ફ્લાઇટ ટિકિટના ભાવમાં વધારો નહીં થાય…પહેલગામ આતંકવાદી હુમલા બાદ DGCAની જાહેરાત

24 April, 2025 07:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Pahalgam Terrorist Attack: જમ્મુ-કાશ્મીરમાં દુર્ઘટના બાદ DGCAએ એરલાઇન્સને શ્રીનગરથી અન્ય શહેરો માટે ફ્લાઇટ્સ વધારવા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ કરવા માટે કહ્યું

પ્રતીકાત્મક તસવીર

ભારત (India)નું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ગઈકાલે એટલે કે ૨૨ એપ્રિલે મંગળવારે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)એ દેશને હચમચાવી દીધો છે. હુમલામાં ૨૬ લોકોના જીવ ગયા છે. પહેલગામ આતંકવાદી હુમલાથી ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Directorate General of Civil Aviation - DGCA)એ એક સલાહકાર જારી કર્યો છે. DGCA એ ટિકિટના ભાવમાં વધારો અને રદ કરવાના ચાર્જ માફ કરવા અંગે એરલાઇન્સને સલાહ આપી છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ દેશભરની એરલાઇન્સને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માર્ગદર્શિકા જારી કરી (DGCA issues advisory) છે. આ આદેશનો મુખ્ય હેતુ શ્રીનગર (Srinagar)માં ફસાયેલા હજારો પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો અને તેમને રાહત પહોંચાડવાનો છે. આ સંદર્ભમાં, DGCA એ એરલાઇન્સ માટે જાહેરાત કરી છે કે, રદ કરવા અને ફરીથી સુનિશ્ચિત કરવાના ચાર્જ માફ કરવામાં આવશે. આ ઉપરાંત, ફ્લાઇટ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવશે નહીં.

ફ્લાઇટ્સની સંખ્યા વધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું

મંત્રાલય દ્વારા જારી કરાયેલી સલાહ મુજબ, પહેલગામમાં બનેલી ઘટના પછી, ઘરે પાછા ફરવા માંગતા પ્રવાસીઓ તરફથી અભૂતપૂર્વ માંગ ઉઠી છે. આ સંદર્ભમાં, એરલાઇન્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ વધતી માંગને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ્સની સંખ્યા વધારવા માટે તાત્કાલિક પગલાં લે અને શ્રીનગરથી ભારતના વિવિધ સ્થળો સુધી અવિરત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે, જેનાથી ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવામાં મદદ મળે.

ટિકિટ રદ કરવા અને રિશેડ્યુલિંગ ફી પર ગંભીરતાથી વિચાર કરવા જણાવ્યું

DGCA દ્વારા એવી પણ વિનંતી કરવામાં આવી છે કે ટિકિટ રદ કરવા અને રિશેડ્યુલિંગ ફી પર પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવે. રિલીઝમાં આગળ જણાવાયું છે કે, એરલાઇન્સને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ રદ કરવા અને રિશેડ્યુલિંગ ફી માફ કરવાનો વિચાર કરે અને આ મુશ્કેલ સમય દરમિયાન અણધાર્યા સંજોગો અને પડકારોનો સામનો કરી રહેલા પ્રવાસીઓને તમામ જરૂરી સહાય પૂરી પાડે.

DGCAના આ નિર્દેશ શા માટે જરૂરી હતા?

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, અમરનાથ યાત્રા (Amarnath Yatra) દર્શન માટે અથવા સાઇટસિઇંગ માટે આવેલા હજારો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ હવે ઘરે પાછા ફરવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં, સુરક્ષા અને સુવિધા બંનેના દૃષ્ટિકોણથી ફ્લાઇટ્સની સંખ્યા વધારવી અને મુસાફરોને સસ્તી અને સરળ ટિકિટ સુવિધા પૂરી પાડવી જરૂરી બની ગઈ હતી. DGCAના નિર્ણય પછી, ફસાયેલા લોકોને રાહત મળશે જ, પરંતુ તેમને વધારાના પૈસા પણ ચૂકવવા પડશે નહીં.

નોંધનીય છે કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ ધર્મના આધારે ૨૬ લોકોની ક્રૂરતાથી હત્યા કરી હતી. આ ઘટના બાદ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હંગામો મચી ગયો છે.

terror attack jammu and kashmir airlines news india pakistan national news news srinagar