Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ફોટોઝ

સમાચાર ફોટોઝ

સિંહસ્થ કુંભ મેળા 2027 પહેલા નાસિકમાં મોટા પાયે પરિવર્તન થવાનું છે. તસવીરો/એકનાથ શિંદેનું કાર્યાલય

CM ફડણવીસ, નાયબ CM શિંદેએ નાસિક કુંભ મેળા 2027 માટે નવા પ્રોજેક્ટ્સ કર્યા જાહેર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગુરુવારે હજારો કરોડના નવા વિકાસ પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું. તસવીરો/એકનાથ શિંદેનું કાર્યાલય 13 November, 2025 06:41 IST Nashik | Gujarati Mid-day Online Correspondent
ગુરુવારે શહેરમાં 143 AQI નોંધાતા મુંબઈની આકાશ ધુમ્મસથી ઢંકાઈ ગઈ. PIC / કીર્તિ સુર્વે પરેડ

Photos: મુંબઈનો AQI 143 પહોંચતાં મરીન ડ્રાઇવ ધુમ્મસથી આચ્છાદિત

ગુરુવારે બપોરે મરીન ડ્રાઇવ પર મુંબઈનું આકાશ ધુમ્મસથી ઢંકાયેલું હતું. જોકે, ધુમ્મસ હોવા છતાં શહેરની હવાની ગુણવત્તા `મધ્યમ` શ્રેણીમાં રહી, જે 143 AQI નોંધાયું. તાજેતરના દિવસો શહેરમાં ધુમ્મસભર્યા વાતાવરણ અને રાત્રિના સમયે ઠંડુ તાપમાન જોવા મળી રહ્યું છે. (તસવીર / કીર્તિ સર્વે પરેડ) 13 November, 2025 05:55 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉત્તર પ્રદેશ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ તાજેતરના દિલ્હી કાર વિસ્ફોટની ચાલી રહેલી તપાસ સંદર્ભે કાનપુરના એક મેડિકલ કૉલેજના વિદ્યાર્થીની અટકાયત કરી છે (તસવીરો/PTI)

કાનપુર ATSએ કાર્ડિયોલોજીના વિદ્યાર્થીની લાલ કિલ્લા બ્લાસ્ટ મામલે શંકામાં ધરપકડ

ઉત્તર પ્રદેશ ATSએ દિલ્હી કાર બ્લાસ્ટ કેસના સંદર્ભમાં કાનપુરની GSVM મેડિકલ કોલેજના DM કાર્ડિયોલોજીના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ડૉ. મોહમ્મદ આરિફની અટકાયત કરી છે. આરિફ, મૂળ J&Kના અનંતનાગનો રહેવાસી છે, તેને GSVMના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. શાહીન સઈદના ખુલાસા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જેમની અગાઉ આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. (તસવીરો/PTI) 13 November, 2025 05:26 IST Kanpur | Gujarati Mid-day Online Correspondent
PM મોદી લાલ કિલ્લા બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને મળવા માટે પહોંચ્યા (સૌજન્ય: એજન્સી)

ભુતાનથી પરત ફરતા PM મોદી લાલ કિલ્લા બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને મળવા માટે પહોંચ્યા

ભુતાન પ્રવાસથી પાછા ફર્યા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ દિલ્હી વિસ્ફોટના પીડિતોને મળવા માટે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી. તેઓ ઘાયલોને મળ્યા, તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને તેમની સાથે વાત કરી. તેમના આગમનની માહિતી મળતાં, LNJP હોસ્પિટલની સામે બેરિકેડ ઉભા કરીને સુરક્ષા વધારી દેવામાં આવી. પોલીસે ભારે વાહનોને પણ રોક્યા. 12 November, 2025 08:03 IST New Delhi | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું તેજસ જોશીને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: મળો તેજસ જોશીને, રાત્રિના સમયે માનવતાનો દીવો પ્રગટાવતો સેવાભાવી પુરુષ

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું તેજસ જોશ (Tejas Joshi)ને, જેમણે પોતાનું જીવન માનવ સેવા માટે સમર્પિત કર્યું છે. સમાજ સેવા દ્વારા, તેમણે હજારો ભૂખ્યા લોકોને ભોજન આપ્યું છે અને ઘણા ઘાયલ પક્ષીઓને નવું જીવન આપ્યું છે. 12 November, 2025 04:43 IST Mumbai | Hetvi Karia
‘યાત્રી તથા વરિષ્ઠ સેવા સદન’ આ સુવિધામાં ૧૦૦થી વધુ ઓરડાઓ હશે, જે વરિષ્ઠ વૈષ્ણવો અને દર્શનાર્થી ભક્તો માટે સુરક્ષિત, આરામદાયક અને ગૌરવસભર નિવાસ પ્રદાન કરશે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં ‘યાત્રી તેમજ વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

રિલાયન્સના ચૅરમૅન મુકેશ અંબાણીએ પવિત્ર ધાર્મિક સ્થળ નાથદ્વારાની મુલાકાત લીધી, જ્યાં તેમણે શ્રી નાથજીના ભોગ આરતી અને દિવ્ય દર્શનનો લાભ લેવાની સાથે ગુરુ શ્રી વિશાલ બાવા સાહેબનો આશીર્વાદ પણ મેળવ્યા. પોતાની આ મુલાકાત દરમિયાન તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુસજ્જ ‘યાત્રી તથા વરિષ્ઠ સેવા સદન’ (યાત્રાળુઓ અને વરિષ્ઠ નાગરિકો માટે સેવા કેન્દ્ર) સ્થાપવાની જાહેરાત કરી અને  નાથદ્વારા મંદિરને ૧૫ કરોડ રૂપિયાનું દાન આપ્યું. 09 November, 2025 05:18 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુરુવારે સાંજે રેલવે કર્મચારીઓએ હડતાળ પાડી તેના થોડા સમય પછી આ ઘટના બની. (તસવીરો: આશિષ રાજે, રાજેન્દ્ર બી. અકલેકર અને ઐશ્વર્યા ઐયર)

CSMT ખાતે હડતાળ અને સેન્ડહર્સ્ટ રોડ નજીક અકસ્માત બાદ મધ્ય રેલવે સ્ટેશનો પર ભીડ

મુંબઈના સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર ગુરુવારે સાંજે ચાલતી વખતે ટ્રેનની અડફેટે આવતા એક વ્યક્તિનું મોત અને ત્રણ અન્ય ઘાયલ થયા. આ સાથે સીએસએમટી ખાતે કર્મચારીઓની હડતાળને લીધે પણ મધ્ય રેલવેના બીજા પ્લેટફોર્મ પર પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.  (તસવીરો: આશિષ રાજે, રાજેન્દ્ર બી. અકલેકર અને ઐશ્વર્યા ઐયર) 06 November, 2025 09:22 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ હડતાળની સીધી અસર લોકલ ટ્રેનોની સેવાને થઈ અને પ્રવાસીઓને ભારે હાલાકીની સામનો કરવો પડ્યો હતો. (તસવીરો: આશિષ રાજે)

મધ્ય રેલવેમાં પ્રવાસીઓની હાલાકી: CSMT ખાતે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, જુઓ તસવીરો

મુંબઈની લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેનના મધ્ય રેલવે લાઇનમાં પ્રવાસીઓની ભારે હાલાકીની પરિસ્થિતી જોવા મળી રહી છે. કારણ કે ગુરુવારે સાંજે મુંબઈ લોકલ ટ્રેન સેવાઓના પીક અવર્સ (ભીડના સમય) દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે રેલવે કર્મચારીઓએ હડતાળ પાડી હતી. (તસવીરો: આશિષ રાજે) 06 November, 2025 07:39 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK