17 May, 2025 12:54 PM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે ચાલી રહેલા વિવાદ (India-Pakistan Conflicts) વચ્ચે જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)માં આતંકવાદ વિરુદ્ધ પોલીસનું ખાસ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસની રાજ્ય તપાસ એજન્સી (State Investigation Agency - SIA)એ શનિવારે ખીણમાં આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતી વખતે કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ, સોપોર (Sopore), બારામુલ્લા (Baramulla), હંદવારા (Handwara), ગાંદરબલ (Ganderbal) અને શ્રીનગર (Srinagar) સહિત અનેક સ્થળોએ આતંકવાદ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દરોડા (SIA Raids) જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી કાર્યવાહીનો એક ભાગ હતા.
કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) વીકે બિરદીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, તાજેતરની આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ તેમની રણનીતિની સમીક્ષા કરી હતી અને તે મુજબ અમારી કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) પછી, સુરક્ષા દળો કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક પર સતત હુમલો કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, પોલીસને તેના સૂત્રો પાસેથી ખબર પડી કે લશ્કરે બડગામ અને શ્રીનગરમાં સુરક્ષા દળો પર ટાર્ગેટ કિલિંગ અને ગ્રેનેડ હુમલા કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ કાવતરાને અંજામ આપવા માટે, આતંકવાદીઓના ઓવરગ્રાઉન્ડ કાર્યકરો બારામુલ્લા-શ્રીનગર-બડગામ રોડ (Baramulla-Srinagar-Budgam Road) પર એક ચોક્કસ જગ્યાએ હથિયારો સાથે ભેગા થવાના હતા. આ આધારે, પોલીસે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (Central Reserve Police Force – CRPF) અને સેનાના જવાનો સાથે મળીને કેટલાક સ્થળોએ ખાસ ચોકીઓ બનાવી અને કાવુસા નરબલમાં ત્રણ ઓવરગ્રાઉન્ડ કાર્યકરોને પકડી પાડ્યા.
અગાઉ શુક્રવારે, સુરક્ષા દળોએ બડગામ (Budgam) અને શ્રીનગરમાં ટાર્ગેટ કિલિંગ અને ગ્રેનેડ હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું અને લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના ત્રણ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (સહાયકો)ની ધરપકડ કરી હતી. આ ત્રણેય લશ્કર કમાન્ડર આબિદ કૈમ લોન માટે કામ કરે છે જે છેલ્લા પાંચ વર્ષથી ફરાર છે. આબિદ હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલો હોવાનું જાણવા મળે છે. આતંકવાદી બનતા પહેલા, આબિદ જમ્મુની એક એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી હતો.
મંગળવારે શોપિયના (Shopian) કેલર (Keller) વિસ્તારમાં અને ગુરુવારે પુલવામા (Pulwama)ના ત્રાલ (Tral)ના નાદર (Nadar) વિસ્તારમાં એન્કાઉન્ટર થયા હતા. દરેક કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
છ માર્યા ગયેલા આતંકવાદીઓમાં, સૌથી અગ્રણી શાહિદ કુટ્ટે હતો, જે ઘણા મોટા હુમલાઓમાં સામેલ હતો. આમાં ગયા વર્ષે ૧૮ મેના રોજ શોપિયનના હીરપોરામાં એક સરપંચની હત્યા અને ગયા વર્ષે ૮ એપ્રિલના રોજ ડેનિશ રિસોર્ટમાં ગોળીબારની ઘટનાનો સમાવેશ થાય છે, જેમાં બે જર્મન પ્રવાસીઓ અને એક ડ્રાઇવર ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.