છેલ્લા ત્રણ દિવસોથી મેઘરાજાએ મુંબઈને ઘમરોળ્યું છે. આજે પણ સવારથી જ મુંબઈમાં રેડ અલર્ટ વચ્ચે ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ ૭૦-૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની આગાહી આપી છે. વેસ્ટર્ન રેલવે પણ પ્રભાવિત થયાનું સામે આવ્યું છે. વસઇથી વિરાર વચ્ચે લોકલસેવા ટેમ્પરરી ધોરણે બંધ કરવામાં આવતા બોરિવલી સ્ટેશન પર પેસેન્જર્સ અટવાયેલા જોવા મળ્યા હતા. (ફોટોઝ- સતેજ શિંદે)06 July, 2026 01:48 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં ગઇકાલે મુશળધાર વરસાદ અને જોરદાર ફૂંકાયેલા પવનોને કારણે ઠેરઠેર વૃક્ષો ઊખડી પડ્યાંની ઘટના સામે આવી હતી. ઘણે ઠેકાણે વિશાળકાય ઝાડની મસમોટી ડાળખીઓ તૂટી પડવાની બીના પણ બની હતી. જુઓ મુંબઈમાં ક્યાં ક્યાં બન્યું આવું?06 July, 2026 07:14 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
અયોધ્યા રામ મંદિર માટે દાન ચોરી અને ગેરરીતિના આરોપોના જવાબમાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ `રામરક્ષા આંદોલન` શરૂ કર્યું છે. રવિવાર, 5 જુલાઈના રોજ, શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં મુંબઈના દાદરમાં હનુમાન મંદિરમાં `રામરક્ષા મહા-આરતી`નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ સંજય રાઉત અને નેતા આદિત્ય ઠાકરે સહિત મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. (તસવીરો: શાદાબ ખાન)05 July, 2026 09:37 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ (Mumbai) અને તેની આસપાસના વિસ્તારોમાં ગુરૂવારે પણ મુશળધાર વરસાદ (Mumbai Rains)નો પ્રકોપ ચાલુ રહ્યો છે, જેના કારણે શહેરના અનેક ભાગોમાં ભારે જળબંબાકાર થયો છે અને સવારના વ્યસ્ત સમયે ઓફિસ કે કામે નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે `રેડ એલર્ટ` જારી કરીને આગામી સમયમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. જોકે, આ બધા વચ્ચે મુંબઈકર્સનું જીવન અટક્યું નથી.
(તસવીરોઃ સતેજ શિંદે)02 July, 2026 02:45 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં ગઇકાલે અતિશય જોરદાર પવનો ફૂંકાયા હતા, અને વરસાદે ધબધાટી બોલાવી હતી. ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા તો ક્યાંક મુંબઈગરાઓને ટ્રાફિક જૅમની સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો હતો. વરસાદે કરેલ મુંબઈવાસીઓના બેહાલનો આ અહેવાલ02 July, 2026 11:29 IST Mumbai | Gujarati Mid-day Correspondent
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીની ઘટના બાદ ભાવિકોની આ માન્યતા વધુ દૃઢ બની રહી છે. ચડાવાની ચોરીના મામલે સોશ્યલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતાં અભિનેતા મુકેશ ખન્નાએ અપીલ કરી છે કે પૈસા અને દાગીનાનો ચડાવો બંધ કરી દો, ચડાવો જ નહીં થાય તો ગોટાળો પણ નહીં થાય. આ મુદ્દે ‘મિડ-ડે’એ કેટલાક ભાવિકો સાથે વાત કરતાં તારણ નીકળ્યું કે ટ્રાન્સપરન્સી ન હોય ત્યાં દાન આપવાનો અર્થ નથી એવું હવે લોકો માનવા લાગ્યા છે 02 July, 2026 08:13 IST Mumbai | Varsha Chitaliya
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું હેમરાજ શાહને. હેમરાજ શાહ આ નામ તો મુંબઈમાં ખૂબ જ જાણીતું છે. તેમના સમાજસેવાના કાર્યો હોય કે પછી પત્રકાર, લેખક, ઉદ્યોગપતિ, સંગઠનકાર, ભાષાપ્રેમી, રાજકીય કાર્યકર અને ગુજરાતી અસ્મિતાના અડગ પ્રહરી તરીકે તેમણે છેલ્લા છ દાયકાથી વધુ સમય દરમિયાન અનેક ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. હેમરાજ શાહ વિશે લખવું એટલે માત્ર એક વ્યક્તિની સફળતાની વાત કરવી નહીં, પરંતુ એક એવા જીવનપ્રવાહની વાત કરવી, જેણે હજારો લોકોને સ્પર્શ્યા છે. ગુજરાતી ભાષા હોય કે કચ્છની ઓળખ, સમાજસેવા હોય કે સાહિત્ય, યુવાનોને પ્રોત્સાહન આપવાનું હોય કે સંગઠન ઊભું કરવું, દરેક ક્ષેત્રમાં તેમણે પોતાની આગવી છાપ છોડી છે. પરંતુ કદાચ તેમની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેમણે પોતાના માટે નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે કામ કર્યું. મહારાષ્ટ્રમાં હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ અને રોજગારીની નવી તકો અપાવતી OBC માન્યતાની લડત હોય કે ગુજરાત ભવન જેવા સ્વપ્નને સાકાર કરવાનું કાર્ય, હેમરાજ શાહે કર્યું છે. સાથે જ તેમનો મરાઠી ભાષા પ્રેમ પણ દેખાઈ આવે છે. ગુજરાતી સાથે મરાઠી બન્ને ભાષાઓ માટે તકો અને નિબંધ સ્પર્ધાઓ પણ તેમણે યોજી. તો ચાલો જાણીએ હેમરાજ શાહની કાર્યસિદ્ધિઓ વિશે.01 July, 2026 02:22 IST Mumbai | Viren Chhaya
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK