મુંબઈમાં દર વર્ષે યોજાતી ‘મુંબઈ ક્વીર પ્રાઇડ માર્ચ’, જે રેઈન્બો માર્ચ તરીકે પણ ઓળખાય છે, તેનું આયોજન LGBTQIA+ સમુદાયના લોકો દ્વારા સમાનતા અને માન્યતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત 2008 માં થઈ હતી, જ્યારે મુંબઈમાં પહેલી પ્રાઇડ પરેડ યોજાઈ હતી. ભારતમાં ક્વીર સમુદાયની માન્યતા તરફ આ પરેડને એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. (તસવીરો: આશિષ રાજે)20 February, 2026 09:10 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજના આપણાં વન્ડર વુમન છે, નીતા સોલંકી. જેઓ વ્યવસાયે બ્યૂટિશિયન તો છે પણ સાથે ગુજરાતી વિષય સાથે સ્નાતકની પદવી મેળવ્યા બાદ હાલ અનુસ્નાતકનો અભ્યાસ પણ કરી રહ્યાં છે, આ સિવાય તેઓ અનેક એનજીઓ સંસ્થાઓ સાથે જોડાયેલાં છે, તો આજે જાણો તેમનાં વિશે વધારે.18 February, 2026 03:18 IST Mumbai | Shilpa Bhanushali
તાજેતરમાં જ દેશભરમાં મહાશિવરાત્રિની અતિ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. મુંબઈનાં વિવિધ દેવાલયો પણ `હર હર ભોલે`ના જયનાદ સાથે ગુંજી ઊઠ્યા હતાં. બોરીવલીના યોગીનગરમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો હાજર રહ્યા હતા.17 February, 2026 10:19 IST Mumbai | Dharmik Parmar
આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનું પાવન પર્વ અતિ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવાઇ રહ્યું છે. નાસિકસ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં આજે શિવરાત્રી નિમિત્તે ખાસ અભિષેકવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.15 February, 2026 12:00 IST Mumbai | Dharmik Parmar
AURO Universityમાં “Discovery and Application of Vedic Knowledge” વિષય પર ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પરિષદમાં ભારત ઉપરાંત અમેરિકા, સ્વિટ્ઝર્લૅન્ડ, સિંગાપુર, નેપાળ અને તાઈવાન સહિત છ દેશોના વિદ્વાનો, સંશોધકો અને આધ્યાત્મિક સાધકો જોડાયા. કાર્યક્રમ હાઇબ્રિડ પદ્ધતિથી યોજાયો હતો, જેમાં ઑફલાઇન અને ઑનલાઇન બંને રીતે ભાગ લેવામાં આવ્યો.14 February, 2026 08:59 IST Surat | Gujarati Mid-day Online Correspondent
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું અનોખા ભાષાપ્રેમી નિરંજન પંડ્યાને11 February, 2026 06:38 IST Mumbai | Dharmik Parmar
અજિત પવારનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ દરમિયાન, અજિત પવારના અવસાન પછી, સુનેત્રા પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, ત્યારબાદ તેમણે મંગળવારે નાયબ મુખ્ય પ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા બાદ, સુનેત્રા પવાર આજે દિલ્હીની મુલાકાતે છે. તેઓ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. (તસવીરો: એજન્સી)11 February, 2026 06:22 IST New Delhi | Gujarati Mid-day Online Correspondent
હરિપ્રબોધમ - બાકરોલ, આણંદના અક્ષર યુવક મંડળ - દહિસર, મુંબઈ દ્વારા દર વર્ષની જેમ જ આ વર્ષે પણ બૉક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘આત્મીય પ્રિમીયર લીગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષર યુવક મંડળ – દહિસરની ‘આત્મીય પ્રિમીયર લીગ’ આ નવમી સિઝન હતી. આ ટુર્નામેન્ટના આયોજનનો મુખ્ય હેતુ છે કે, રોજિંદા જીવનમાંથી થોડો સમય કાઢી હરિભક્તો સાથે ભેગા મળીને ક્રિકેટ રમે અને આત્મીયતાનો ભાવ જન્મે તે જ હોય છે. ચાલો જોઈએ ‘આત્મીય પ્રિમીયર લીગ’ સિઝન ૯ની ઝલક તસવીરોમાં…11 February, 2026 03:30 IST Mumbai | Rachana Joshi
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK