પ્રક્રિયા આગળ વધી છે.’

૧૭,૫૦૦ ફુટની ઊંચાઈ પર આવેલો લિપુલેખ પાસ ભારતને તિબેટથી જોડે છે. આ રસ્તો સદીઓથી વેપાર અને યાત્રા માટે વપરાતો હતો. બ્રિટિશકાળમાં પણ લિપુલેખ પાસ વેપાર અને તીર્થયાત્રાનું મુખ્ય કેન્દ્ર હતું. સ્વતંત્રતા પછી કેટલાંય વર્ષો સુધી બંધ રહેલો આ માર્ગ ટ્રેડ માટે ૧૯૯૨માં ખૂલ્યો હતો. જોકે ૨૦૧૯માં કોવિડ અને ગલવાન ઘાટીના સંઘર્ષ પછી આ પાસ બંધ કરી દેવામાં આવ્યો હતો.

વેપાર માટે ચોક્કસ નિયમ અનુસાર પરિમટ આપવામાં આવશે. એ માટે વેપારીઓએ પહેલેથી રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે આ માર્ગ ખુલ્લો રહેશે. 

india china uttarakhand national news news