અમદાવાદના નવરંગપુરા વિસ્તારની ચહલપહલ ભરેલી ગલીઓ વચ્ચે આવેલું નાનકડું પરંતુ અનોખું રેસ્ટોરન્ટ ‘નૈવેદ્યમ – ફ્લેવર્સ ઑફ બેંગલુરુ’ છેલ્લા છ મહિનાથી અમદાવાદના ફૂડલવર્સ માટે ખાસ પસંદગીનું સ્થાન બની ગયું છે. અમદાવાદની મધ્યમાં આવેલા સ્વસ્તિક ચાર રસ્તા નજીક નરનારાયણ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત છે. અહીં દરેક વાનગીમાં દક્ષિણ ભારતનો અસલ અને આત્મીય સ્વાદ અનુભવી શકાય છે. રેસ્ટોરન્ટના સ્થાપક શુભમ સિંહ, મૂળ તિરુવનંતપુરમના વતની અને બાયોલોજીમાં માસ્ટર્સ થયેલા યુવા ઉદ્યોગસાહસિક છે. શુભમ માટે ‘નૈવેદ્યમ’ માત્ર ઈડલી-ઢોસાની જગ્યા નહીં, પરંતુ બેંગલુરુની ઘરેલુ રસોઈની પરંપરા, શુદ્ધતા અને ભોજન પ્રત્યેની ભક્તિનો પ્રયાસ છે. અહીં બેન્ને ઢોસાથી લઈને ઉત્તપમ, થટ્ટે ઈડલી, ઘી પોડી ઢોસા, મયસુર પ્લેટર, મેંદુવડા, મસાલા ઇડલી, સંભાર ભાત, લેમન રાઈસ, ફિલ્ટર કોલ્ડ કોફી, બદામ મિલ્ક, મયસુર પાક વગેરે જેવી અનેક વાનગીઓ ઉપલબ્ધ છે. આ નાનકડા સ્થળે હંમેશાં સ્વાદરસિકોની ભારે ભીડનો જમાવડો જોવા મળે છે. હું સખી નિલોફર અને તેના ભાણેજ ઈઝહાન સાથે સાંજના સમયે પહોંચી હતી અને મારી એ સાંજ યાદગાર બની ગઈ હતી. ખરા અર્થમાં, અહીંના સ્વાદે દિલ જીતી લીધું એટલે મને લાગ્યું કે આ અનુભવ સૌ સુધી પહોંચાડવો જોઈએ.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)24 October, 2025 10:45 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘બેસીને પર્વતાસાન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.23 October, 2025 02:15 IST Mumbai | Rachana Joshi
આજના કવિવારના એપિસોડમાં જાગ્રત વ્યાસની રચનાઓ માણીએ. તેઓ `મધુકર`ના ઉપનામથી રચનાઓ લખે છે. ૨૦-૧૦-૧૯૭૭ના રોજ જન્મેલા આ કવિએ અંગ્રેજી વિષય સાથે બી.એડની ડીગ્રી મેળવેલ છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.21 October, 2025 11:50 IST Mumbai | Dharmik Parmar
ખુશી હોય કે ગમ, દરેક તહેવારોમાં પ્રકાશ અને સાઉન્ડનું અનેરું મહત્ત્વ છે. વિશ્વમાં કોઈ પણ મોટા પાયે ઊજવાતા તહેવારોમાં રોશની અને ફટાકડા અચૂક હાજર હોય છે. એની સાથે માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક જ નહીં, સાઇકોલૉજિકલ કારણો પણ જોડાયેલાં છે.
વિશ્વમાં અનેક સ્થળોએ પ્રકાશના ઉત્સવો ઊજવવામાં આવે છે. એમાં ઓસ્ટ્રેલિયામાં વિવિડ સિડની, નેધરલૅન્ડ્સમાં ઍમ્સ્ટરડૅમ લાઇટ ફેસ્ટિવલ, જર્મનીમાં બર્લિનમાં ફેસ્ટિવલ ઑફ લાઇટ્સ, નેધરલૅન્ડ્સમાં ગ્લો આઇન્ડહોવન, સિંગાપોરમાં આઇ લાઇટ સિંગાપોર, તાઇવાનના તાઇપેઇમાં પિંગ્ક્સી લૅન્ટર્ન ફેસ્ટિવલ, કોલંબિયાના મેડેલિનમાં અલુમ્બ્રાડોસ, ચેક રિપબ્લિકના પ્રાગમાં સિગ્નલ ફેસ્ટિવલ અને બ્રિટનના ડર્હમમાં લ્યુમિયર ડર્હમનો સમાવેશ થાય છે.
દિવાળી, જેને પ્રકાશના પર્વ તરીકે ઓળખવામાં આવે છે એ ભારતીય સંસ્કૃતિનો સૌથી તેજસ્વી અને આનંદમય ઉત્સવ છે. આ પર્વ માત્ર દીપ પ્રગટાવવાનો પ્રસંગ નથી પરંતુ માનવજીવનમાં પ્રકાશ, આશા અને નૈતિકતા જાગૃત કરવાનો સંદેશ આપે છે. દિવાળીના દીપો અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવે છે, જેમ સદ્ગુણો દુષ્ટતાને હરાવી માનવહૃદયમાં આનંદ અને શાંતિ ફેલાવે છે. આ પવિત્ર પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે અને નવા વર્ષની ઉજવણી સુધી ચાલે છે. લોકો પોતાનાં ઘરોને દીવા, રંગોળી અને સુગંધિત ફૂલોથી શોભાવે છે. સ્નેહ અને સૌહાર્દના પ્રતીકરૂપે એકબીજાને મીઠાઈઓ ભેટ આપે છે અને શુભેચ્છાઓ પાઠવે છે. આ દિવસો દરમિયાન હૃદયોમાં નવી ઊર્જા, ઉત્સાહ અને સમૃદ્ધિનો સંચાર થાય છે. દિવાળી માત્ર ધર્મિક ઉજવણી નથી પણ જીવનનું તત્ત્વચિંતન પણ છે, જે બતાવે છે કે પ્રકાશ સદાય અંધકાર પર હાવી થાય છે, સત્ય સદાય અસત્ય પર વિજય મેળવે છે અને પ્રેમ સદાય દ્વેષને હરાવે છે. આ વાત આપણે વારંવાર દાદા-દાદી કે નાના-નાની પાસેથી સાંભળી હશે. દિવાળીના પર્વ નિમિત્તે ફટાકડાનો પ્રકાશ અને અવાજ ચર્ચાનો વિષય રહેતો હોય છે. પરંતુ માત્ર દિવાળી જ એક એવું પર્વ નથી જ્યારે ફટાકડા ફોડવામાં આવે છે અને ઘર કે શહેરને રોશનીના ઝગમગાટથી ભરી દેવામાં આવે છે. વિશ્વભરમાં પ્રાચીન અને જૂના તહેવારો છે જેમાં પ્રકાશ અને ફટાકડાનું મહત્ત્વ છે. એવા જ કેટલાક દેશો અને એમના તહેવારો વિશે વાત કરીએ.
ફટાકડાનું વૈજ્ઞાનિક-ધાર્મિક મહત્ત્વ
એક રીતે જોઈએ તો પ્રકાશ, અગ્નિ અને ધ્વનિનો સંગમ ફટાકડામાં છે. એનું આગવું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્ત્વ છે. જોકે આજકાલ ફટાકડા ફોડવા કે નહીં એ નૈતિક અસમંજસ છે. વ્યક્તિદીઠ તેમની માન્યતા અલગ હોય છે. જો ફટાકડા એટલે મનોરંજન એવું માનતા હો તો તહેવારોના સમય દરમ્યાન ફટાકડાના ઉપયોગ વિશેનાં વૈજ્ઞાનિક, ધાર્મિક અને આધ્યાત્મિક કારણો જાણીને તમારી માન્યતા દૂર થઈ જશે. વિશ્વના વિવિધ દેશોમાં ઊજવાતા ધાર્મિક, આધ્યાત્મિક અને પ્રાચીન ઉત્સવોમાં પણ પ્રકાશ અને અગ્નિનું અતિ મહત્ત્વનું સ્થાન રહ્યું છે. દિવાળી હોય કે હનુક્કા, લોય ક્રાથોંગ હોય કે ક્રિસમસ દરેક ઉત્સવમાં દીવો, મીણબત્તી અથવા ફટાકડાના ઝગમગાટથી અંધકારને દૂર કરી આનંદ અને એકતાનો સંદેશ આપવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર, તેજસ્વી પ્રકાશ અને ગર્જતા અવાજો દુષ્ટ શક્તિઓને દૂર કરે છે અને શુભ શક્તિઓનું આહવાન કરે છે. સમયાંતરે આ ધાર્મિક માન્યતાઓ આનંદ અને ઉત્સવના રૂપમાં વિકસતી ગઈ, જેમાં ફટાકડા અને પ્રકાશની ઉજવણી માનવ ભાવનાઓને એકત્ર કરી ખુશીના રંગોમાં રંગે છે. આ રીતે પ્રકાશ અને અગ્નિ વિશ્વભરમાં મનુષ્યની આત્મિક ઉજવણીના અવિભાજ્ય ભાગ બની ગયા છે. પ્રાચીન સમયથી જ મનુષ્યે અગ્નિ અને પ્રકાશને જીવન અને ઊર્જાના સ્રોત તરીકે માન્યા છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો પ્રકાશ અને અગ્નિ માનવમસ્તિષ્ક પર સકારાત્મક અસર કરે છે. પ્રકાશથી ડોપમાઇન અને સેરોટોનિન જેવાં હૅપી હૉર્મોન્સ સક્રિય થાય છે જે આનંદ અને ઉત્સાહની લાગણી વધારે છે. તેથી પ્રકાશથી ભરેલા ઉત્સવો દરમિયાન લોકો વધુ ખુશી અને ઉત્સાહનો અનુભવ કરે છે. ફટાકડાના તેજ અવાજ અને રંગીન ઝગમગાટ આપણી ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે છે, જેના કારણે શરીરમાં ઊર્જા અને ઉત્સાહનો પ્રવાહ વધે છે. પ્રાચીન માન્યતાઓમાં જે દુષ્ટ શક્તિઓને ભગાડવાની વાત કહેવાતી, એ વૈજ્ઞાનિક રીતે ધ્વનિતરંગો અને પ્રકાશની ઊર્જા દ્વારા વાતાવરણ શુદ્ધ થવાની પ્રક્રિયા સાથે જોડાયેલી હોઈ શકે છે. અગ્નિ અને પ્રકાશ બન્ને ઑક્સિજનનો ઉપયોગ કરે છે અને તાપ ઉત્પન્ન કરે છે, જેના કારણે હવાની ઠંડક અથવા ભેજ ઘટી માઇક્રોબ્સનો પ્રભાવ ઓછો થાય છે એટલે અનેક સંસ્કૃતિઓમાં અંધકાર અથવા ચોમાસા પછી પ્રકાશનો ઉત્સવ ઊજવાય છે. એમ કહી શકાય કે ધાર્મિક માન્યતાઓ પાછળ પણ એક વિજ્ઞાનિક તર્ક છુપાયેલો છે.19 October, 2025 10:43 IST Mumbai | Laxmi Vanita
ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર, પ્રસંગ અને શુભ કાર્ય મીઠાઈ વિના અધૂરો ગણાય છે. એમાં ખાસ દિવાળીની મીઠાશ હવે સ્વાદથી વધુ સ્વાસ્થ્ય તરફ વળી રહી છે. તેનું કારણ એ છે કે, આજની ઝડપી જીવનશૈલી, વધતી આરોગ્ય પ્રત્યેની જાગૃતિ અને ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ વચ્ચે પરંપરાગત ખાંડવાળી મીઠાઈઓના સ્થાને સુગર-ફ્રી મીઠાઈઓનો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે. અમદાવાદના અગ્રણી હલવાઈઓ જેમ કે ગ્વાલિયા સ્વીટ્સ, મીઠાઈ એન્ડ મોર, જયહિન્દ, કંદોઈ ભોગીલાલ, વિપુલ દુધિયા, રાશિઝ ફજ,બેલેઝિયો સ્વીટ્સ વગેરે જેવી જાણીતી બ્રાન્ડ્સ હવે રિફાઇન્ડ શુગરને બદલે પ્લાન્ટ બેસ્ડ સ્ટીવિયા, કોકોનટ સુગર, ખજૂર અને મોંકફ્રૂટ સુગર જેવા કુદરતી વિકલ્પો વડે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પરંપરાગત અને ફ્યુઝન મીઠાઈઓ બનાવીને ગ્રાહકોને સ્વાદ અને સ્વાસ્થ્યનો અનોખો અનુભવ આપી રહ્યા છે. આ હેલ્ધી ગિફ્ટિંગના વધતા ટ્રેન્ડથી પ્રેરાઈ, હવે ગૃહિણીઓ અને હોમશેફ્સમાં પણ પોતાના ઘરમાં સુગર-ફ્રી મીઠાઈ બનાવવાનો ઉત્સાહ વધારી રહ્યા છે, અને આવી મીઠાઈઓ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સુરક્ષિત હોવા સાથે બાળકો અને યુવાનો માટે હેલ્ધી ડેઝર્ટ વિકલ્પ પણ પુરો પાડે છે. આજના વિશેષ લેખમાં ચાલો મળીએ એવી પ્રતિભાશાળી હોમશેફ્સને, જેઓએ પરંપરાગત સ્વાદને આધુનિક આરોગ્યનો સ્પર્શ આપીને અનોખી રીતે સુગર-ફ્રી મિષ્ટાન રેસીપી તૈયાર કરી છે. (તસવીરો : પૂજા સાંગાણી)
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)17 October, 2025 05:27 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભારતમાં છ ઋતુઓમાંથી શરદ ઋતુ, જેને પાનખર ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો આરંભ દર વર્ષે સપ્ટેમ્બરના અંતે થાય છે અને ડિસેમ્બર સુધી તેનો મોહક માહોલ છવાયેલો રહે છે. આ ઋતુમાં દૂધી, તુરિયા અને કાકડીના કુટુંબનું મુખ્ય શાક એટલે કે કોળું ખાસ લોકપ્રિય બને છે. છતાં મોટાભાગના ગુજરાતી ઘરોમાં તેનું સેવન ઓછું જોવા મળે છે. વિશ્વના પ્રાચીન શાકભાજીમાં ગણાતું કોળું, જે કુષ્માંડ તરીકે ઓળખાય છે, તેનું ધાર્મિક મહત્વ પણ છે. નવદુર્ગાનું સ્વરૂપ માનાતાં નવરાત્રિ દરમિયાન પૂજામાં તેનું વિશેષ સ્થાન છે. સફેદ અને પીળું એમ કોળાના બે મુખ્ય પ્રકાર જોવા મળે છે. જેમાં સફેદ કોળું ઉનાળામાં વધારે ખવાય છે, જ્યારે બહારથી લીલું અને અંદરથી પીળું કોળું શરદ ઋતુમાં મનપસંદ શાક બને છે. આગ્રાના પ્રખ્યાત પેઠા જે સફેદ કોળાથી બને છે, તે એક લોકપ્રિય મીઠાઈ તરીકે પ્રખ્યાત છે. આરોગ્યની દૃષ્ટીએ કોળાનો વ્યાપક ઉપયોગ શાક, રસ, બીજ, અને માવા તરીકે પણ કરવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફાઈબર અને વિટામિન A થી સમૃદ્ધ કોળું ત્વચા, હાડકાં, દાંત અને મેટાબોલિક સિસ્ટમ માટે ઉત્તમ છે અને અનેક બીમારીઓથી બચાવે છે. સામાન્ય રીતે 4 થી 8 કિલોગ્રામ જેટલું ભારે હોવા છતાં તે ઝડપથી રંધાઈ જાય છે. ચરક સંહિતા જેવા પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં પણ કોળાને અતિ ગુણકારી ગણાવવામાં આવ્યું છે. આજકાલ કોળું માત્ર શાક પૂરતું જ સીમિત નથી રહ્યું, પરંતુ નવીન વાનગીઓમાં પણ આરોગ્યપ્રદ સ્વાદ ઉમેરતું, શરદ ઋતુનું એક સ્ટાર ઇન્ગ્રીડિયન્ટ બની ગયું છે. તો ચાલો, આજે જાણી લઈએ કોળાથી બનતી કેટલીક અનોખી અને સ્વાદિષ્ટ રેસિપીઓ.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)17 October, 2025 05:26 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
દિવાળીના પાંચ દિવસોમાં શહેરોમાં જ નહીં, પરંતુ ગામડાંઓમાં પણ પરંપરાગત વાનગીઓ બનાવવાનું ચલણ હવે ઓછું થઈ રહ્યું છે ત્યારે મુંબઈમાં કેટલાંક એવાં ઘરો આજેય છે જેણે દિવાળીમાં ચોક્કસ પ્રકારની રસોઈ બનાવવાની રીતભાત અને સંસ્કૃતિને જાળવી રાખી છે.17 October, 2025 12:34 IST Mumbai | Darshini Vashi
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK