Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાઇફસ્ટાઈલ સમાચાર ફોટોઝ

તિરૂપતિ બાલાજી મંદિર, ઘાટકોપર (પૂર્વ)

આસ્થાનું એડ્રેસ: કુંભ મેળામાં પણ મુંબઈનાં તિરૂપતિ મંદિરની છે બોલબાલા

આજે આપણે જે આસ્થાના એડ્રેસ પર જવાનાં છીએ તે તિરૂપતિ બાલાજી મંદિર છે. અને હા, આ સાઉથનું મંદિર નથી. પણ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં આવેલું છે. ઘાટકોપર પૂર્વમાં તિલક રોડ પર આ મંદિર આવેલું છે. અહીં જે ભગવાન વેંકટેશની મૂર્તિ છે તે તિરુપતિ બાલાજી મંદિરમાં આવેલી મૂર્તિ સમાન જ છે. તો, આવો મુંબઈનાં આ પ્રાચીન મંદિરનાં દર્શનાર્થે જઈએ. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. 21 January, 2025 12:00 IST Mumbai | Dharmik Parmar
શિયાળાની ઠંડીમાં માણવા જેવું છે રસના રેસ્ટોરન્ટનું સ્પેશ્યલ સરસોં દા સાગ, મક્કે દી રોટી, હળદરનું શાક અને હળદરનો શીરો...

જ્યાફત: રસના રેસ્ટોરન્ટનું સરસોં દા સાગ, હળદરનું શાક અને શીરો માણવો એ છે લ્હાવો

અમદાવાદ શહેરમાં ગણતરીની રેસ્ટોરન્ટ એવી છે કે જે ચાર દાયકા કે તેથી વધુ સમયથી ધમધમી રહી છે. આ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ એટલે સમજી લો કે સ્વાદિષ્ટ અને સ્ટાન્ડર્ડ ભોજનનું સરનામું. આંખો મીચીને જવાય તેવી જગ્યા. વળી આમાંની ઘણી રેસ્ટોરન્ટ તો એવી છે કે તેમણે સમયની સાથે બદલાવ કરીને પોતાના મેનુમાં જાતજાતની વાનગીઓ ઉમેરી છે અને લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. તે પૈકી અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ‘રસના રેસ્ટોરન્ટ’, 1988થી લોકોના હૃદય પર રાજ કરી રહી છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 17 January, 2025 09:49 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના 31મા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: કબજિયાત હોય ત્યારે પેટ સાફ કરવા માટે રામબાણ છે આ આસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉત્તાન વક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં. 16 January, 2025 10:00 IST Mumbai | Shilpa Bhanushali
કવિ રમેશ પારેખ

કવિવાર : એક છોકરો પતંગ લઈને દોડ્યો રે... રમેશ પારેખની કવિતાઓનું આકાશ

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવાં વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતાં હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દીવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેનાં થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાનાં જાણીતાં કવિઓનાં જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ. આપ સૌને મકરસક્રાન્તિની શુભકામનાઓ. આજે કવિવારમાં રમેશ પારેખની કવિતાઓ માણવાની છે. અમરેલીનું છ અક્ષરનું આ નામ જેણે ગુજરાતી કાવ્યસંસારને સમૃદ્ધ કર્યો. ‘ક્યાં’ (૧૯૭૦), ‘ખડિંગ’ (૧૯૭૯), ‘ત્વ’ (૧૯૮૦), ‘સનનન’ (૧૯૮૧), ‘ખમ્મા આલાબાપુને’ (૧૯૮૫) અને ‘વિતાન સુદ બીજ’ (૧૯૮૯) જેવા માતબર સંગ્રહો આપનાર આ સર્જકે સદાબહાર ગીતો, ગઝલો આપ્યા છે. બાળસાહિત્ય ક્ષેત્રે પણ તેઓનું માતબર પ્રદાન રહ્યું છે.  14 January, 2025 01:49 IST Mumbai | Dharmik Parmar
જલારામ પરોઠા હાઉસના ફેમસ પરોઠા અને તેના ઓરિજિનલ આઉટલેટ પર પૂજા સાંગાણી - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ અમદાવાદના ઓરિજનલ જલારામ પરોઠા હાઉસનો સ્વાદ બીજે ક્યાંય નહીં મળે

મિત્રો જો તમે અમદાવાદ આવશો અને એના કોઈપણ વિસ્તારમાં જશો તો ચારથી પાંચ દુકાનો એવી જોવા મળશે કે જેનું નામ જલારામ પરોઠા હાઉસ કે સેન્ટર કે એવા ભળતાં નામ હશે. આખા અમદાવાદમાં આવી ઓછામાં ઓછી 500 દુકાન હશે કે જેમાં ` જલારામ ` નામથી પરોઠા શાક અને કાઠીયાવાડી વેચવામાં આવે છે. પરંતુ જે ઓરીજનલ દુકાન છે કે જેનું નામ "જલારામ પરોઠા હાઉસ "છે અને તેના ઉપરથી આ બધાએ નકલ કરી છે તે ઓરિજિનલ જગ્યાએ હું જમવા ગઈ હતી અને એક નંબરનું જમવાનું અહીંયા પીરસાય છે. તો ચાલો 1989થી આબાદ આ જગ્યા વિશે હું તમને જણાવું. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 10 January, 2025 03:13 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના ૩૦માં એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શલભાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં. 09 January, 2025 03:30 IST Mumbai | Rachana Joshi
દહીંસર સ્થિત ભાટલા દેવી મંદિર

આસ્થાનું એડ્રેસ: મુંબઈના આ મંદિરમાં સગાઈ થઈ તો સાત જન્મો સુધી અકબંધ રહે છે જોડી

મુંબઈનાં વિવિધ શ્રદ્ધાસ્થાનોની મુલાકાતે આપણે જઈએ છીએ. એ જ શૃંખલામાં આજે તમને એક વિશિષ્ટ માન્યતાને કારણે ચર્ચામાં રહેતા મંદિરે લઈ જવા છે. અત્યારે લગ્નનો ગાળો છે. વર્ષ ૨૦૨૫માં નવયુગલો લગ્નગ્રંથિથી જોડાઈને જીવનનાં નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યાં છે ત્યારે મુંબઈના દહીંસરમાં આવેલ ભાટલા દેવી મંદિર વિષે જાણવું રોચક રહેશે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. 07 January, 2025 09:59 IST Mumbai | Dharmik Parmar
તસવીરો : પૂજા સાંગાણી

અમદાવાદમાં એવી જગ્યા જ્યાં મળે છે પરંપરાગત અને આરોગ્યવર્ધક સફેદ તલનું કચરિયું

ગુજરાતીઓ માટે શિયાળાનું આગમન માત્ર ગુલાબી કડકડતી ઠંડીને માણવાની ઋતુ જ નહીં પરંતુ ઠંડીને ખાસ ગરમ વસાણાની જ્યાફત માણવાની ઋતુ પણ ગણાય છે. આ ઋતુ લોકોની ઑલ ટાઈમ ફૅવરેટ એટલી છે કે જેની તેઓ આખું વર્ષ દીલથી રાહ જોતા હોય છે. શિયાળામાં, ખાસ કરીને ડિસેમ્બરથી - ફેબ્રુઆરી સુધી, ઘરે-ઘરે લોકો જાત-ભાતની ચીકીઓથી લઇ અલગ-અલગ સ્વાદના સ્વાસ્થ્યવર્ધક વસાણું પાક જેમકે ગુંદર પાક, મેથી પાક, આદુ પાક, પેદ, અડદિયા, કચરીયું અને સાલમપક લોકો આરોગે છે. એમાંય આ દિવસોમાં ખાસ રીતની બનાવટ અને સ્વાદ માટે જાણીતી વાનગીઓમાં એક છે સફેદ તલનું કચરિયું જે સૌની પસંદગીનું છે. આ વાનગી સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક સ્ત્રોતથી ભરપૂર શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે ઉત્તમ ઈલાજ છે. જે લોકો ઘરે ન બનાવી શકતા હોય તેઓ બહારથી ખરીદીને એન્જૉય કરતા હોય છે. એટલે બજારમાં અને દુકાનોમાં પણ એના ડબ્બાઓના ઢગલે ઢગલા જોવા મળે છે. તલ અને ગોળથી બનેલું આ આરોગ્યપ્રદ વસાણું શિયાળાની ઠંડીમાં શરીરને ગરમ રાખવાની સાથે શક્તિ પણ પૂરી પાડે છે. ચાલો તેના વિશે જાણીએ વધુ… ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 03 January, 2025 02:15 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK