Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાઇફસ્ટાઈલ સમાચાર ફોટોઝ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

બ્રાઇડલ ફૅશનમાં હેવીને બદલે હૅન્ડક્રાફ્ટેડ કલીરેનો ટ્રેન્ડ

પંજાબી સંસ્કૃતિમાંથી આવેલી ઍક્સેસરી કલીરે હવે ગ્લોબલ ફૅશન સ્ટેટમેન્ટ બની ગયાં છે ત્યારે ગુજરાતી બ્રાઇડ્સ તેમનાં લગ્નમાં કલીરેને વધુ મહત્ત્વ આપી રહી છે. અલગ-અલગ રીતે કસ્ટમાઇઝ કરાવીને સ્ટાઇલ કરી રહી છે ત્યારે આ વર્ષે કેવો ટ્રેન્ડ રહેશે એ જાણી લો. 16 January, 2026 05:55 IST Mumbai | Gujarati Mid-day Correspondent
  શિયાળામાં બાજરીની વાનગીઓ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે - તસવીર એઆઇ

જ્યાફતઃ શિયાળામાં અચૂક ખાવા જેવા `સુપરફૂડ` બાજરીની અવનવી રેસિપીઝ

જ્યારે જાન્યુઆરીની વહેલી સવારે બારીના કાચ પર ઝાકળ બાઝવાની શરૂઆત થાય, ત્યારે તડકો વહાલસોયો લાગવા માંડે અને રાત્રે ઓઢેલી રજાઈમાંથી બહાર નીકળવાનું મન પણ ન થાય, ત્યારે સમજવું કે શિયાળો જામી ગયો છે. પણ, ગુજરાતીઓ માટે શિયાળો એટલે માત્ર ઠંડી ઋતુ નહીં, પણ મસ્ત મજાની લીલોતરી અને ધાન્ય આરોગવાની ઋતુ. અને આ ખાણીપીણીના કેન્દ્રમાં જો કોઈ એક ધાન્ય રાજા બનીને બિરાજતું હોય, તો તે છે આપણી `બાજરી`. આજે આપણે વાત કરીશું એવા ધાન્યની જે માત્ર ખેતરોમાં નથી ઉગતું, પણ આપણા સંસ્કારો અને પરંપરાઓના કેન્દ્રમાં પણ છે. તો ચાલો, આ શિયાળાની સફરમાં બાજરીના ગુણોનું સ્મરણ કરતા, અમદાવાદના ડૉ. નિમિશા શાહ પાસેથી તેના સ્વાસ્થ્યવિજ્ઞાનને જાણીએ અને ગાંધીનગરની હોમ બેકર ધ્વનિ શાહની નાનપણની યાદો વાગોળતા બંને પાસેથી ખાસ રેસીપીઓનો સ્વાદ લઈએ. સાથે સાથે, મારી ડાયરીમાંથી બાજરીની સાત્વિક વાનગીઓનો એવો ખજાનો રજૂ કરીશ, જે સ્વાદ અને આરોગ્ય બંને માટે ઉત્તમ છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 16 January, 2026 04:15 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ ભાવેશ ભટ્ટની રચનાઓ

કવિવાર : આકાશ લાગ શોધી પેસે છે શાયરીમાં..... કવિ ભાવેશ ભટ્ટ

સમકાલીન ગુજરાતી શાયરોમાં જેણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે એવા કવિ ભાવેશ ભટ્ટની રચનાઓ સાથે આજે કવિવારને આંગણેથી રૂબરૂ થવું છે. અમદાવાદમાં જન્મેલા ભાવેશભાઈએ એસ.એસ.સી બાદ ગુજરાત કૉલેજમાં એડમિશન લીધું પણ ભણતર પૂરું ન કરી શક્યા. ભાવેશભાઈએ પોતાની ગઝલો થકી ભાષાને સજાવી છે. આધુનિક યુગની ગુજરાતી ગઝલનો તે આગવો અવાજ છે ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.     13 January, 2026 02:23 IST Mumbai | Dharmik Parmar
આ વર્ષની થીમ દ્રષ્ટિ, નવીનતા અને સાંસ્કૃતિક નેતૃત્વની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે વર્તમાનથી આગળ જોવાની અને ભવિષ્યનું ચિત્ર બનાવવાની ક્ષમતાને દર્શાવે છે.

