29 November, 2021 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં કોરોનાના નવા કેસ સામે વધુ દરદી રિકવર થયાઃ પૉઝિટિવિટી પણ યથાવત્ રહી
શહેરમાં ગઈ કાલે ૩૩,૪૬૨ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૦.૬૪ ટકા પૉઝિટિવિટી સાથે ૨૧૭ કેસ નોંધાયા હતા. ગઈ કાલે મુંબઈમાં ૪ દરદીનાં મૃત્યુ થયાં હતાં, જેમાં એક દરદી ૪૦થી ૬૦ વર્ષની વયનો હતો તો બાકીના બે દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૩૩૦ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૨૪૭ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૬૨,૬૧૬ કેસમાંથી ૭,૪૧,૫૦૦ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો સહેજ ઘટીને ૨,૨૧૮ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ ટકા યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર ૨,૬૫૮ દિવસ થયો છે. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૧૮ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૮૧ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૧ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.