10 September, 2021 06:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિતાભ બચ્ચન, અજય દેવગન (તસવીર : મિડ-ડે આર્કાઈવ્સ)
આજે આખો દેશ ગણેશ ચર્તુથીની ઉજવણી કરી રહ્યો છે. બૉલિવૂડ સેલેબ્ઝ પણ તેમાંથી બાકાત નથી. તેમણે સોશ્યલ મીડિયાના માધ્યમથી ગણેશ ચર્તુથીની શુભેચ્છાઓ આપી છે. જોકે, દેશ હજુ પણ કોરોનાવાયરસ રોગચાળા અને નિયંત્રણો સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે આ વર્ષે ઉજવણી એટલી ભવ્ય નથી.
અભિનેતા સોનુ સુદે બાપ્પા સાથેની તસવીર પોસ્ટ કરતા લખ્યું હતું, ‘ગણપતિ બાપ્પા મોરયા’.
અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, ગણપતિ ચર્તુથીની હાર્દિક શુભેચ્છાઓ.
અભિષેક બચ્ચને લખ્યું છે, ‘ભગવાન ગણેશ તમને દરેક આંસુથી મુક્તિ આપે અને દરેક પ્રાર્થનાનો જવાબ આપે. આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!’
અનિલ કપૂરે લખ્યું હતું, ‘વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભઃ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યષુ સર્વદા! ગણેશ ચર્તુથીની શુભકામના.’
કાજોલે ટ્રેડિશનલ સાડી પહેરેલી તસવીર પોસ્ટ કરવાની સાથે શુભેચ્છા આપી હતી.
અજય દેવગને લાલબાગના રાજાના દર્શન કરતો હોય તેવી થ્રોબેક તસવીર શૅર કરી હતી અને ગણેશ ચર્તુથીની શુભેચ્છાઓ આપી હતી.
કરણ જોહેર લખ્યું હતું કે, ‘દરેક નવી શરૂઆત માટે ગણપતિ બાપ્પા તમારા અને તમારા પરિવાર પર પ્રેમ અને સમૃદ્ધિની વર્ષા કરે તેવી આશા છે. ઘરે રહીને તમારા પરિવાર સાથે સલામત રીતે ઉજવણી કરો. ગણેશ ચર્તુથીની શુભેચ્છા’.
દિયા મિર્ઝાએ લખ્યું હતું, ‘વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભઃ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યષુ સર્વદા! આપણી બુદ્ધિ આપણા માર્ગમાંથી તમામ અવરોધો દૂર કરે. આપ સહુને સ્વસ્થ અને શુભ ગણેશોત્સવની શુભેચ્છાઓ’.
નેહા ધુપિયાએ દીકરીના હાથમાં ગણપતિ બાપ્પા હોય તેવી તસવીર શૅર કરી હતી.
સોહા અલી ખાને દીકરી ઈનાયા સાથેની તસવીર શૅર કરતા લખ્યું હતું, ‘હેપી ગણેશ ચર્તુથી. આપણે નવી શરૂઆત વિશે વિચારીએ છીએ અને આપણા માર્ગમાંથી અવરોધો દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ તો આપણે જવાબદારી નિભાવતા ઉજવણી કરીએ જેથી આપણે પાછા ન પડીએ. નિયમોનું પાલન કરો, માસ્ક પહેરો, મંજૂરી કરતાં મોટી સંખ્યામાં ભેગા થશો નહીં અને જો વૅક્સિન ન લીધી હોય તો કૃપા કરીને લઈ લો’.
માધુરી દિક્ષીત નેનેએ ગણપતિ બાપ્પાની આરતી ઉતારતો વીડિયો શૅર કર્યો છે.
સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર ગણપતિ બાપ્પાની તસવીર શૅર કરી હતી અને લખ્યું હતું, ‘ભગવાન ગણેશ તમારી બધી ચિંતાઓ, દુખો અને ટેન્શનનો નાશ કરે. હું પ્રાર્થના કરું છું કે ગણેશ આપણને સુખ, સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને શાણપણ આપે.’