Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાઇફસ્ટાઈલ સમાચાર ફોટોઝ

આજના કવિવારના એપિસોડમાં કવિ દેવાંગ પરીખ `રસિક`ની રચનાઓ

કવિવાર : ઉદાસી મારી તો પ્યોર વેજ છે- દેવાંગ પરીખ

મુંબઈના શાયર દેવાંગ પરીખની કલમ સાથે આજે તમને પરિચય કરાવવો છે. દેવાંગભાઈ પોતે ગણિતના શિક્ષક છે. ગણિત સાથે સતત જીવતા આ કવિ ગઝલ પર પણ સુંદર કલાકારી કરી જાણે છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. 20 August, 2025 06:55 IST Mumbai | Dharmik Parmar
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બાળકોમાં વર્ષભર દેશભક્તિ જીવંત રહે એ માટે તમે શું કરો છો?

આજના સ્વાતંયદિનના નિમિત્ત પર મિડ-ડેએ કેટલાક પેરન્ટ્સને કર્યો આ સવાલ આજે સ્વતંત્રતાદિવસ છે ત્યારે દેશભક્તિનો જુસ્સો ચારે બાજુ જોવા મળી રહ્યો છે. આ દિવસે દરેક જગ્યાએ ફ્લૅગ લહેરાય છે, દેશભક્તિનાં ગીતો ગુંજતાં હોય છે અને બાળકો ઉત્સાહપૂર્વક યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે, પરંતુ શું આ દેશપ્રેમનો ભાવ વર્ષભર બાળકોના દિલમાં જીવંત રહે છે? બાળકોમાં દેશપ્રેમ કેવી રીતે વિકસાવી શકાય? આ પ્રશ્ન જ્યારે ‘મિડ-ડે’એ પેરન્ટ્સને પૂછ્યો ત્યારે સૌનો એક જ સૂર હતો કે દેશપ્રેમ એ એક દિવસની ઉજવણી નથી, આખા વર્ષ દરમ્યાન રોજિંદા જીવનમાં પણ સમાજસેવાનાં સારાં કામો કરવાથી અને દેશ માટે જવાબદારીભર્યું વર્તન કરવાથી દેશપ્રેમ જીવંત રહે છે. 16 August, 2025 07:17 IST Mumbai | Urvi Shah Mestry
શ્રીકૃષ્ણને પંજરીનો પ્રસાદ ધરાવાય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ જાણીએ જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને પંજરી ધરવાનું મહત્વ અને રેસિપી

"નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી... હાથી, ઘોડા, પાલખી"... જેવા ભજન સાથે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ભક્તિભાવથી ઉજવાઈ રહ્યો છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિને ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવાની પરંપરા શતાબ્દીઓથી ચાલી આવે છે. આ દિવસે મંદિરો અને ઘરોમાં બાલગોપાલની મૂર્તિઓને સૌંદર્યથી શણગારી, આરતી અને ભોગ અર્પણ કરવામાં આવે છે. ભક્તિની મીઠાશ પ્રસાદ સ્વરૂપે વહેંચાય છે, જેનો સ્વાદ કોઈ તીર્થસ્થળના વિશિષ્ટ પ્રસાદ જેમ અદ્વિતીય હોય છે. જેમ અંબાજીનો મોહનથાળ, સોમનાથના ચીકી-લાડવા, મહુડીની સુખડી અથવા નડિયાદના સંતરામ મંદિરે પ્રસિદ્ધ દર પોષી પૂનમે બોરનો પ્રસાદ હોય છે. જેમ દરેક પ્રસાદનું એક ધાર્મિક અને પરંપરાગત મહત્વ છે, તેમ નાગ પાંચમના ખાજા, છઠની બાજરી ચોખાની કુલેર, શીતળા સાતમે ઠંડુ ભોજન અને જન્માષ્ટમી પર પંજરીનો પ્રસાદ ધરાવવાની પરંપરા પણ એટલી જ પાવન છે. ગુજરાતી ઘરોમાં ખીર, સુખડી, શીરો જેવી વાનગીઓ તહેવારો કે ખાસ પ્રસંગે પ્રસાદ રૂપે વારંવાર બનતી જ હોય છે. ભલે તે સરળ અને સામાન્ય સામગ્રીથી બને, તેમ છતાં એનો સ્વાદ કુદરતી રીતે એટલો મીઠો અને મનમોહક હોય છે કે વર્ણન કરવું મુશ્કેલ બને. એમ જ દરેક તહેવારમાં બનતા પ્રસાદનું પોતાનું આગવું મહત્વ અને નિરાળું સ્થાન હોય છે. કાન્હાજીના મધરાત્રીના જન્મસમયે ઉપવાસ પારણા માટે ભક્તો પંજરી ગ્રહણ કરીને વ્રત પૂર્ણ કરે છે, સાથે માખણ અને સાકર અર્પણ કરીને કાન્હાજી પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે. નવમીના દિવસે તો શ્રીકૃષ્ણને છપ્પન ભોગ અર્પણ કરીને ભક્તિની પરાકાષ્ઠા ઉજવવામાં આવે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 16 August, 2025 07:16 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના 58મા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: પીઠ, નિતંબ અને પગની માંસપેશીઓને મજબૂત બનાવે છે આ આસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘એકાપદ સર્વાંગ સેતુ બંધાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં. 15 August, 2025 07:09 IST Mumbai | Shilpa Bhanushali
હોમ ડેકોર

હોમ ડેકોરમાં બ્રાસનો ઉપયોગ રૉયલ ફીલ આપશે

મૉડર્ન હોમ ડેકોરમાં બ્રાસનું સ્થાન ખાસ છે. ઘરમાં એને અલગ-અલગ અને યુનિક રીતે સામેલ કરશો તો તમારા ઘરની શોભામાં ચાર ચાંદ લગાવશે ઘરના ઇન્ટીરિયરની સાથે એ સુંદર દેખાય એ માટે ડેકોરને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારો મૉડર્ન હોમ ડેકોરમાં મેટલિક ટચ આપવાનો ક્રેઝ વધી રહ્યો છે. મેટલની વાત આવે એટલે સૌથી ટકાઉ અને રૉયલ ફીલ આપે એવા બ્રાસનું સ્થાન ખાસ છે. જો તમે તમારા ઘરમાં બ્રાસને સામેલ કરવા માગો છો તો એનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે કરશો એ જાણી લો જેથી તમારા ઘરની સુંદરતા બમણી થાય અને દેખાવમાં આકર્ષક લાગે. 13 August, 2025 03:09 IST Mumbai | Gujarati Mid-day Correspondent
૬ મૉન્સૂન ડ્રિન્ક પીને રહો સ્વસ્થ

આ ૬ મૉન્સૂન ડ્રિન્ક પીને રહો સ્વસ્થ

ઉનાળામાં ​શરીરને ઠંડક આપે એવાં રિફ્રેશિંગ ડ્રિન્ક્સ હોય એવી જ રીતે ચોમાસામાં પણ કેટલાંક ડ્રિન્ક પીવાથી ઇમ્યુનિટી સારી રહે અને પાચન સુધરે  સામાન્ય રીતે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી બૅક્ટેરિયા, વાઇરસ, ફંગસનો વિકાસ અને ફેલાવો ઝડપથી થાય છે. એનાથી ફૂડ-પૉઇઝનિંગ, ટાઇફૉઇડ, ફ્લુ જેવા ઇન્ફેક્શનનું જોખમ વધે છે. વરસાદમાં ઠેર-ઠેર ભરાયેલા પાણીને લીધે મચ્છરોનો ઉપદ્રવ થાય છે જેને કારણે ડેન્ગી, મલેરિયા, ચિકનગુનિયાનું જોખમ વધે છે. ઉપરથી વરસાદમાં ક્યારેક ભેજવાળી હવા, ક્યારેક ઠંડી હવા, ક્યારેક વરસાદ પડતો હોવાથી શરીર પર સ્ટ્રેસ આવે છે. ભેજવાળા વાતાવરણમાં થાક પણ વધુ ફીલ થતો હોવાથી બૉડીનું ડિફેન્સ-મેકૅનિઝમ ધીમે કામ કરે છે. એટલે ચોમાસામાં આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખીને બીમારીથી બચવું ખૂબ જરૂરી છે. એ સિવાય ચોમાસામાં પાચક અગ્નિ કે જેને મેટાબોલિઝમ કહેવાય એ કુદરતી રીતે જ ધીમું પડી જાય છે. એટલે આ સમયગાળામાં પાચન સંબંધિત અનેક સમસ્યા છાશવારે થતી હોય છે. પાચન સરખી રીતે ન થતું હોવાથી શરીરને પોષક તત્ત્વો પણ સરખી રીતે મળતાં નથી તો એની અસર પણ ઇમ્યુનિટી પર થાય છે. એવા સમયે આજે અહીં વાત કરીએ એવા ડ્રિન્ક્સની જે તમારી ઇમ્યુનિટી પણ મજબૂત કરે અને પાચન પણ સુધારે. આપણે ડાયટિશ્યન શર્મિલા મહેતા પાસેથી ચોમાસામાં શરીરને ફાયદો પહોંચાડે એવાં ડ્રિન્ક્સ વિશે જાણી લઈએ.   13 August, 2025 02:55 IST Mumbai | Heena Patel
આજના કવિવારના એપિસોડમાં કવયિત્રી અંજના ભાવસાર `અંજુ`ની રચનાઓ

કવિવાર: તમારું સ્મિત મારી જિંદગીનો ઓક્સિજન લાગે! - અંજના ભાવસાર `અંજુ`

આજે કવિવારના એપિસોડમાં મુંબઈનાં કવયિત્રી અંજના ભાવસાર `અંજુ`ની કેટલીક રચનાઓ. અંજનાબહેનના માથે તો અનેક કળાના છોગાંવાળી પાઘડી છે. બેકિંગ હોય કે કથ્થક હોય તેઓ બધું જ કરી જાણે છે. તેમના હોઠે ભાષા પણ નૃત્ય કરે છે. તેમની રચનાઓ અનેક સામયિકો અને બ્લોગ્સમાં પ્રગટ થતી રહે છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. 12 August, 2025 11:04 IST Mumbai | Dharmik Parmar
શિવમંદિરો

તમે અમદાવાદમાં રહેતા હો તો પણ કદાચ આ શિવમંદિરો વિશે ન જાણતા હો એવું બની શકે છે

અમદાવાદમાં ભદ્રેશ્વરના આરાથી સપ્તર્ષિના આરા સુધીમાં અનેક પ્રાચીન દંતકથારૂપ શિવમંદિરો છે. કોઈ સાબરમતીના તટમાં ધરબાઈ ગયાં છે તો કોઈ છે અવાવરુ હાલતમાં. પાંચ પાંડવોએ સ્થાપેલાં શિવલિંગ, શિવજીનું ઋણ ઉતારવા રાજા ઇન્દ્રએ સ્થાપેલું શિવલિંગ, દધીચિ ઋષિનાં હાડકાંમાંથી ખડગ બનાવીને રાક્ષસનો નાશ કરી બનાવેલું શિવમંદિર અને એકસાથે બાર જ્યોતિર્લિંગ સાથેનું શિવાલય. ચાલો, શ્રાવણમાં ઐતિહાસિક શિવાલયોની સફરે ‘શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો...’ દેવાધિદેવ મહાદેવનાં શિવાલયોમાં આજકાલ અલખની આરાધનાનો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. શ્રાવણમાં શિવભક્તો ભોળા શંભુની પૂજાઅર્ચનામાં, ભજન-કીર્તનમાં લીન થઈ શિવજીને પ્રાર્થના કરી રહ્યા છે. ઘણા ભક્તો બાર જ્યોતિર્લિંગનાં કે પછી ભારતમાં આવેલાં પૌરાણિક શિવમંદિરોના દર્શને પણ નીકળતા હોય છે ત્યારે હેરિટેજ શહેર અમદાવાદમાં શિવાલયોનો ઇતિહાસ ધરબાયો છે. એક સમયે અમદાવાદ શહેરના કિલ્લાની બહારથી પસાર થતી સાબરમતી નદીના તટે અનેક શિવમંદિરોમાં ભક્તો પૂજાઅર્ચના કરવા આવતા. અમદાવાદમાં સાબરમતી નદીના તટે ભદ્રેશ્વરનો આરો, ભીમનાથનો આરો, દધીચિનો આરો, સોમનાથ ભુદરનો આરો અને સપ્તર્ષિ એટલે કે સાત ઋષિઓના આરા સહિત કેટલાય ઐતિહાસિક આરા આવેલા છે જ્યાં શિવમંદિરો સ્થપાયેલાં હતાં અને છે. ભદ્રેશ્વરના આરાથી લઈને સપ્તર્ષિના આરા સુધીમાં આવેલા અનેક પ્રાચીન શિવમંદિરો સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. પાંચ પાંડવોએ સ્થાપેલાં શિવલિંગ હોય કે પછી શિવજીનું ઋણ ઉતારવા રાજા ઇન્દ્રએ સ્થાપેલું શિવલિંગ હોય કે દધીચિ ઋષિનાં હાડકાંમાંથી ખડગ બનાવીને રાક્ષસનો નાશ કરી સ્થપાયેલું શિવલિંગ હોય કે એકસાથે બાર જ્યોતિર્લિંગ સાથેનું શિવમંદિર હોય, આ બધાં શિવાલયો અમદાવાદમાં કોટ વિસ્તાર તરફ નદીકિનારે આવેલાં છે, પણ કાળક્રમે કોઈ શિવમંદિર સાબરમતી નદીના ઘોડાપૂરમાં જમીનમાં ધરબાઈ ગયાં તો કેટલાંક શિવમંદિરો અવાવરું હાલતમાં મુકાઈ ગયાં છે તો કેટલાંક શિવાલયોમાં આજે પણ પૂજાઅર્ચના થઈ રહી છે. ઘણામ શિવાલયો પર હેરિટેજ સ્ટ્રક્ચરના સિમ્બૉલ પણ લગાવેલા છે. જોકે આજે તો સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનતાં શિવમંદિરો નદીકિનારાથી થોડાં દૂર થયાં છે.  પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સાબરમતીના તટે આવેલાં પૌરાણિક શિવાલયોની સફર કરીને ભોળા શંભુની ભક્તિ કરતાં શિવમંદિરો સાથે જોડાયેલી લોકવાયકાઓ-દંતકથાઓ મંદિરોના પૂજારીઓ, ટ્રસ્ટીઓ પાસેથી જાણીએ. તસવીરો : જનક પટેલ 10 August, 2025 04:54 IST Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK