Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાઇફસ્ટાઈલ સમાચાર ફોટોઝ

ચુરોઝના ચાહકો બહુ ટેસથી આ ડિઝર્ટ માણે છે. તસવીર સૌજન્ય - પૂજા સાંગાણી

જ્યાફતઃ અમદાવાદી ચુરોઝ એટલે તાજા, તજ-સુગર કોટેડ, સોનેરી ક્રિસ્પી અને ચૉકલેટી ડિપ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના લોકોનો ખાણીપીણી પ્રત્યેનો પ્રેમ વિશ્વભરમાં પ્રખ્યાત છે. એમાંય સ્ટ્રીટ ફૂડ સંસ્કૃતિમાં હવે નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યા છે. પરંપરાગત ચાટ, ભાજીપાઉં કે દાબેલીથી બહાર નીકળીને, આંતરરાષ્ટ્રીય વાનગીઓ એટલે કે કોરિયન, મેક્સિકન, જાપાનીઝ, વિયેતનામી અને તિબેટીયન જેવી વિદેશી વાનગીઓ ફૂડ ટ્રેન્ડ્સમાં સ્થાન બનાવી રહી છે અને આ નવીન લહેર ઝડપથી લોકપ્રિય બની રહી છે. એવી જ એક નવી અને ઉમંગભરી શરૂઆત અમદાવાદના વસ્ત્રાપુર લેક નજીક શૈવલ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે હિના મનવાની દ્વારા કરવામાં આવી છે, જ્યાં `Churros Craft Co.` નામના ફૂડ જોઈન્ટમાં એગલેસ મેક્સિકન ચુરોઝ પીરસાઇ રહ્યા છે. તાજા અને લાઈવ બનેલા આ ચુરોસ આજે અમદાવાદના ફૂડ લવર્સ માટે મીઠી ક્રેવિંગ્સ સંતોષવાનું નવું અને લોકપ્રિય ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. તો આવો જાણીએ કે શું છે આ મેક્સિકન ચુરોસની ખાસિયત અને કેમ તે અમદાવાદીઓના હોટ ફેવરિટ ડિઝર્ટ લિસ્ટમાં સામેલ છે ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 28 June, 2025 06:32 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના ૫૧મા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: રોજીંદા જીવનમાં પણ મનને રાખવું છે શાંત? તો કરજો ‘ધનુષ મુદ્રા’

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ધનુષ મુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં. 27 June, 2025 07:00 IST Mumbai | Rachana Joshi
આજના કવિવારના એપિસોડમાં કવિ રાજેન્દ્ર શુક્લની રચનાઓ

કવિવાર : પુષ્પનો પ્રવાસ ખેડતા કવિ રાજેન્દ્ર શુક્લ

કવિવારની આજની શબ્દયાત્રા રાજેન્દ્ર શુક્લ તરફની છે. `આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે, કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!` એમ કહેનારા આ કવિએ ભાષા પાસેથી બારીકાઇભર્યું કામ લેવડાવ્યું છે. જુનાગઢમાં કવિનો જન્મ. શૈક્ષણિક વ્યવસાયમાં આગળ વધ્યા. એમણે પોતાના ગઝલકર્મથી આગવી છાપ ઊભી કરી. ગીતો પણ સુંદર આપ્યાં છે. આજે તેમની કેટલીક જાણીતી રચનાઓનો આનંદ લઇએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. 24 June, 2025 10:25 IST Mumbai | Dharmik Parmar
હજૂરી આઇસક્રીમ ઍન્ડ કુલ્ફી

આઇસક્રીમની ૧૦૦ વર્ષ જૂની સુરતી બ્રૅન્ડ હજૂરીનું મુંબઈમાં ઓર એક આઉટલેટ

ભીંડીબજારમાં આવેલા આ પાર્લરમાં ગણતાં-ગણતાં થાકી જવાય એટલી વરાઇટીની આઇસક્રીમ મળે છે 22 June, 2025 07:09 IST Mumbai | Darshini Vashi
શાહ પરિવાર

આખો પરિવાર યોગને સમર્પિત

આજે ઇન્ટરનૅશનલ ડે ઑફ યોગ નિમિત્તે મળીએ ઘાટકોપરના એવા કચ્છી પરિવારને જેના સાતેસાત સભ્યો યોગ સાથે સંકળાયેલા છે. ખાસ વાત તો એ છે કે આ પરિવારમાં આઇ-સર્જ્યન, સાઇકોલૉજિસ્ટ, આયુર્વેદિક પ્રૅક્ટિશનર છે અને બધા જ પોતપોતાની પ્રૅક્ટિસમાં યોગનો ઉપયોગ કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીને સમજીએ કે ખરેખર યોગ એટલે શું અને શારીરિક-માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગનું કેટલું મહત્ત્વ છે 22 June, 2025 07:09 IST Mumbai | Heena Patel
જય જલારામ ખમણ હાઉસ પરની ભીડ ઓછી થાય એવું ભાગ્યે જ બને છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ નવસારી ચીખલી હાઇવે પર આવેલા લોકપ્રિય ‘જય જલરામ ખમણ હાઉસ’ની ચટાકેદાર વાત

જો તમે સુરતથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ તરફ જતા હો તો, નવસારીમાં ચીખલી ખાતે નેશનલ હાઈવે નં. 48 ઉપર સ્થિત બંને બાજુ ભીડથી ઘેરાયેલી એક દુકાન નજરે પડે છે. આ જગ્યા છે ‘જય જલારામ ખમણ હાઉસ’, જે નાસ્તાના શોખીનો માટેનું લોકપ્રિય સ્થળ છે, જ્યાં લોકોના ટોળેટાળા વહેલી સવારથી રાત સુધી લાંબી લાઈનમાં ઉભા રહીને પોતાના મનપસંદ ખમણ અને બીજી અનેક નાસ્તાની વાનગીઓને ઓર્ડર કરી મોજથી ખાતા નજરે જોવા મળે છે. કહેવાય છે કે જો દક્ષિણ ગુજરાત તરફ જાવ તો આ ખમણ અને બીજી ડઝનબંધ નાસ્તાની વાનગી પીરસતી આ દુકાન, સૉરી આ દુકાન નહિ પરંતુ નાસ્તાનો મૉલ છે ત્યાં ઉભા રહ્યા વગર રહેવાતું નથી અને એંમ પણ કહી શકાય છે કે આ દક્ષિણ ગુજરાતના ફુડ ટ્રાવેલના નક્શામાં ખાસ સ્થાન ધરાવે છે. મારા વ્યક્તિગત અનુભવ પરથી કહું, તો સમગ્ર ગુજરાતમાં ખમણ માટે આવી ભવ્ય અને લોકપ્રિય જગ્યા બીજી કોઈ છે જ નહીં. તો ચાલો આજે આપણે ચીખલીના `જય જલારામ ખમણ હાઉસ` વિશે વાત કરીએ.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 21 June, 2025 07:20 IST Navsari | Gujarati Mid-day Online Correspondent
કૉર્પોરેટ કર્મચારીઓ માટે ખાસ યોગાભ્યાસ: યોગાચાર્ય શિવે કેટલાક યોગ આસનો અને તકનીકો સૂચવી છે જે ઑફિસ ડેસ્ક પર અથવા ઘરે કોઈપણ ખાસ સાધનો વિના કરી શકાય છે.

લાંબા સમય સુધી બેસીને કામ કરતા દરેક માટે આ યોગાસનો ખૂબ લાભદાયક છે: યોગાચાર્ય શિવ

કૉર્પોરેટ જીવનશૈલી, કલાકો સુધી કમ્પ્યુટર સ્ક્રીન સામે બેસવું, તણાવ, અનિયમિત ખાવાની આદતો અને ઊંઘનો અભાવ - આ બધું આજે ઑફિસમાં કામ કરતા કર્મચારીઓની દિનચર્યાનો ભાગ બની ગયું છે. આવી સ્થિતિમાં, યોગ જીવનમાં સંતુલન અને ઉર્જા જાળવવા માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉભરી રહ્યું છે. મુંબઈ સ્થિત યોગાચાર્ય શિવ (શિવમ પાંડે) કહે છે, "આજના કૉર્પોરેટ જગતમાં, કામનો બોજ અને માનસિક દબાણ એટલું વધારે છે કે લોકો પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢી શકતા નથી. દરરોજ માત્ર 15 થી 20 મિનિટ યોગ કરવાથી પણ તેમની શારીરિક અને માનસિક સ્થિતિમાં મોટો ફેરફાર આવી શકે છે. તે માત્ર કમરનો દુખાવો, ગરદનની જડતા અને આંખોનો તાણ ઓછો કરે છે, પણ મનને શાંત કરે છે અને પ્રોડક્ટિવિટી પણ વધારો કરે છે." યોગથી માનસિક સ્વાસ્થ્ય સુધરે યોગાચાર્ય શિવ કહે છે, "માત્ર શરીર જ નહીં, યોગ તમારા મનને પણ શાંત કરે છે. પ્રાણાયામ અને ધ્યાન કર્મચારીઓને માનસિક સ્પષ્ટતા, ધ્યાન અને ભાવનાત્મક સ્થિરતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. દરેક કાર્યસ્થળે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર `યોગ વિરામ` આપવો જોઈએ. આનાથી કર્મચારીઓની ખુશી અને કાર્યક્ષમતા બન્નેમાં વધારો થશે." 21 June, 2025 07:20 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
`સંજાવ’ ફેસ્ટિવલની એક ઝલક

ગોવા ટુરિઝમનું ‘સંજાવ’ શિવોલી બોટ ફેસ્ટિવલ છે એડવેન્ચર અને પરંપરાઓનું મિશ્રણ

ગોવા સરકારના પર્યટન વિભાગ દ્વારા શિવોલી સંજાવ ટ્રેડિશનલ બોટ ફેસ્ટિવલ અને કલ્ચરલ સોસાયટીના સહયોગથી 24 જૂન 2025 ના રોજ શિવોલી ખાતે ‘સંજાવ 2025’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક બહુપ્રતિક્ષિત સાંસ્કૃતિક ઉત્સવ શિવોલીના નદી કિનારે આવેલા ગામમાં સેન્ટ એન્થોની ચર્ચની સામે યોજાશે, જે પરંપરા, રંગ અને સમુદાય એકતાનું પ્રતીક છે. 20 June, 2025 07:00 IST Goa | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK