અમદાવાદમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ ૧૪૯મી રથયાત્રા ઃ સંભવિત રીતે પહેલી વાર એવું બન્યું કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં ચાલતા જોવા મળ્યા ઃ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પ્રભુને વધાવ્યા ગુલાબનાં ફૂલોથી ઃ ઈરાન-અમરિકા યુદ્ધ તેમ જ હોર્મુઝની ખાડી, ગૅસ, પેટ્રોલના ટૅબ્લો અને પેઇન્ટિંગ્સે જમાવ્યું આકર્ષણ ઃ હાથીઓના બંધાયા પગ: અમિત શાહ મંગળા આરતીમાં થયા સહભાગી. ગુજરાતમાં ગઈ કાલે અષાઢી બીજે અમદાવાદના જગન્નાથજી મંદિરેથી હર્ષોલ્લાસપૂર્વક નીકળેલી પૌરાણિક, ઐતિહાસિક ૧૪૯મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ભક્તિભાવપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. નગરજનોને વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથજી દર્શન આપવા માટે સામે ચાલીને નગરમાં નીકળે છે ત્યારે નગરમાં પધારેલા નગરના નાથ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને ભક્તજનોએ અક્ષત કુમકુમ અને ફૂલોથી વધાવ્યાં હતાં. સમી સાંજે અમદાવાદમાં મેઘરાજાએ પધરામણી કરી અમીછાંટણાં કર્યાં હતાં.આ વખતે નીકળેલી રથયાત્રામાં સંભવિત રીતે આવું પહેલી વાર બન્યું છે કે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી ચાલતા જોવા મળ્યા હતા. મહંત દિલીપદાસજી મહારાજ રથયાત્રામાં મંદિરેથી જમાલપુર દરવાજા તરફ અને ત્યાંથી આગળ પગપાળા જતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે રથયાત્રામાં મહંત જીપમાં બેસતા હોય છે, પરંતુ તેઓ હાથીઓની સાથે-સાથે ચાલતા જતા હતા. રથયાત્રાનાં દર્શન કરવા આવેલા અગણીત ભક્તજનોને પણ મહંતને આમ પગપાળા ચાલતા જોઈને અચરજ થયું હતું અને સાથે-સાથે આનંદ પણ થયો હતો કે મહંત પદયાત્રા કરી રહ્યા છે. ધાર્મિકજનોએ મહંતના આશીર્વાદ પણ લીધા હતા. જોકે પાછળથી તેઓ જીપમાં બેસીને રથયાત્રાના રૂટ પર આગળ વધ્યા હતા.17 July, 2026 02:22 IST Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઉંદરડા, માખીઓ અને એક્સપાયરી ડેટ વટાવી ગયેલો માલ પકડાતાં મુંબઈની પ્રતિષ્ઠિત કે. રુસ્તમ આઇસક્રીમ પાર્લરનું લાઇસન્સ રદ થવું એ ખાવાના શોખીન મુંબઈકરો માટે બહુ મોટો ધ્રાસકો છે. આટલી જૂની અને બ્રૅન્ડેડ શૉપમાં મળતી ફૂડ-આઇટમો પણ જો સેફ નથી તો હવે ક્યાં જવું? બહાર ખાવાની બાબતમાં મુંબઈના ફૂડીઝ અત્યારે શું વિચારે છે અને કઈ સાવધાની તેઓ રાખવાના છે એ વિશે વાત કરીએ.
૭૩ વર્ષ જૂની મુંબઈની આઇકૉનિક આઇસક્રીમ શૉપ મનાતી કે. રુસ્તમ ઍન્ડ કંપનીનું ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા એકઝાટકે લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું. કારણ? બન્યું એવું કે ‘સેફ મહારાષ્ટ્ર, સેફ ફૂડ’ અભિયાન હેઠળ FDA દ્વારા મુંબઈનાં ૧૬ જેટલાં ફૂડ-આઉટલેટ્સમાં સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. એમાંથી ૧૦ આઉટલેટને ફૂડની ક્વૉલિટી સુધારવાની નોટિસ આપવામાં આવી અને છનાં તાત્કાલિક ધોરણે લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે. એમાં મુંબઈના પ્રતિષ્ઠિત આઇસક્રીમ પાર્લર કે. રુસ્તમનો પણ સમાવેશ થાય છે. આ સરપ્રાઇઝ વિઝિટ દરમ્યાન FDAને આઇસક્રીમ પાર્લરની અંદર અને સ્ટોરેજ એરિયામાં જીવતા ઉંદરો અને માખીઓ મળી આવ્યાં હતાં એટલું જ નહીં, આઇસક્રીમમાં વપરાતી કેટલીક ફ્લેવર્સ એક્સપાયરી ડેટ પાર કરી ગઈ હોવાનું સામે આવ્યું છે. આઇસક્રીમને સુરક્ષિત રાખવા માટે જરૂરી કોલ્ડચેઇન જાળવવામાં પણ બેદરકારી જોવા મળી હતી. છેલ્લા થોડાક સમયથી મહારાષ્ટ્ર FDAમાં આવેલા નવા કમિશનર તુકારામ મુંઢેએ ફૂડ-સેફ્ટીની બાબતમાં કડકાઈભર્યાં પગલાં લેવાનું શરૂ કર્યું છે અને ફૂડ-સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતાં
ફૂડ-આઉટલેટ્સ વિરુદ્ધ કડક પગલાં લેવાનું પણ શરૂ કર્યું છે. જોકે આ આખા ઘટનાક્રમે મુંબઈના ફૂડીઓની રાતોની ઊંઘ ખરાબ કરી દીધી છે. બહારનું સ્વાદિષ્ટ ખાવાના શોખીનોમાં એક ડર પેસી ગયો છે કે પોતે જ્યાં ખાઈ રહ્યા છે ત્યાંનું ખાવાનું સેફ તો હશેને? સેફ અને સ્વાદિષ્ટ ખાવું હોય તો હવે કોના પર ભરોસો કરવો? એનું કારણ એ કે બ્રૅન્ડેડ ફૂડ- આઉટલેટની ખાદ્ય સામગ્રીઓ અને હાઇજીન પણ હવે સવાલોના ઘેરામાં છે. મુંબઈના ફૂડ-લવર્સ અત્યારે શું વિચારી રહ્યા છે એ વિશે તેમની સાથે થયેલી વાતચીત પ્રસ્તુત છે.13 July, 2026 09:11 IST Mumbai | Ruchita Shah
મુંબઈના અંધેરી વેસ્ટમાં શુક્રવારે બપોરે એક મોટો અકસ્માત થયો. એક BEST બસ (ટાટા માર્કોપોલો, રૂટ નં. 242) એ કાબુ ગુમાવ્યો અને અનેક વાહનો સાથે અથડાઈ ગઈ. આ ઘટના બપોરે 3:40 વાગ્યાની આસપાસ S. V. રોડ પર અંધેરી સબવે નજીક બની હતી. પ્રાથમિક અહેવાલો મુજબ બસ ટ્રાફિક સિગ્નલ પર રાહ જોઈ રહેલા વાહનો સાથે અથડાઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને મોટી સંખ્યામાં વાહનોને નુકસાન થયું હતું. (તસવીરો: સાર્થક મહેતા અને મિડ-ડે)10 July, 2026 07:00 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
અરબી સમુદ્રમાં ભરતી બાદ ગુરુવારે મૂશળધાર વરસાદ ઓછો થતાં મુંબઈગરાંઓએ જે વસ્તુ દરિયામાં ફેંકી તે પાછી આપીને કુદરતની કરામત બતાવી હતી. દાદર બીચ આખો પ્લાસ્ટિકના કાદવમાં ઢંકાયેલો હતો એટલું જ નહીં શહેરી કાટમાળ, ભરતી દરમિયાન ધોવાઈ ગયેલા દરિયાઈ પ્રદૂષણની પર્યાવરણીય અસર અને કચરાના વ્યવસ્થાપનના પડકારોને પ્રકાશિત કરે છે. (તસવીરો મિડ-ડેના ફોટોગ્રાફર અતુલ કાંબળે)10 July, 2026 03:20 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
સતત ભારે વરસાદને કારણે વસઈ-વિરાર પ્રદેશના ઘણા ભાગો પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે ગંભીર પાણી ભરાઈ ગયા છે, લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે અને રોજિંદા જીવનને અસર થઈ છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને તેના ઉપનગરોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. (તસવીરો/મનજીત ઠાકુર)08 July, 2026 04:47 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાંચમી જુલાઇએ શ્રી નાગર મંડળ- અંધેરીનો હીરક જયંતી મહોત્સવ અતિ ઉલ્લાસપૂર્વક યોજાઇ ગયો. મંડળના સભ્યો અને આમંત્રિત મહેમાનોએ સૂર-સંગીતથી ભરી સોહામણી સાંજ માણી. જાણીતા સૂરસમ્રાટ હેમા દેસાઈ અને આલાપ દેસાઈએ વરસાદી સુગમસંગીત અને હિન્દી ગીતોથી મંડળના સાઇઠમા જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો. આવો, આ કાર્યક્રમની ઝલક માણીએ.08 July, 2026 02:28 IST Mumbai | Dharmik Parmar
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK