મુંબઈ (Mumbai) અને તેની આસપાસના વિસ્તારોમાં ગુરૂવારે પણ મુશળધાર વરસાદ (Mumbai Rains)નો પ્રકોપ ચાલુ રહ્યો છે, જેના કારણે શહેરના અનેક ભાગોમાં ભારે જળબંબાકાર થયો છે અને સવારના વ્યસ્ત સમયે ઓફિસ કે કામે નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે `રેડ એલર્ટ` જારી કરીને આગામી સમયમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. જોકે, આ બધા વચ્ચે મુંબઈકર્સનું જીવન અટક્યું નથી.
(તસવીરોઃ સતેજ શિંદે)02 July, 2026 02:45 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં ગઇકાલે અતિશય જોરદાર પવનો ફૂંકાયા હતા, અને વરસાદે ધબધાટી બોલાવી હતી. ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા તો ક્યાંક મુંબઈગરાઓને ટ્રાફિક જૅમની સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો હતો. વરસાદે કરેલ મુંબઈવાસીઓના બેહાલનો આ અહેવાલ02 July, 2026 11:29 IST Mumbai | Gujarati Mid-day Correspondent
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીની ઘટના બાદ ભાવિકોની આ માન્યતા વધુ દૃઢ બની રહી છે. ચડાવાની ચોરીના મામલે સોશ્યલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતાં અભિનેતા મુકેશ ખન્નાએ અપીલ કરી છે કે પૈસા અને દાગીનાનો ચડાવો બંધ કરી દો, ચડાવો જ નહીં થાય તો ગોટાળો પણ નહીં થાય. આ મુદ્દે ‘મિડ-ડે’એ કેટલાક ભાવિકો સાથે વાત કરતાં તારણ નીકળ્યું કે ટ્રાન્સપરન્સી ન હોય ત્યાં દાન આપવાનો અર્થ નથી એવું હવે લોકો માનવા લાગ્યા છે 02 July, 2026 08:13 IST Mumbai | Varsha Chitaliya
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું હેમરાજ શાહને. હેમરાજ શાહ આ નામ તો મુંબઈમાં ખૂબ જ જાણીતું છે. તેમના સમાજસેવાના કાર્યો હોય કે પછી પત્રકાર, લેખક, ઉદ્યોગપતિ, સંગઠનકાર, ભાષાપ્રેમી, રાજકીય કાર્યકર અને ગુજરાતી અસ્મિતાના અડગ પ્રહરી તરીકે તેમણે છેલ્લા છ દાયકાથી વધુ સમય દરમિયાન અનેક ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. હેમરાજ શાહ વિશે લખવું એટલે માત્ર એક વ્યક્તિની સફળતાની વાત કરવી નહીં, પરંતુ એક એવા જીવનપ્રવાહની વાત કરવી, જેણે હજારો લોકોને સ્પર્શ્યા છે. ગુજરાતી ભાષા હોય કે કચ્છની ઓળખ, સમાજસેવા હોય કે સાહિત્ય, યુવાનોને પ્રોત્સાહન આપવાનું હોય કે સંગઠન ઊભું કરવું, દરેક ક્ષેત્રમાં તેમણે પોતાની આગવી છાપ છોડી છે. પરંતુ કદાચ તેમની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેમણે પોતાના માટે નહીં, પરંતુ આવનારી પેઢીઓ માટે કામ કર્યું. મહારાષ્ટ્રમાં હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ અને રોજગારીની નવી તકો અપાવતી OBC માન્યતાની લડત હોય કે ગુજરાત ભવન જેવા સ્વપ્નને સાકાર કરવાનું કાર્ય, હેમરાજ શાહે કર્યું છે. સાથે જ તેમનો મરાઠી ભાષા પ્રેમ પણ દેખાઈ આવે છે. ગુજરાતી સાથે મરાઠી બન્ને ભાષાઓ માટે તકો અને નિબંધ સ્પર્ધાઓ પણ તેમણે યોજી. તો ચાલો જાણીએ હેમરાજ શાહની કાર્યસિદ્ધિઓ વિશે.01 July, 2026 02:22 IST Mumbai | Viren Chhaya
અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે બપોરે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં રસ્તાની બાજુમાં પીપળાનું ઝાડ ઉખડીને સ્કૂલ બસ પર અથડાતાં ૧૧ વર્ષના એક વિદ્યાર્થીનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. (તસવીરો/સાર્થક મહેતા અને સ્પેશિયલ અરેન્જમેન્ટ્સ)30 June, 2026 09:27 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ રવિવાર, 28 જૂન, 2026 ના રોજ આંધ્રપ્રદેશમાં તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી. તેમની મુલાકાત દરમિયાન, તેમણે વહેલી સવારે પવિત્ર સુપ્રભાત સેવા વિધિમાં ભાગ લીધો, પરંપરાગત વાળ અર્પણ (મુંડન) કર્યું, અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) માટે ઘણી મહત્તવપૂર્ણ જાહેરાતો કરી. તેમની મુલાકાતમાં માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં પરંતુ પર્યાવરણીય સંરક્ષણ, પ્રાણી કલ્યાણ અને યાત્રાળુઓની સુવિધાઓ સંબંધિત પહેલોનો પણ સમાવેશ થાય છે. (તસવીરો: સોશિયલ મીડિયા)28 June, 2026 06:06 IST Tirupati | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ (Mumbai)ના મલાડ (Malad)માં આવેલી ઓરિસ સેરેનિટી (Auris Serenity) સોસાયટીના જૈન સમાજ દ્વારા મુનિસુવ્રત દેરાસર પ્રતિષ્ઠા મહોત્સવ (Munisuvrat Derasar Pratishtha Mahotsav)ની ઉજવણી અત્યંત ભક્તિભાવ, એકતા અને ભવ્ય સહભાગિતા સાથે કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક રહીશો, મુંબઈ બહારથી આવેલા મુલાકાતીઓ અને વ્યાપક જૈન સમાજના સભ્યો સહિત આશરે ૨૦,૦૦૦ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સોસાયટીના રહેવાસીઓના સામૂહિક પ્રયાસો અને મજબૂત સમર્થનથી નિર્મિત આ દેરાસર, દૈનિક સેવા-પૂજાની સુવિધા ઘરની નજીક લાવીને વરિષ્ઠ નાગરિકો, બાળકો અને પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા રાખવામાં આવી રહી છે. ચાલો જોઈએ આ મહોત્વસની એક ઝલક.27 June, 2026 12:15 IST Mumbai | Rachana Joshi
CNN અનુસાર, વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે બુધવારે દેશમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી. અધિકારીઓએ કેટલાક લોકોના મોતની પુષ્ટિ કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. (ફોટા/ANI)25 June, 2026 04:15 IST Venezuela | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK