મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા પર્યુષણ મહાપર્વની ઉજવણી થઈ રહી છે. આ આઠ દિવસીય પર્યુષણ મહાપર્વને ઊજવવા ભારત તથા વિશ્વભરમાંથી હજારો ભાવિકો એકઠા થયા છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આશિષ મેળવ્યા હતા.15 September, 2026 02:25 IST Mumbai | Gujarati Mid-day Correspondent
સાન્તાક્રુઝમાં રહેતા લુહાર-સુથાર જ્ઞાતિના ઇન્ટિરિયર ડિઝાઇનર દીપક લવજીભાઈ મકવાણા છેલ્લાં ૩૫ વર્ષથી પોતાને ઘેર ગણેશોત્સવ માટે અવનવી થીમ પર સજાવટ કરે છે. તેઓના પ્રત્યેક ડેકોરેશન ભારત સરકારની `મેક ઇન ઈન્ડિયા` પહેલને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા હોય છે. એટલે કે દીપકભાઈ ભારતમાં જે-જે મોટા વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે તેની આબેહૂબ પ્રતિકૃતિ તેઓ પોતાના ઘરે સકારતા હોય છે. આ વર્ષે તેઓએ કેદારનાથ રોપ-વૅ પ્રોજેક્ટ ઊભો કર્યો છે. એક્ચ્યુઅલ સાઇઝની રોપ-વૅ કૅબલ-કારમાં બેસીને કેદારનાથ ધામની સફર વગર ટિકિટે કરવી હોય તો મકવાણા ફૅમિલીમાં પધારેલા બાપ્પાના દર્શને પહોંચી જજો. દીપકભાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરેલ આ યુનિક ડેકોરેશનની વિગતો વાંચો અહીં15 September, 2026 10:31 IST Mumbai | Dharmik Parmar
ઘાટકોપરમાં રહેતો ગુજરાતી યુવાન રાહુલ ગોકુલ વરિયા છેલ્લાં ૧૫ વર્ષથી પોતાના ઘરે ગણેશોત્સવ માટે વિવિધ થીમની સજાવટ કરે છે. આ યંગ ક્રિએટિવ આર્કિટેક્ચર પોતાના ઘરે તો ડેકોરેશન કરે જ છે સાથે અન્ય લોકોના ઘરે પણ ડેકોરેશન કરે છે. દર વર્ષે રાહુલની થીમમાં કોઈને કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટની પરિકલ્પના જોવા મળે છે. જેમ કે ડબલ ડેકર બેસ્ટ બસ, લોકલ ટ્રેન ટ્રામ, મેટ્રો ટ્રેન વગેરે. આ વર્ષે તેણે મુંબઈના રસ્તાઓ પર દિવસ-રાત દોડતી કાળી-પીળી રિક્ષાનું આબેહૂબ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે અને તેની પાછળ બહુ જ લાગણીશીલ કહાની પણ જોડાયેલી છે.15 September, 2026 07:28 IST Mumbai | Dharmik Parmar
હાલમાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ગુણેશોત્સવની ધૂમ તૈયારી ચાલી રહી છે. બાપ્પાના આગમનને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે આજે મુંબઇના પરાંઓમાં વરસાદની જોરદાર હાજરી નોંધાઈ છે. ક્યાંક બાપ્પાના આગમનની તૈયારી કરતાં ગણેશભક્તોને ખલેલ પહોંચી છે તોય છેલ્લા ઘણા દિવસથી ગાયબ થઈ ગયેલા વરસાદે દેખા દેતા મુંબઈગરા ખુશ થઈ ગયા છે. દાદર અને સાયનના આ દૃશ્યો જોઈ લો. (તસવીરો - અતુલ કાંબળે)13 September, 2026 11:30 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈના પ્રખ્યાત `લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ` દ્વારા શુક્રવાર, 11 સપ્ટેમ્બરના રોજ `લાલબાગચા રાજા`ની પહેલી ઝલક જાહેર કરવામાં આવી હતી. ગણેશોત્સવના તહેવારની શરૂઆતના થોડા દિવસો પહેલાં જ યોજાયેલા આ અનાવરણ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરો: અતુલ કાંબળે)11 September, 2026 09:28 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) એ ગણેશોત્સવ ૨૦૨૬ દરમિયાન મુસાફરોની સંભવિત ભીડને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત મુંબઈના બોરીવલી (પૂર્વ) સ્થિત નેન્સી કોલોની ડેપો ખાતે બસોને તૈયાર કરવામાં આવી રહી છે. તસવીરો: સતેજ શિંદે11 September, 2026 07:42 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
નેપાળમાં આવેલા વિનાશક પૂરને બે અઠવાડિયા વીતી ગયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 1,410 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 5,651 લોકો હજી પણ ગુમ છે. અહેવાલ મુજબ, નેપાળમાં બચાવ ટીમો હજી પણ હાઇડ્રોપાવર ટનલની અંદર સંભવિત જીવિત લોકોની શોધ કરી રહી છે. 26 ઑગસ્ટે, ચીન-નેપાળ સરહદ નજીક ગ્લેશિયરથી ઢંકાયેલો એક પહાડ તૂટી પડ્યો, જેનાથી પાણી, કાદવ અને કાટમાળનો પ્રચંડ પ્રવાહ વહેવા લાગ્યો. (તસવીરો: મિડ-ડે)11 September, 2026 03:22 IST Kathmandu | Gujarati Mid-day Online Correspondent
આવતા સોમવારે ગણપતિની સ્થાપના થઈ જવાની છે ત્યારે ગઈ કાલે અનેક સાર્વજનિક મંડળોની ગણેશમૂર્તિઓ મંડળના કાર્યકરો પરેલ વર્કશૉપમાંથી મંડપમાં વાજતેગાજતે લઈ જઈ રહ્યા હતા. 07 September, 2026 09:32 IST Mumbai | Gujarati Mid-day Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK