Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ફોટોઝ

સમાચાર ફોટોઝ

ડૉ. બી.આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ગર્વનર જિષ્ણુ દેવ વર્મા

Ambedkar Jayanti: દેવેન્દ્ર ફડણવીસે ચૈત્યભૂમિ ખાતે આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા (Jishnu Dev Varma)એ ડૉ. બી.આર. આંબેડકર (Dr. B R Ambedkar)ની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે મુંબઈ (Mumbai)ના દાદર (Dadar)માં આવેલ ચૈત્યભૂમિ (Chaityabhoomi) ખાતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ફડણવીસે ડૉ. આંબેડકરને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો પાછળના માર્ગદર્શક બળ તરીકે વર્ણવ્યા હતા. (તસવીરોઃ પીટીઆઇ, એક્સ) 14 April, 2026 02:24 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
માતાજીની સન્મુખ બેઠા ગરબાની રમઝટ બોલાવતાં માઈભક્તો

યાત્રાધામ અંબાજીમાં રાત્રિપૂજાનો લાભ મળ્યો મુંબઈના નાગરોને- પરંપરાગત થાળ ધરાવાયો

ટૂંક જ સમયમાં શ્રી નાગર મંડળ-અંધેરી ૬૦ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રાત્રિપૂજામાં થાળ ધરવાનો અને પૂજા કરવાનો લાભ મંડળને મળ્યો હતો. દરવર્ષે સુભાષ ભટ્ટ અને નમન મહારાજના સુસંગઠન હેઠળ અંબાજી ખાતે રાત્રિપૂજાનું આયોજન થતું હોય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે મંડળનાં પ્રમુખ અર્ચિતા મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી. 14 April, 2026 09:46 IST Mumbai | Dharmik Parmar
આ જાહેરાતનો ઉદ્દેશ્ય ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવાનો છે.

વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે ગ્લોબલ યુનિવર્સિટીની જાહેરાત કરી

અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાએ ગુજરાતના જામનગરમાં ‘વનતારા યુનિવર્સિટી’ની સ્થાપનાની જાહેરાત કરી છે. આ યુનિવર્સિટીને વન્યજીવન સંરક્ષણ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે સમર્પિત વિશ્વની પ્રથમ સંકલિત વૈશ્વિક સંસ્થા તરીકે બિરદાવવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવાનો છે. 10 April, 2026 09:17 IST Jamnagar | Gujarati Mid-day Online Correspondent
શ્રી એકલિંગજીદાદાની પૂજાવિધિમાં જોડાયેલા જ્ઞાતિજનો

શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વિકાસ સમાજે શ્રી એકલિંગજી દાદાનો પાટોત્સવ ઊજવ્યો

શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વિકાસ સમાજ (બાવન વિભાગ) દ્વારા તાજેતરમાં શ્રી એકલિંગજીદાદાના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈમાં વસતા જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. 09 April, 2026 11:59 IST Mumbai | Dharmik Parmar
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ચંદ્રકાંત શાહને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: `કોઈ ભૂખ્યું ન સુએ`ના મિશન સાથે, ચંદ્રકાંત શાહની અનોખી પહેલ

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું ચંદ્રકાંત શાહને જેઓ મુંબઈમાં સમાજ સેવા કરવા માટે અનોખી પહેલ કરી રહ્યા છે, સાથે જ યુવાનો માટે કેટલીક મોટી તકો પણ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તો ચાલો જાણીએ ચંદ્રકાંત શાહ અને સામાજિક કર્યો અને જીવન વિશે. 08 April, 2026 02:19 IST Mumbai | Viren Chhaya
સમાજના વાર્ષિક ઈનામી મેળાવડો

મુંબઈ: મોઢ વણિક સમાજે વાર્ષિક મેળાવડો યોજી સમાજના તારલાઓને બિરદાવ્યા

મુંબઈના મોઢ વણિક સેવા સમાજનો વાર્ષિક ઈનામી મેળાવડો તા. ૨૨.૦૩.૨૦૨૬ના રવિવારે સાંજે અંધેરીમાં આવેલ જાનકીબાઈ હૉલમાં યોજાઇ ગયો. આ મેળાવડામાં સમાજના હીરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 08 April, 2026 02:16 IST Mumbai | Dharmik Parmar
મોસમ મહેતા અને મલકા મહેતાના તાલે મોજ કરતા નાગરો

ખલાસી ગર્લ્સે નાગર મંડળના મહાપાટોત્સવમાં ધૂમ મચાવી... હેમા દેસાઈ રહ્યાં હાજર

શ્રી નાગર મંડળ, અંધેરી હરહંમેશ નવા નવા કાર્યક્રમો અને મહોત્સવો માટે ઉત્સાહિત રહેતું હોય છે. વર્ષ ૧૯૬૬માં સ્થપાયેલ આ મંડળ ટૂંક જ સમયમાં સાઈઠ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે હાટકેશ જયંતીના ઉપલક્ષમાં મહાપાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હીરક જયંતી ઊજવી રહેલા SNMAનાં પ્રમુખ અર્ચિતા મહેતા અને ઉપપ્રમુખ જાગૃતિ વૈષ્ણવના નેજા હેઠળ સમગ્ર કારોબારી સમિતિએ અથાક મહેનત કરીને ઇષ્ટદેવ મહાદેવને રીઝવવા મહાલઘુરુદ્ર પૂજા સહિતના આયોજનો સફળતાપૂર્વક યોજીને આશરે અઢીસો જેટલા નાગરોને ભક્તિ અને આનંદમાં તરબોળ કર્યા હતા. 07 April, 2026 12:06 IST Mumbai | Dharmik Parmar
પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વની ઊજવણીની તસવીરોનું કૉલાજ

રાજકોટ: ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’નું આયોજન, મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી

19મી સદીના આત્મજ્ઞાની સંત Shrimad Rajchandraના 125મા સમાધિદિન નિમિત્તે રાજકોટમાં “પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ 4 એપ્રિલથી 7 એપ્રિલ 2026 દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે યોજાઈ રહ્યું છે. આ આયોજન Shrimad Rajchandra Gyan Mandir Trust દ્વારા કરવામાં આવ્યું છે. 06 April, 2026 06:51 IST Rajkot | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK