શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વિકાસ સમાજ (બાવન વિભાગ) દ્વારા તાજેતરમાં શ્રી એકલિંગજીદાદાના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈમાં વસતા જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.09 April, 2026 11:59 IST Mumbai | Dharmik Parmar
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું ચંદ્રકાંત શાહને જેઓ મુંબઈમાં સમાજ સેવા કરવા માટે અનોખી પહેલ કરી રહ્યા છે, સાથે જ યુવાનો માટે કેટલીક મોટી તકો પણ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તો ચાલો જાણીએ ચંદ્રકાંત શાહ અને સામાજિક કર્યો અને જીવન વિશે.08 April, 2026 02:19 IST Mumbai | Viren Chhaya
મુંબઈના મોઢ વણિક સેવા સમાજનો વાર્ષિક ઈનામી મેળાવડો તા. ૨૨.૦૩.૨૦૨૬ના રવિવારે સાંજે અંધેરીમાં આવેલ જાનકીબાઈ હૉલમાં યોજાઇ ગયો. આ મેળાવડામાં સમાજના હીરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.08 April, 2026 02:16 IST Mumbai | Dharmik Parmar
શ્રી નાગર મંડળ, અંધેરી હરહંમેશ નવા નવા કાર્યક્રમો અને મહોત્સવો માટે ઉત્સાહિત રહેતું હોય છે. વર્ષ ૧૯૬૬માં સ્થપાયેલ આ મંડળ ટૂંક જ સમયમાં સાઈઠ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે હાટકેશ જયંતીના ઉપલક્ષમાં મહાપાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હીરક જયંતી ઊજવી રહેલા SNMAનાં પ્રમુખ અર્ચિતા મહેતા અને ઉપપ્રમુખ જાગૃતિ વૈષ્ણવના નેજા હેઠળ સમગ્ર કારોબારી સમિતિએ અથાક મહેનત કરીને ઇષ્ટદેવ મહાદેવને રીઝવવા મહાલઘુરુદ્ર પૂજા સહિતના આયોજનો સફળતાપૂર્વક યોજીને આશરે અઢીસો જેટલા નાગરોને ભક્તિ અને આનંદમાં તરબોળ કર્યા હતા.07 April, 2026 12:06 IST Mumbai | Dharmik Parmar
19મી સદીના આત્મજ્ઞાની સંત Shrimad Rajchandraના 125મા સમાધિદિન નિમિત્તે રાજકોટમાં “પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ 4 એપ્રિલથી 7 એપ્રિલ 2026 દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે યોજાઈ રહ્યું છે. આ આયોજન Shrimad Rajchandra Gyan Mandir Trust દ્વારા કરવામાં આવ્યું છે.06 April, 2026 06:51 IST Rajkot | Gujarati Mid-day Online Correspondent
બ્રાહ્મણ પ્રીમિયર લીગ (Brahman’s Premier League - BPL)નું દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંદિવલી (Kandivali)માં આયોજન કરવમાં આવ્યું હતું. ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૬ (Tennis Cricket Tournament 2026)માં આ વર્ષે કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો. બ્રાહ્મણ સમાજને એક છત નીચે લાવવાના હેતુથી દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન રોટરી ડિસ્ટ્રિક્ટના ધરતી જોષી (Dharti Joshi) દ્વારા કરવામાં આવે છે. બ્રાહ્મણ પ્રીમિયર લીગનું આ ૧૧મું વર્ષ હતું.06 April, 2026 03:30 IST Mumbai | Rachana Joshi
ઘાટકોપરમાં યોજાયેલા EntrepreNaari 2.0માં મુંબઈ મેયર રિતુ તાવડેએ હાજર રહી મહિલાઓને પ્રોત્સાહન આપ્યું, સેમિનાર અને ટ્રેડ ફેરમાં 50થી વધુ મહિલા ઉદ્યોગકારોએ ભાગ લીધો અને 2000થી વધુ લોકો જોડાયા.06 April, 2026 03:25 IST Mumbai | Shilpa Bhanushali
મુંબઈમાં યોજાયો રંગોલી પાવર વુમન સમિટ અને ઍવોર્ડ્સ 2026 પ્રેરણાદાયક સફર સાથે પૂર્ણ થયો. આ કાર્યક્રમનું આયોજન UNIMO `યુનિવર્સ ઓફ મોમ્સ` દ્વારા કરવામાં આવ્યું હતું, જે મહિલા સશક્તિકરણ માટે સમર્પિત પ્લેટફોર્મ છે જે દેશભરમાં 700,000 થી વધુ માતાઓ અને 22 પ્રકરણોનો સમુદાય ધરાવે છે.03 April, 2026 05:25 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK