મંગળવારે મુંબઈમાં સાંજે શહેરના કેટલાક ઉપનગરીય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ માટે ઑરેન્જ એલર્ટ જારી કર્યું હતું. મિડ-ડેના લેન્સમેન સૈયદ સમીર આબેદી દ્વારા કેદ કરાયેલી વરસાદથી ભીંજાયેલી કેટલીક ક્ષણોની ઝલક અહીં પ્રસ્તુત છે.21 July, 2026 09:32 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ પોલીસે દાદરમાં ચૈત્યભૂમિ ખાતે વિરોધ પ્રદર્શન માટે ભેગા થયેલા અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. આ પ્રદર્શનકારીઓ દિલ્હીમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન માટે એકતા દર્શાવવા માટે ભેગા થયા હતા. આ વિસ્તારમાં હંગામાં બાદ, પોલીસે કાર્યવાહી કરી અને અનેક લોકોની અટકાયત કરી. (તસવીરો: શાદાબ ખાન)20 July, 2026 09:37 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના કાર્યકરોએ શનિવારે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે મુંબઈના આઝાદ મેદાનની બહાર પણ વિરોધ પ્રદર્શન કર્યું. (તસવીર: સમીર આબેદી)18 July, 2026 05:18 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમદાવાદમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ ૧૪૯મી રથયાત્રા ઃ સંભવિત રીતે પહેલી વાર એવું બન્યું કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં ચાલતા જોવા મળ્યા ઃ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પ્રભુને વધાવ્યા ગુલાબનાં ફૂલોથી ઃ ઈરાન-અમરિકા યુદ્ધ તેમ જ હોર્મુઝની ખાડી, ગૅસ, પેટ્રોલના ટૅબ્લો અને પેઇન્ટિંગ્સે જમાવ્યું આકર્ષણ ઃ હાથીઓના બંધાયા પગ: અમિત શાહ મંગળા આરતીમાં થયા સહભાગી. ગુજરાતમાં ગઈ કાલે અષાઢી બીજે અમદાવાદના જગન્નાથજી મંદિરેથી હર્ષોલ્લાસપૂર્વક નીકળેલી પૌરાણિક, ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. નગરજનોને વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથજી દર્શન આપવા માટે સામે ચાલીને નગરમાં નીકળે છે ત્યારે નગરમાં પધારેલા નગરના નાથ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ભક્તજનોએ અક્ષત કુમકુમ અને ફૂલોથી વધાવ્યાં હતાં. સમી સાંજે અમદાવાદમાં મેઘરાજાએ પધરામણી કરી અમીછાંટણાં કર્યાં હતાં.આ વખતે નીકળેલી રથયાત્રામાં સંભવિત રીતે આવું પહેલી વાર બન્યું છે કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી ચાલતા જોવા મળ્યા હતા. મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી જમાલપુર દરવાજા તરફ અને ત્યાંથી આગળ પગપાળા જતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે રથયાત્રામાં મહંત જીપમાં બેસતા હોય છે, પરંતુ તેઓ હાથીઓની સાથે-સાથે ચાલતા જતા હતા. રથયાત્રાનાં દર્શન કરવા આવેલા અગણીત ભક્તજનોને પણ મહંતને આમ પગપાળા ચાલતા જોઈને અચરજ થયું હતું અને સાથે-સાથે આનંદ પણ થયો હતો કે મહંત પદયાત્રા કરી રહ્યા છે. ધાર્મિકજનોએ મહંતના આશીર્વાદ પણ લીધા હતા. જોકે પાછળથી તેઓ જીપમાં બેસીને રથયાત્રાના રૂટ પર આગળ વધ્યા હતા.17 July, 2026 02:22 IST Ahmedabad | Gujarati Mid-day Correspondent
સોમવારે મુંબઈમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહ્યું, કારણ કે શહેરમાં ચોમાસાની પ્રવૃત્તિ નબળી પડી ગઈ, જેના કારણે સતત વરસાદથી હંગામી વિરામ મળ્યો. તસવીરો/સતેજ શિંદે13 July, 2026 07:43 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK