બુધવારે સવારે દાદરમાં શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના પત્ની સ્વર્ગસ્થ મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકવાના આરોપસર શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 298 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. (તસવીરો: આશિષ રાજે અને સૈયદ સમીર આબેદી)17 September, 2025 09:10 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇન્ડિયન રેલવે કૅટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા મુસાફરોની સુવિધાઓમાં અને મુસાફરીની સુવિધાઓમાં વધારો કરવા માટે ગુજરાતના વડનગર રેલવે સ્ટેશન પર એક આધુનિક ફૂડ પ્લાઝા શરૂ કરવામાં આવ્યો છે. (તસવીરો: રાજેન્દ્ર આકલેકર દ્વારા)17 September, 2025 06:12 IST Vadnagar | Gujarati Mid-day Online Correspondent
શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે બુધવારે મુંબઈના દાદર વિસ્તારમાં શિવાજી પાર્કની મુલાકાત લીધી હતી, કારણ કે તેમની માતા મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર રંગ ફેંકવામાં આવ્યો હતો. (તસવીરો: સમીર આબેદી)17 September, 2025 05:16 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું મીનુ જસદણવાલા (Minu Jasdanwala)ને, જેમણે શિક્ષણ અને ગાંધીવાદી વિચારસરણી દ્વારા અનેક બાળકોના જીવન બદલ્યા છે.17 September, 2025 02:39 IST Rajkot | Hetvi Karia
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આજે વિશ્વઆખું સૅલ્યુટ કરે છે ત્યારે વિશ્વના ૧૦ મહાનુભાવો દ્વારા વર્ણવવામાં આવેલી તેમની અદ્ભુત ક્વૉલિટી વિશે વાત કરીએ.
એ કહેવું જરા પણ અયોગ્ય નહીં ગણાય કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બત્રીસલક્ષણા છે, પરંતુ આજે આપણે તેમની ૧૦ ખાસમખાસ ક્વૉલિટીની વાત કરવાના છીએ જેમણે તેમને માનવમાંથી મહામાનવ બનાવવાનું કામ કર્યું છે. નરેન્દ્ર મોદીમાં રહેલી આ ૧૦ ક્વૉલિટી પણ એમ જ હવામાંથી લેવામાં નથી આવી. દુનિયા પર રાજ કરતા અને વૈશ્વિક સ્તરે નામના-લોકચાહના ધરાવતા મહાનુભાવોએ કોઈ ને કોઈ પ્રસંગે નરેન્દ્ર મોદીમાં રહેલી એ ક્વૉલિટી વિશે વાત કરી હતી. જાણીએ દુનિયાએ પારખેલી નરેન્દ્ર મોદીની એ ટૉપ ટેન પાવરફુલ ક્વૉલિટી વિશે.17 September, 2025 12:01 IST New Delhi | Rashmin Shah
મુંબઈમાં પૂર્વ-પશ્ચિમને જોડતા બ્રિજ તરીકે ઓળખાતા એક સદી કરતાં વધુ જૂના એલ્ફિન્સ્ટન રોડ ઓવર બ્રિજ (ROB) ને શુક્રવારે સાંજે તોડી પાડવાનું કામ શરૂ થયું જેથી તેનું પુનર્નિર્માણ સરળ થઈ શકે. (તસવીર/આશિષ રાજે)15 September, 2025 03:31 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK