હાલમાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ગુણેશોત્સવની ધૂમ તૈયારી ચાલી રહી છે. બાપ્પાના આગમનને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે આજે મુંબઇના પરાંઓમાં વરસાદની જોરદાર હાજરી નોંધાઈ છે. ક્યાંક બાપ્પાના આગમનની તૈયારી કરતાં ગણેશભક્તોને ખલેલ પહોંચી છે તોય છેલ્લા ઘણા દિવસથી ગાયબ થઈ ગયેલા વરસાદે દેખા દેતા મુંબઈગરા ખુશ થઈ ગયા છે. દાદર અને સાયનના આ દૃશ્યો જોઈ લો. (તસવીરો - અતુલ કાંબળે)13 September, 2026 11:30 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈના પ્રખ્યાત `લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ` દ્વારા શુક્રવાર, 11 સપ્ટેમ્બરના રોજ `લાલબાગચા રાજા`ની પહેલી ઝલક જાહેર કરવામાં આવી હતી. ગણેશોત્સવના તહેવારની શરૂઆતના થોડા દિવસો પહેલાં જ યોજાયેલા આ અનાવરણ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરો: અતુલ કાંબળે)11 September, 2026 09:28 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) એ ગણેશોત્સવ ૨૦૨૬ દરમિયાન મુસાફરોની સંભવિત ભીડને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત મુંબઈના બોરીવલી (પૂર્વ) સ્થિત નેન્સી કોલોની ડેપો ખાતે બસોને તૈયાર કરવામાં આવી રહી છે. તસવીરો: સતેજ શિંદે11 September, 2026 07:42 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
નેપાળમાં આવેલા વિનાશક પૂરને બે અઠવાડિયા વીતી ગયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 1,410 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 5,651 લોકો હજી પણ ગુમ છે. અહેવાલ મુજબ, નેપાળમાં બચાવ ટીમો હજી પણ હાઇડ્રોપાવર ટનલની અંદર સંભવિત જીવિત લોકોની શોધ કરી રહી છે. 26 ઑગસ્ટે, ચીન-નેપાળ સરહદ નજીક ગ્લેશિયરથી ઢંકાયેલો એક પહાડ તૂટી પડ્યો, જેનાથી પાણી, કાદવ અને કાટમાળનો પ્રચંડ પ્રવાહ વહેવા લાગ્યો. (તસવીરો: મિડ-ડે)11 September, 2026 03:22 IST Kathmandu | Gujarati Mid-day Online Correspondent
આવતા સોમવારે ગણપતિની સ્થાપના થઈ જવાની છે ત્યારે ગઈ કાલે અનેક સાર્વજનિક મંડળોની ગણેશમૂર્તિઓ મંડળના કાર્યકરો પરેલ વર્કશૉપમાંથી મંડપમાં વાજતેગાજતે લઈ જઈ રહ્યા હતા. 07 September, 2026 09:32 IST Mumbai | Gujarati Mid-day Correspondent
વરલીસ્થિત શ્રી લોઢા પાર્ક જૈન સંઘ દ્વારા ૫મી સપ્ટેમ્બરે સિદ્ધિતપના તપસ્વીઓનો ગુણાનુરાગ વ્યક્ત કરવા એક ભવ્ય તપોયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.06 September, 2026 09:37 IST Mumbai | Dharmik Parmar
મુંબઈની નવરાત્રિની વાત આવે તો સહુથી પહેલા યાદ આવે ‘વેસ્ટ એવન્યુ રિયલ્ટી નવરાત્રિ ઉત્સવ 2026’. હવે આ વર્ષે પણ આ ઉત્સવ રંગ રાખવા તૈયાર છે. ખેલૈયાઓને જોરદાર અનુભવ આપવા માટે આ ઉત્સવની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. આ માટે ૨૮ ઑગસ્ટના રોજ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ભૂમિ-પૂજન કરવામાં આવ્યું હતું. ‘ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ’ અને ‘અલ્ફોન્સો સ્ટુડિયો’એ આ પ્રસંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી.03 September, 2026 12:39 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગઇકાલે ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસમાં નૂતન શિલ્પનું અનાવરણ ત્યાંના મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર અને BAPS સંસ્થાના પરમ પૂજ્ય પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી તથા BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના વરિષ્ઠ સંતો દ્વારા કરવામાં આવ્યું હતું. 02 September, 2026 02:49 IST Paris | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK