Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ફોટોઝ

સમાચાર ફોટોઝ

`યુટોપિયા` (Utopia) પ્રસ્તુત થનારા ત્રણેય નાટ્યપ્રયોગનાં પોસ્ટર્સ

મુંબઈના કલારસિકો માટે `પૃથ્વી`માં ત્રિવેણીસંગમ, બે દિવસ ભજવાશે અનોખા નાટ્યપ્રયોગ

મુંબઈના કળારસિકો માટે `યુટોપિયા` (Utopia) નાટ્યપ્રયોગનો ત્રિવેણીસંગમ લઇને આવ્યું છે. પ્રિતેશ સોઢાના ડિરેક્શનમાં આગામી ૧૧ અને ૧૨મી ઓગસ્ટે પૃથ્વી થિયેટરમાં જુદા વિષયો અને શૈલી ધરાવતા ત્રણ પ્રયોગો થવાના છે. ૧૧ ઓગસ્ટે રાત્રે ૮:૩૦ વાગ્યે વિવિધ નારી સંવેદનાઓને તખ્તા પર તાદૃશ કરતી નાટ્ય-પ્રસ્તુતિ `સ્ત્રી એટલે....` ભજવાશે. જેમાં કલાકારો ડિમ્પલ આનંદપરા, અર્ચના શાહ, રિંકુ પટેલ, કલ્પના શાહ અને વિધિ ચિતલિયા પંડ્યા ભાગ લેશે. ૧૨ ઓગસ્ટે બે પ્રયોગ ભજવાશે. સાંજે ૪:૩૦ વાગ્યે ઝવેરચંદ મેઘાણી અને ધૂમકેતુના સર્જન પર આધારિત કાર્યક્રમ દાસ્તાનગોઈ ગુજરાતી ભજવાશે. જેમાં કલાકારો ભામિની ઓઝા ગાંધી, ભક્તિ રાઠોડ, અલ્પના બુચ અને પ્રતાપ સચદેવ પોતાની આગવી શૈલીમાં વાર્તાઓ રજૂ કરશે. એ જ દિવસે રાત્રે ૮:૩૦ વાગ્યે રમેશ પારેખની કવિતાઓને કેન્દ્રમાં રાખીને મંથન જોશી દ્વારા લિખિત હૃદયસ્પર્શી નાટક `કોશેટો` ભજવાશે. લીડ એક્ટર દર્શન જરીવાલા સહિત સેજલ પોન્દા, પૂજા ગામી, હેમાક્ષ વૈષ્ણવ અને દીપ પારેખ પ્રસ્તુતિ કરશે. મુંબઈમાં યોજનારા આ કલાત્મક પ્રયોગોની ત્રિવેણી બદલ કલાકારોએ પોતાના હ્રદયનો ઉમળકો વ્યક્ત કર્યો છે. 06 August, 2026 02:43 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રગતિ મિત્ર મંડળ દ્વારા આયોજિત વૃક્ષારોપણનો કાર્યક્રમ

છ વર્ષની ટેણકી પણ વૃક્ષારોપણ કરવા આવી, કાંદિવલીમાં પ્રગતિ મિત્ર મંડળની પહેલ

મુંબઈના પ્રગતિ મિત્ર મંડળ તરફથી `પર્યાવરણ જાગૃતિ અભિયાન` અંતર્ગત ૦૨/૦૮/૨૦૨૬ના રોજ `વૃક્ષારોપણ`નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જોગનુજોગ છ વર્ષની બાળકીએ પણ છોડ વાવીને સહુને ખુશ કરી દીધા હતા. 06 August, 2026 10:08 IST Mumbai | Gujarati Mid-day Correspondent
આજના Digitally Yoursના એપિસોડમાં વાંચો ઇન્ફ્લુએન્સર ધરા માખેલા વિશે.

Digitally Yours: આમની જનાવરો વચ્ચેની સિમ્પલ લાઈફ ધૂમ મચાવે છે સોશિયલ મીડિયામાં

સોશિયલ મીડિયા જગતમાં દરરોજ કેટલાય ચહેરાઓ આપણું મનોરંજન કરતાં રહે છે. પરંતુ અમુક ક્રિએટર્સ એવા હોય છે જેમનું કૉન્ટેન્ટ તેમના ફોલોઅર્સ માટે રીતસરની આદત જ બની જાય છે! જેમના વીડિયોઝ અને પોસ્ટ્સ જોયા વગર તેમનું ફીડ જાણે તેમને અધૂરું લાગવા માંડે છે. પણ શું તમનેય પણ એવા પ્રશ્ન થાય છે કે આપણા આ માનીતા ઇન્ફ્લુએન્સર્સ કૅમેરાની પાછળ કેવા છે? કઈ રીતે તેઓ આટલા પૉપ્યુલર થયા? આખરે સોશિયલ મીડિયાની આ વાઇરલ જર્નીએ તેમની રિઅલ લાઈફમાં કેવો બદલાવ લાવી દીધો? અને જો તમારે પણ આમની જેમ મજેદાર કૉન્ટેન્ટ પીરસીને સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર બનવું હોય તો શું કરવાનું? જ્યારે તેઓ સોશિયલ મીડિયા માટે કૉન્ટેન્ટ બનાવે છે તો કઈ વસ્તુનું ધ્યાન રાખે છે, તેમના કેટલાક રસપ્રદ કિસ્સાઓ અને કેટલીક ખાસ ટિપ્સ જે તમને પણ કામ લાગી શકે છે. બસ, તો... હવે તમારું ડિજિટલ સાથીદાર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ દર બુધવારે તમારે માટે લઇને આવશે ખાસ રજૂઆત `Digitally Yours`! જો તમે આ લેખ વાંચો પછી તમારા ધ્યાનમાં કોઈ એવા ઇન્ફ્લુએન્સર હોય જેમના વિશે અમારે માહિતી બધા સુધી પહોંચાડવી જોઈએ તો તમે અમને ઈ-મેઇલ કરી શકો છો અથવા ઇન્સ્ટાગ્રામ પર DM પણ કરી શકો છો. તો, આજના એપિસોડમાં આપણી સાથે જોડાયાં છે સોશિયલ મીડિયાની દુનિયાના જાણીતાં ઇન્ફ્લુએન્સર ધરા માખેલા. 05 August, 2026 12:42 IST Gujarat | Dharmik Parmar
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ મેઘબિંદુની રચનાઓ

કવિવાર: જનમોજનમની આપણી સગાઈ, હવે શોધે છે સમજણની કેડી - મેઘબિંદુ

ગઇકાલે જેમની પુણ્યતિથિ ગઈ તે આપણા મુંબઈના કવિ મેઘબિંદુને યાદ કરવા છે. તેમનું આખું નામ તો મેઘજી ખટાઉ ડોડેયા. તેમનો જન્મ નવમી ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ. તેઓ કરાંચીથી સ્થળાંતર કરીને મુંબઈ આવ્યા હતા. એસએસસી સુધી ભણી ઓક્ટ્રોય ક્લાર્ક તરીકે નોકરી કરતા, પણ મન તો સાહિત્ય-સર્જનમાં રચ્યુંપચ્યું રહેતું. અચાનક ૨-૮-૨૧ને દિવસે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. પરંતુ તેમનાં સર્જનોથી સદાય ચિરંજીવ એવા આ કવિનાં દોઢસોથી પણ વધારે ગીતોને સ્વરાંકન પ્રાપ્ત થયું છે. તેમણે આકાશ નામે કાવ્યસંગ્રહ પણ આપેલો.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ. 04 August, 2026 09:43 IST Mumbai | Dharmik Parmar
કાર્યક્રમમાં વિદ્યાર્થીને જ્ઞાન, પ્રેરણા સાથે જીવનોપયોગી બાબતો જાણવા મળી

લોકમાન્ય તિલક પુણ્યતિથિ પર RSGKR વિદ્યાલયમાં આપત્તિ વ્યવસ્થાપન કાર્યશાળા યોજાઈ

રાવ સાહેબ ગોવિંદ કરસન રામજી વિદ્યાલય (રા.સા.ગો.ક.રા) વિદ્યાલય, કલ્યાણ ખાતે લોકમાન્ય બાલ ગંગાધર તિલકની પુણ્યતિથિના પાવન અવસરે તા. ૧ ઑગસ્ટના રોજ એક અનોખા અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શાળાના ગૌરવ સમાન ભૂતપૂર્વ વિદ્યાર્થી, રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત તથા રાષ્ટ્રસેવાના વિવિધ ક્ષેત્રોમાં અવિસ્મરણીય યોગદાન આપનાર બિમલભાઈ મીનાબેન વસંતભાઈ નથવાણી તથા તેમના સુપુત્ર ચિરાગ નથવાણીએ હાજરી આપી હતી. 01 August, 2026 09:31 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે સગાઈ સમારોહમાં હાજરી આપી હતી.

પાર્થ પવાર અને કાયનાત ધરની સગાઈ કાર્યક્રમમાં મોટા નેતાઓની હાજરી, જુઓ તસવીરો

પાર્થ પવારે બુધવારે સાંજે પુણેમાં એક ખાનગી સમારોહમાં મૉડલ અને ઑન્ટ્રપ્રનર કાયનાત ધર સાથે સગાઈ કરી. આ કાર્યક્રમ પુણેના યેરવાડામાં આવેલી રિટ્ઝ-કાર્લટન હૉટેલમાં સાંજે 6:30 વાગ્યે યોજાયો હતો. જોકે આ એક ખાનગી પ્રસંગ હતો, તેમાં ઘણા વરિષ્ઠ રાજકીય નેતાઓ, પક્ષના પદાધિકારીઓ અને નજીકના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. 30 July, 2026 03:35 IST Pune | Gujarati Mid-day Online Correspondent
`મારે કંઇક કહેવું છે` પુસ્તકના વિમોચન પ્રસંગે અનેક મહિલાઓ હાજર રહી હતી.

`મારે કંઇક કહેવું છે`નો નિર્ધાર કરી જ્યારે બહેનો કલમ ઉપાડે પછી જે થાય તે જોઈ લો

તા.૨૯.૭.૨૦૨૬ના રોજ નાગર ભગિની મંડળ-વિલેપાર્લે દ્વારા `મારે કંઇક કહેવું છે` નામની`ઇ-બૂક`નો વિમોચન પ્રસંગ પાર પડ્યો. મમળાવીએ એ યાદગાર ક્ષણોને. 30 July, 2026 11:30 IST Mumbai | Dharmik Parmar
બાબા બર્ફાની

તમને કેવાં દર્શન થયાં બાબા બર્ફાનીનાં?

પ્રતિકૂળ હવામાનને કારણે  થોડા દિવસ બંધ રહેલી અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. આ વખતે  કુદરતી રીતે બનતું હિમલિંગ સમય કરતાં વહેલું સંપૂર્ણપણે ઓગળી ગયું છે. યાત્રા હજી ઑગસ્ટના અંત સુધી ચાલવાની છે, પરંતુ જુલાઈના મધ્યમાં જ શિવલિંગ અદૃશ્ય થઈ જતાં ભક્તોએ માત્ર પવિત્ર ગુફા અને અન્ય સ્થળોએ નમન કરીને પાછા ફરવું પડ્યું હતું. પર્યાવરણવિદોના મતે ગ્લોબલ વૉર્મિંગ અને વધતા જતા તાપમાનને કારણે હિમલિંગ વહેલું ઓગળી ગયું છે.  આ વખતે અમરનાથ યાત્રા કરી આવેલા કેટલાક મુંબઈગરા શિવભક્તો સાથે વાત કરીને મિડ-ડેએ તેમનો અનુભવ જાણ્યો  30 July, 2026 09:01 IST Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK