પુણેમાં ગુરુવારે કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે એક મહિલાનું મોત થયું. આ ઘટના સિંહગઢ રોડ વિસ્તારમાં બની હતી, જ્યાં ઝાડ પડવાથી 60 વર્ષીય મહિલાનું મોત થયું હતું. (તસવીરો: અર્ચના દહીવાલ)02 April, 2026 07:54 IST Pune | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજના આપણાં વન્ડર વુમન છે, ઇન્દ્રાવતી ઝાલા. આણંદ જિલ્લાના સુંદલપુરા જેવા નાનકડાં ગામમાં સામાન્ય ખેડૂ પરિવારમાં જન્મેલાં ઇન્દ્રાવતી ઝાલા જેમણે કદાચ મુંબઈ આવવું સપનેય નહીં વિચાર્યું હોય તેઓ આજે મુંબઈમાં અનેક ક્ષેત્રોમાં મુંબઈની છોકરીઓ કરતાં વધારે ક્ષેત્રોમાં કાઠું કાઢી રહ્યાં છે. ઇન્દ્રાવતીને ગામડાની છોકરીઓની જેમ પશુપાલન અને ખેતીકામ તો આવડે જ છે પણ સાથે તેઓ અનેક વાહનો જેમ કે બાઈક, ટ્રેક્ટર અને ગાડી પણ જાતે ચલાવતાં શીખ્યા છે. આ સિવાય શિક્ષણ ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ તેમણે ખૂબ જ નાની ઉંમરે મેળવી છે તો આજે જાણો તેમના વિશે વધુ...01 April, 2026 09:51 IST Mumbai | Shilpa Bhanushali
મુંબઈના ચંદનવાડી સ્મશાનગૃહમાં દિગ્ગજ ઉદ્યોગપતિ વિજયપત કે. સિંઘાનિયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 87 વર્ષની વયે તેમના અવસાન બાદ, તેમનો પરિવાર, નજીકના મિત્રો અને અનેક અગ્રણી હસ્તીઓ તેમને અંતિમ વિદાય આપવા માટે એકઠા થયા હતા. અંતિમ સંસ્કાર સમારોહમાં ગૌરવપૂર્ણ અને ભાવનાત્મક વાતાવરણ સર્જાયું હતું. (તસવીરો: અતુલ કાંબળે)29 March, 2026 08:25 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હીમાં નીલકંઠ વર્ણીની ૧૦૮ ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ભગવાન સ્વામિનારાયણના બાળ તપસ્વી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતી આ મૂર્તિ નીલકંઠ વર્ણીને એક પગ પર ગહન ધ્યાનમગ્ન અવસ્થામાં દર્શાવે છે. બાળ સ્વરૂપે ચાર માસ સુધી નિર્જલ અને નિરન્ન રહીને પુલહાશ્રમમાં કરેલા તપનું આ જીવંત પ્રતિબિંબ છે. માત્ર ૧૧ વર્ષની ઉંમરે શરૂ થયેલી સમગ્ર ભારતભરની તેમની સાત વર્ષની કલ્યાણયાત્રાનું આ દિવ્ય પ્રતિનિધિત્વ છે. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને પાવન સાન્નિધ્યમાં અતિશય શ્રદ્ધા અને ભવ્યતા સાથે યોજાયો. વૈદિક વિધિઓ અને અનુષ્ઠાનોમાં વિશ્વભરમાંથી આવેલા હજારો હરિભક્તોએ ભાગ લીધો.26 March, 2026 02:16 IST Delhi | Gujarati Mid-day Online Correspondent
જાણીતાં કવયિત્રી-વાર્તાકાર ઉષા ઉપાધ્યાયે વર્ષ ૨૦૧૮માં સ્થાપેલી સંસ્થા વિશ્વભારતી સંસ્થાન લેખિકાઓને, કવયિત્રીઓને તેમજ અનુવાદકને તથા કળાના કોઈ પણ ક્ષેત્રે પ્રવૃત્ત સ્ત્રીઓને મંચ આપવાનું તથા પોંખવાનું કાર્ય કરે છે. તાજેતરમાં વિશ્વભારતી સંસ્થાન અમદાવાદ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વિશ્વ લાડ પરિષદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ `જૂઈ-મેળો`નું ભવ્ય વાર્ષિક અધિવેશન મુંબઈમાં યોજાયું હતું.26 March, 2026 11:53 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું રણજીત ઠાકોરને જેમણે પર્યાવરણ બચાવવાનું બીડું પોતાના ખભા પર ઉપાડ્યું છે. તે અમદાવાદમાં રજિસ્ટર્ડ વન્યજીવન રેસ્કયુઅર છે. આવો તેમના વિશે વધુ જાણીએ...25 March, 2026 09:31 IST Mumbai | Hetvi Karia
મુંબઈ પોલીસે ચોરાયેલી, ખોવાયેલી અને જપ્ત કરેલી મિલકત તેના હકદાર માલિકોને પરત કરવા માટે પગલાં લીધા છે. ગોવંડીમાં આયોજિત એક કાર્યક્રમમાં વસ્તુઓ સોંપવામાં આવી હતી. (તસવીરો: મિડ-ડે)25 March, 2026 04:11 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK