પહલગામ હુમલાની તપાસ NIAને સોંપાઈ

28 April, 2025 11:39 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

NIA છેલ્લા કેટલાક દિવસોથી ઘાયલ લોકોનાં નિવેદનો નોંધી રહી છે અને આતંકવાદી સંગઠનોના ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે બાવીસમી એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી છે. આ હુમલાને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત ગણાવાયો છે, જેને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાએ પોતાના ફ્રન્ટ સંગઠન ધ રેસિસન્સ ફ્રન્ટ (TRF) દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. હવે આ હુમલાની તપાસ IG વિજય સાખરેના નેતૃત્વમાં NIAની ટીમ કરશે, જે અંગે ગૃહમંત્રાલયે આદેશ જાહેર કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર NIA હવે જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી કેસ પોતાના હાથમાં લેવાની પ્રક્રિયામાં છે. NIA છેલ્લા કેટલાક દિવસોથી ઘાયલ લોકોનાં નિવેદનો નોંધી રહી છે અને આતંકવાદી સંગઠનોના ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે.

Pahalgam Terror Attack terror attack jammu and kashmir kashmir srinagar news national news pakistan india