બડા ગણેશ, હરસિદ્ધિ, શક્તિપથ પર બનાવવામાં આવશે ભવ્ય દ્વાર

20 May, 2025 07:55 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

મહાકાલ મંદિરમાં ૨૬૦૦ વર્ષ જૂની પરંપરા ફરી થશે શરૂ

મહાકાલ મંદિર

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં ૨૬૦૦ વર્ષ જૂની દરવાજા પરંપરાને પુનર્જીવિત કરવામાં આવી રહી છે. મૅનેજમેન્ટ કમિટીએ મહાકાલ મંદિર તરફ જતા તમામ રસ્તાઓ પર વિશાળ દરવાજા બનાવવાનો નિર્ણય લીધો છે. આ પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવે છે જેમાં રાજાઓ અને સમ્રાટો મંદિરના પ્રવેશમાર્ગો પર દરવાજા બનાવતા હતા. કલેક્ટર રોશનકુમાર સિંહની અધ્યક્ષતામાં મળેલી મંદિર વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં મહાકાલ મંદિરના પ્રવેશમાર્ગો પર દરવાજા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિ ઉજ્જૈન વિકાસ સત્તામંડળ દ્વારા આ દરવાજાઓનું નિર્માણ કરાવશે.

શું છે યોજના?

ujjain madhya pradesh culture news religion religious places hinduism national news news