`પ્લેન ક્રૅશમાં મેં પ્રિયજન ગુમાવ્યું` વિક્રાંત મેસી માટે વ્યક્તિગત બની દુર્ઘટના

15 June, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Vikrant Massey lost a close friend in Ahmedabad plane crash: બૉલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીએ પણ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે, પરંતુ આ દુઃખ તેમના માટે વધુ વ્યક્તિગત બની ગયું જ્યારે તેણે કહ્યું કે અકસ્માતમાં તેના નજીકના વ્યક્તિનું પણ મૃત્યુ થયુ.

પ્લેન ક્રૅશનો ફોટો અને વિક્રાંત મેસી (તસવીર સૌજન્ય: મિડ-ડે)

અમદાવાદમાં ઍર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બૉલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીના નજીકના મિત્રનું પણ અવસાન થયું હતું. ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદમાં ઍર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાથી સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો. આ અકસ્માતમાં ૨૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, તો ઘણા પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવવાનું દુઃખ સહન કરવું પડ્યું હતું.

બૉલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીએ પણ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે, પરંતુ આ દુઃખ તેમના માટે વધુ વ્યક્તિગત બની ગયું જ્યારે તેણે કહ્યું કે આ અકસ્માતમાં તેના નજીકના વ્યક્તિનું પણ મૃત્યુ થયું. તમને જણાવી દઈએ કે ફ્લાઇટના પાઇલટનું નામ કેપ્ટન સુમિત સભરવાલ અને ક્લાઇવ કુંદર હતું. પ્લેનની કમાન કેપ્ટન સુમિત સભરવાલ પાસે હતી, તેમની સાથે ફર્સ્ટ ઑફિસર ક્લાઇવ કુંદર પણ હતા. તેમને 1100 કલાકનો ઉડાનનો અનુભવ હતો.

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા શોક વ્યક્ત કરતા વિક્રાંતે લખ્યું- આજે અમદાવાદમાં થયેલા આ ખૂબ જ દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો માટે મારું હૃદય તૂટી ગયું છે.
 
"આનાથી પણ વધુ દુઃખદ વાત એ છે કે મારા કાકા ક્લિફોર્ડ કુંદરે તેમના પુત્ર ક્લાઇવ કુંદરને ગુમાવ્યો, જે તે દુર્ભાગ્યપૂર્ણ ફ્લાઇટમાં પ્રથમ અધિકારી તરીકે ફરજ પર હતા. ભગવાન તેમણે અને તેમના પરિવારને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે અને આ અકસ્માતથી અસરગ્રસ્ત બધા લોકોને શક્તિ આપે."

અસરગ્રસ્તો માટે બૉલીવૂડ એક થયું
આ અકસ્માત ત્યારે થયો જ્યારે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 અમદાવાદથી લંડન જઈ રહી હતી અને ટેકઑફ કર્યાની થોડી મિનિટો પછી ટેકનિકલ ખામીને કારણે ક્રૅશ થઈ ગઈ. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો, એટલે કે કુલ 242 લોકો સવાર હતા.

વિક્રાંત મેસીની આ પોસ્ટે તેમના ચાહકોને માત્ર ભાવુક જ નહીં, પરંતુ એ પણ બતાવ્યું કે આ અકસ્માત લોકોના જીવન પર કેટલી ઊંડી અસર કરી રહ્યો છે. ફિલ્મ સેલિબ્રિટીઓના પરિવારો પણ આ દુર્ઘટનાનો ભાગ બન્યા. આ સમયે આખો દેશ શોકમાં છે અને ચારે બાજુથી લોકો સંવેદના અને પ્રાર્થનાઓ કરી રહ્યા છે.

બૉલીવૂડ સ્ટાર્સની પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે, આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું છે. તેઓ તેમની પત્ની અને પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. શાહરૂખ ખાન, અક્ષય કુમાર, આમિર ખાન સહિત ઘણા બૉલિવૂડ સેલેબ્સે અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે અને અકસ્માતનો સામનો કરી રહેલા પરિવારો માટે પ્રાર્થના કરી છે. તે જ સમયે, સલમાન ખાન, વિષ્ણુ મંચુ અને રાણા દગ્ગુબાતીએ હાલ પૂરતા પોતાના કાર્યક્રમો રદ કર્યા છે.

vikrant massey Salman Khan Shah Rukh Khan akshay kumar aamir khan Vijay Rupani bharatiya janata party Gujarat BJP ahmedabad municipal corporation ahmedabad london plane crash gujarat news national news social media instagram bollywood buzz bollywood news bollywood entertainment news