કાલા ઘોડા આર્ટ્સ ફૅસ્ટિવલ 2026: મુંબઈના સૌથી જૂના ઈવેન્ટની થશે જોરદાર ઉજવણી

મુંબઈનો સૌથી જૂનો અને ઐતિહાસિક કલા ફૅસ્ટિવલ, કાલા ઘોડા આર્ટ્સ ફૅસ્ટિવલ, શહેરમાં પાછો ફરી રહ્યો છે. કલા, સંસ્કૃતિ અને ક્રિએટિવ એક્સપ્રેશનનું પ્રતીક એવો આ ફૅસ્ટિવલ તેની 26મી આવૃત્તિ માટે 31 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી, 2026 સુધી યોજાશે. આ ફૅસ્ટિવલની ઉજવણી દરરોજ સવારે 10:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી મુંબઈના ઐતિહાસિક કાલા ઘોડા સંકુલ ખાતે યોજાશે. આ વર્ષે, કાલા ઘોડા આર્ટ્સસ ફૅસ્ટિવલની થીમ ‘અહેડ ઑફ ધ કર્વ | અ સ્ટેપ અહેડ ઑફ ટાઈમ’ છે. આ થીમ દ્રષ્ટિ, નવીનતા અને સાંસ્કૃતિક નેતૃત્વની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે વર્તમાનથી આગળ જોવાની અને ભવિષ્યનું ચિત્ર બનાવવાની ક્ષમતાને દર્શાવે છે. 12 January, 2026 05:42 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
આમ તો આને કઢેલું દૂધ પણ કહેવાય છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ અમદાવાદમાં ખજૂર અને કેસરિયા મલાઈ દૂધ શિયાળાની રાતોનું લોકપ્રિય પીણું

ગુજરાતમાં શિયાળાની ગુલાબી ઠંડી માત્ર સ્વેટર કે મફલર સુધી સીમિત નથી રહી. આ મોસમ તો ખાણી-પીણીના શોખીનો માટે ઉત્સવ બની ગઈ છે. ઉંધીયું-પુરી, લીલવા કે ગરમાગરમ ખીચડાથી આગળ વધીને આજે જો કોઈ ‘ટૉક ઓફ ધ ટાઉન’ બન્યું હોય, તો તે છે કઢાઈમાં ઉકળતું ગરમ ખજૂર દૂધ, સુગંધિત કેસરિયા મલાઈ દૂધ અને સાથે ગરમ મસાલા દૂધ સાથે જલેબીનો લ્હાવો, જે શિયાળાની મજા બમણી કરી દે છે. એક બાજુ રાત્રે જ્યારે દુનિયા સૂવાની તૈયારી કરે, ત્યારે ગુજરાતના માર્ગો પર મોટી કઢાઈઓમાં ઉકળતા કેસરિયા દૂધ અને કુદરતી મીઠાશ ધરાવતી ખજૂરની સોડમ પ્રસરે છે. આ માત્ર એક પીણું નથી, પણ અમદાવાદીઓ માટે એક આખી લાઈફસ્ટાઈલ બની ગઈ છે. આપણે જેને આજે ‘ફૂડ ટ્રેન્ડ’ કહીએ છીએ, તે હકીકતમાં સદીઓ જૂની આયુર્વેદિક પરંપરા છે. શિયાળામાં જ્યારે શરીરને ગરમી અને રોગપ્રતિકારક શક્તિની જરૂર હોય, ત્યારે દૂધ સાથે ખજૂર, સૂંઠ અને ગંઠોડાનું મિશ્રણ એક ઔષધ સમાન ગણાય છે. ખજૂર કુદરતી રીતે હિમોગ્લોબિન વધારે છે, જ્યારે કેસર અને ડ્રાયફ્રૂટ્સ શક્તિ આપે છે. ગુજરાતીઓને આ હેલ્થ ડ્રિંકને સ્વાદનો એવો ચસકો લાગ્યો છે કે આજે તે જંક-ફૂડને ટક્કર આપી રહ્યું છે. ચાલો, આજે શિયાળાના આ શાહી અને આરોગ્યપ્રદ પીણા વિશે વિગતવાર વાતો જાણીએ. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 09 January, 2026 12:56 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ દીપક ત્રિવેદીની રચનાઓ

કવિવાર : મનની કચરાપેટીમાં ભાઈ ફેરવજો સાવરણી... કવિ દીપક ત્રિવેદી

આજના કવિવારમાં માણીશું કવિ દીપક ત્રિવેદીની રચનાઓને. આમ તો દીપકભાઈ એટલે સિવિલ એન્જિનિયર. તેમની કલમ પણ એટલી જ બળૂકી છે. તેઓ સતત નવા નવા સાહિત્ય પ્રકારમાં સંશોધન પણ કરતા રહે છે. અધ્યાત્મ અને સંતકવિઓનાં સર્જનનો પણ ઊંડો અભ્યાસ ધરાવે છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ. 06 January, 2026 12:46 IST Mumbai | Dharmik Parmar
જુનાગઢનું કાવા બજાર શિયાળામાં લોકોને માટે મનગમતું સ્થળ બની જાય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ જૂનાગઢમાં શ્રદ્ધા, સ્વાસ્થ્ય અને સ્વાદનું સરનામું કાવા બજાર

જૂનાગઢ... આ નામ કાને પડતાની સાથે જ આંખ સામે ગિરનારના ગગનચુંબી શિખરો, ભવનાથના મેળામાં ગુંજતો શંખનાદ અને સોરઠી ધરતીની એ સોડમ જીવંત થઈ ઉઠે છે. પણ વાંચકો, આ વખતે મારે તમારી સાથે જૂનાગઢના ઇતિહાસની નહીં, પણ ત્યાંના રસ્તાઓ પર લહેરાતી એક અનોખી સુગંધથી મહેકતા બજારની વાત કરવી છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં, જ્યારે ગિરનારની ગિરીમાળાઓ ધુમ્મસની ચાદર ઓઢીને શાંત બેઠી હોય, ત્યારે ભવનાથની તળેટીમાં એક ખાસ બજાર ધમધમે છે, જે ‘ગિરનારી કાવા બજાર’ તરીકે ઓળખાય છે. આ માત્ર એક બજાર નથી, પણ શ્રદ્ધા, સ્વાસ્થ્ય અને સ્વાદનું એક એવું સંગમતીર્થ છે જ્યાં પહોંચ્યા પછી એમ લાગે કે જાણે કુદરતે પોતે આપણને જડીબુટ્ટીઓનું અમૃત પીરસવા માટે બોલાવ્યા છે. શિયાળાના દિવસોમાં જ્યારે આખું રાજ્ય ઠંડીથી ઠરતું હોય છે, ત્યારે ભવનાથનું તળેટી વિસ્તાર એક અનોખા ઉત્સવમાં ફેરવાઈ જાય છે. અહીં લાઈનબંધ 50 થી 60 કાવાની લારીઓ ધમધમતી જોવા મળે છે. લોકોની સાંજ પાડતા જ અહીં ભીડ જામવા લાગે છે અને જમ્યા પછી પ્રવાસીઓ ચા કે કૉફીના મોહને ત્યજીને આ આયુર્વેદિક ‘અમૃતપીણું’ પીવાનું પસંદ કરે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 02 January, 2026 06:16 IST Junagadh | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ સુધાંશુની રચનાઓ

કવિવાર: માર રે ખાઈને મંગલ જીવવાં જી રે…. કવિ સુધાંશુ

આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિ સુધાંશુની. તેમનું મૂળ નામ દામોદર કેશવજી ભટ્ટ. પણ તેમનું `સુધાંશુ` ઉપનામ જ તેમની ઓળખ છે. જન્મસ્થળ પોરબંદર. સૌરાષ્ટ્ર દૈનિકમાં નોકરીથી શરૂઆત કરી. મુંબઇમાં જન્મભૂમિ સાથે પણ તેઓએ અમૂક વર્ષો પત્રકારત્વમાં સેવા આપી. તેમના જીવન અને સાહિત્ય પર ઝવેરચંદ મેઘાણીનો ખૂબ પ્રભાવ. મેઘાણીની આંગળી પકડીને લોકસાહિત્યમાં અને પછીથી ભજનસાહિત્યમાં પણ તેમણે ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું. પરંપરાગત ભજનોના ઢાળ પર બેસીને તેઓએ અનેક નવલાં ભજનો પણ પીરસ્યાં છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ. 30 December, 2025 11:36 IST Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK