Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાઇફસ્ટાઈલ સમાચાર ફોટોઝ

દાણેદાર હલવો મ્હોમાં પાણી લાવી દે તેવો છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ અમદાવાદની ચંદ્રિકા ડેરીના દાણેદાર દૂધના હલવાનો સ્વાદ માણે એ જ જાણે!

અમદાવાદમાં કેટલીક જગ્યાઓ એવી છે, જ્યાં પહોંચવા માટે કોઈ સરનામું યાદ રાખવાની જરૂર પડતી નથી; બસ નામ લો અને શહેરના લોકો રસ્તો બતાવી દે. નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાં આવેલી ચંદ્રિકા ડેરી પણ આવી જ એક અનોખી ઓળખ ધરાવે છે. બહારથી સાદી દેખાતી આ ડેરીની ઓળખ આજે માત્ર દૂધ, દહીં કે પનીર પૂરતી સીમિત નથી, પરંતુ અહીં બનતા દાણેદાર દૂધના હલવાની મીઠી પરંપરા સાથે જોડાયેલી છે. છેલ્લા છ દાયકાથી આ સ્વાદ અમદાવાદીઓની જીભ પર સ્વાદ અને મનમાં મીઠી યાદ બનીને જીવંત રહ્યો છે. કોઈ માટે આ હલવો બાળપણની સ્મૃતિ છે, કોઈ માટે તહેવારની મીઠાશ, તો કોઈ માટે પરિવારની વર્ષો જૂની પરંપરા! ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 28 August, 2026 09:08 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ અશોક ચાવડા `બેદિલ`ની રચનાઓ

કવિવાર: ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં? કવિ અશોક ચાવડા `બેદિલ`

આજે કવિવારમાં વાત કરવી છે કવિ અશોક ચાવડા `બેદિલ`ની. સાંપ્રત સમયમાં સાહિત્યસર્જનમાં આદરપૂર્વક લઇ શકાય એવું નામ. કવિ, વાર્તાકાર અને વિવેચક અશોક ચાવડા એટલે પંકાયેલી અને મંજાયેલી કલમ. તેમનો કાવ્યસંગ્રહ `ડાળખીથી સાવ છૂટાં`ને વર્ષ ૨૦૧૩ માં સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર એનાયત થયેલો. તે ઉપરાંત સર્જક પાસેથી આપણને પગલાં તળાવમાં, પગરવ તળાવમાં, તું કહું કે તમે, પિટ્યો અશ્કો, શબ્દોદય અને ગઝલિસ્તાન જેવા માતબર સંગ્રહો પ્રાપ્ત થાય છે. ૨૩ ઑગસ્ટ ૧૯૭૮ના રોજ ભાવનગરમાં પિતામ્બરભાઈ અને હંસાબહેનના ત્યાં તેમનો જન્મ. ૧૯૯૮માં અશોક ચાવડાએ અમદાવાદની સી.યુ. શાહ કોમર્સ કૉલેજમાંથી એકાઉન્ટિંગમાં બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી. ૨૦૦૧માં તેમણે અમદાવાદની એચ.કે. આર્ટસ કૉલેજમાંથી અંગ્રેજી લિટરેચરમાં કોમર્સ સ્નાતકની પણ ડિગ્રી મેળવી.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ. 25 August, 2026 02:31 IST Mumbai | Dharmik Parmar
શહેરના પ્રખ્યાત ફૂડ કલ્ચરનો અનુભવ કરવા, નવી રેસ્ટોરાં શોધવા અને બેસ્ટ ટેબલ પર ઉત્તમ ફૂડ એન્જોય કરવા માટે `કૂલિનરી` શ્રેષ્ઠ વિકલ્પ છે.

ન્યૂ ઓર્લિયન્સમાં ફૂડથી લઈને મ્યુઝિક ફેસ્ટિવલ્સની ધમાલ, જાણો શું છે ખાસ

ન્યૂ ઓર્લિયન્સ અત્યારે ભરઉનાળાની મજા માણી રહ્યું છે અને સાથે જ પાનખરના ઉત્સવોની તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. શહેરમાં હાલ `કૂલિનરી ન્યૂ ઓર્લિયન્સ` (COOLinary New Orleans), `મ્યુઝિયમ મન્થ`, `સધર્ન ડેકાડન્સ` અને `NOLAxNOLA` જેવાં અનોખાં આયોજનોનો ઉત્સાહ છવાયેલો છે. કૂલિનરી ન્યૂ ઓર્લિયન્સ (COOLinary New Orleans) ન્યૂ ઓર્લિયન્સના ઈતિહાસ, જીવનશૈલી અને સંસ્કૃતિમાં ત્યાંની અનોખી ખાનપાન શૈલી (Cuisine) ખૂબ મહત્વનો હિસ્સો ધરાવે છે. દર ઉનાળામાં શહેરભરની રેસ્ટોરાં `કૂલિનરી ન્યૂ ઓર્લિયન્સ` તરીકે ઓળખાતી વાર્ષિક ફૂડ પરંપરામાં ભાગ લે છે. શહેરની કેટલીક ટોચની રેસ્ટોરાં ખાસ તૈયાર કરેલા `પ્રિક્સ-ફિક્સ` (Prix-fixe) મેનૂ એકદમ આકર્ષક અને વ્યાજબી ભાવે પીરસે છે. સ્વાદિષ્ટ વાનગીઓની આ સફરનું વર્ષ 2026માં 22મું વર્ષ ઉજવાઈ રહ્યું છે. આ વર્ષે 140થી વધુ રેસ્ટોરાં આ ફેસ્ટિવલમાં જોડાઈ છે, જેમાં 37 રેસ્ટોરાં પહેલીવાર ભાગ લઈ રહી છે. ઓગસ્ટ મહિના દરમિયાન $28 કે તેથી ઓછા ભાવમાં 2-કોર્સ લંચ અને $58 કે તેથી ઓછા ભાવમાં 3-કોર્સ બ્રંચ તથા ડિનર મેનૂની મજા માણી શકાય છે. સ્થાનિકો અને પ્રવાસીઓ બંને માટે શહેરની સર્વશ્રેષ્ઠ રેસ્ટોરાંનો સ્વાદ અતિ આકર્ષક ભાવે માણવાની આ એક સુવર્ણ તક છે. 21 August, 2026 05:16 IST Louisiana | Gujarati Mid-day Online Correspondent
આ લસ્સી પેટ ભરાય તેવી અને સ્વાદિષ્ટ છે - તસવીર  સૌજન્ય પૂજા સાંગાણી

Jyaafat:ઉપવાસમાં પણ મજાનો વિકલ્પ નડિયાદની મલાઈદાર જય કિશન લસ્સી

જેમ ચરોતરની ગલીઓમાં ખીચિયા પાપડના લોટની સોડમ હવાની સાથે વણાયેલી રહે છે, અને સુવર્ણ મંદિર અમૃતસર બહાર સવારના તાજા તડકામાં લસ્સીના ગ્લાસ ચમકી ઉઠે છે; બરાબર એવો જ એક જીવંત અને ગૌરવશાળી ઈતિહાસ મધ્ય ગુજરાતની સાક્ષરનગરી નડિયાદ પોતાની ભીતર સાચવીને બેઠું છે. જો તમે ક્યારેય નડિયાદ રેલવે સ્ટેશન બહાર પગ મૂક્યો હોય, તો સ્ટેશનની ધમાલ, રીક્ષાઓના હોર્ન અને મુસાફરોની દોડધામ વચ્ચે એક ખાસ જગ્યા તમારું ધ્યાન ચોક્કસ ખેંચશે. એ છે સુભાષનગરનું સિંધી માર્કેટ. અને આ જ સુભાષનગરના એક નાનકડા ખૂણેથી વહે છે એક એવો દૂધ-દહીંનો મીઠો પ્રવાહ, જેણે છેલ્લાં પાંચ દાયકાથી પણ વધુ સમયથી હજારો-લાખો સ્વાદપ્રિય લોકોના દિલ જીતી લીધા છે. આ જગ્યા એટલે `જય કિશન લસ્સી`. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 21 August, 2026 01:05 IST Nadiad | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ ગોપાલ શાસ્ત્રીની રચનાઓ

કવિવાર: નદીમાં પગ ઝબોળી બાળપણ પાછું અમે માંગ્યું – કવિ ગોપાલ શાસ્ત્રી

આજે કવિવારની શ્રેણીમાં વડોદરાના કવિ ગોપાલ શાસ્ત્રીની કૃતિઓની વાત કરવાનો ઉપક્રમ છે. `તારા વિના`  પુસ્તકમાં એમનાં કાવ્યો સંગ્રહિત છે. એમની કેટલીક જાણીતી રચનાઓ થકી માણીએ એમની સર્જનસફર. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ. 18 August, 2026 12:18 IST Mumbai | Dharmik Parmar
બન્ને નાટકોને હર્ષદીપસિંહ જાડેજાનું કલાત્મક માર્ગદર્શન મળ્યું છે.

મકાનાભિનિષ્ક્રમણ અને સંક્રમણ: સામાન્ય માનવીના જીવનની સંવેદનશીલ અને રમૂજી વાતો

અમદાવાદ થિયેટર ગ્રુપ અને તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન દ્વારા બે અલગ-અલગ વિષય ધરાવતા પરંતુ સામાન્ય માનવીના જીવન સાથે સીધો સંબંધ ધરાવતા નાટ્યપ્રયોગો ‘મકાનાભિનિષ્ક્રમણ’ અને ‘સંક્રમણ’ રજૂ કરવામાં આવ્યા. બન્ને નાટકોનો પ્રયોગ માલાડ સ્થિત નવા આર્ટ સ્પેસ Artisan Coterie ખાતે યોજાયો હતો. આર્ટિસ્ટન કોટરી માલાડ અને મુંબઈમાં કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે કાર્યરત નવું કલામંચ છે. 17 August, 2026 04:54 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફરાળી થાળી એટલે ભક્તિ, સ્વાદ અને પોષણનો સુંદર સંગમ (તસવીર સૌજન્ય: પૂજા સાંગાણી)

જ્યાફતઃ શ્રાવણના ફરાળમાં પ્રોટીનનો પાવરફુલ તડકો આપી પોષણથી સજાવો ઉપવાસની થાળી

શ્રાવણ આવે એટલે ઘરમાં ભક્તિનો માહોલ ઘેરાય, મંદિરોમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજે અને રસોડામાં ફરાળની સુગંધ પ્રસરે. એક તરફ સંયમ અને સાધનાનો આ પવિત્ર મહિનો છે, તો બીજી તરફ ગુજરાતની ખાણીપીણીની પરંપરા માટે પણ આ સમય વિશેષ છે. કારણ કે ઉપવાસમાં પણ સ્વાદ સાથે સમાધાન કરવાની ગુજરાતીઓની તૈયારી ઓછી જ હોય. હવે તો ફરાળની થાળી પણ સમય સાથે બદલાઈ રહી છે જેમાં પરંપરાગત સાબુદાણા અને બટાટાની સાથે તેમાં મખાના, રાજગરો, મોરૈયો, સિંગદાણા, બદામ, પનીર, દહીં અને સૂકોમેવો જેવી સામગ્રીનો પ્રવેશ થયો છે. આવો જાણીએ એવી જ કેટલીક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફરાળી થાળી વિશે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 14 August, 2026 02:27 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ સુંદરજી બેટાઈની રચનાઓ

કવિવાર: બેલી તારો તું જ છે, બંદર છો દૂર છે! કવિ સુંદરજી બેટાઈ

આજના લેખાંકમાં વાત કવિ સુંદરજી બેટાઈની. તેમનું પૂરું નામ સુંદરજી ગોકળદાસ બેટાઈ. તેઓ આપણી ભાષાના વિખ્યાત કવિ-વિવેચક. તેમનો જન્મ જામનગરના બેટ-દ્વારિકામાં. તેમણે દ્વૈપાયન અને મિત્રાવરુણૌ જેવાં ઉપનામોથી અઢળક કાવ્યો રચ્યાં. મુંબઈ સાથે પણ કવિનો નાતો શૈક્ષણિક રીતે જોડાયેલો. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બેચરલ ઑફ આર્ટસની ડીગ્રી મેળવેલી. ૧૯૩૨માં એલએલ.બી. થયા અને ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં માસ્ટર્સ પણ કર્યું. શરૂઆતમાં શહેરની એક સંસ્થામાં આચાર્ય તરીકે સેવા આપ્યા બાદ એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા, જે નિવૃત્તિ પર્યંત. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ. 11 August, 2026 02:04 IST Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK