Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાઇફસ્ટાઈલ સમાચાર ફોટોઝ

બુધ પણ વક્રી થયો છે ત્યારે જાણો જુલાઈમાં તમારી રાશીએ શું કાળજી રાખવી જોઇએ

જુલાઈ 2026 લવ હોરોસ્કોપઃ તમારી રાશી સંબંધો, કમ્પેટિબિલિટી અને રોમાન્સ વિશે

પ્રેમ ભાગ્યે જ ફક્ત મોટા જેશ્ચર્સ, કમ્પલિટ ટાઇમિંગ કે રોમેન્ટિક સરપ્રાઇઝિસ વિશે હોય છે. પ્રેમ આપણી ભાવનાત્મક જરૂરિયાતો, આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ અને સંબંધો જ્યારે આપણને વિકસવા માટે પડકાર આપે ત્યારે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ તેનાથી ઘડતો હોય છે. વૈદિક જ્યોતિષમાં, આ ઊંડા ભાવનાત્મક પેટર્ન સૌથી સારી રીતે જન્મ રાશિથી સમજાય છે. ઘણા લોકો પોતાની સન સાઇનથી પરિચિત હોય છે, પણ સંબંધોની વાત આવે ત્યારે વૈદિક જ્યોતિષ મૂન સાઇન એટલે કે ચંદ્ર રાશી પર વધુ ભાર મૂકે છે. ચંદ્ર મન, લાગણીઓ, સહજ વૃત્તિ અને જોડાણને નિયંત્રિત કરે છે. તે પ્રભાવિત કરે છે કે આપણે પ્રેમ કેવી રીતે વ્યક્ત કરીએ છીએ, શ્યોરીટી કેવી રીતે શોધીએ છીએ, સંઘર્ષને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ અને આત્મીયતા કેવી રીતે બાંધીએ છીએ. એટલે જ ચંદ્ર રાશીનાં પ્રેડિક્શન્સ દિલની બાબતોમાં ઘણી વાર વધુ વ્યક્તિગત અને સચોટ લાગે છે.જો તમે આ મહિનાનું લવ ફોરકાસ્ટ વાંચી રહ્યા છો, તો શરૂ કરતાં પહેલાં તમારી જન્મ સમયની રાશી ચેક કરી લેવી યોગ્ય રહેશે. નીચે આપેલા ઇનસાઇટ્સ તમારી રાશિના ભાવનાત્મક પ્રભાવ પર આધારિત છે. - લેખકઃ કૃષ્ણન સંપથ, સિનિયર વૈદિક જ્યોતિષી, iMeUsWe 30 June, 2026 05:09 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ યુસુફ બુકવાલાની રચનાઓ

કવિવાર: થોડાં મુક્તક, થોડી ગઝલો અને નઝમો લઈને આવ્યો છે `યુસુફ`

તાજેતરમાં જ ભવન્સ અંધેરીમાં સ્વર્ગસ્થ કવિ યુસુફ બુકવાલાના કાવ્યસંપુટ `ચહેરા`ની બીજી આવૃત્તિનો લોકાર્પણ પ્રસંગ યોજાયો. કવિ યુસુફ એટલે ગુજરાતી ભાષાને જેણે મુક્તકોથી શણગારી છે. કવિની જન્મશતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે આવો કવિવારના માધ્યમથી તેમની ભાવવંદના કરીએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ. 30 June, 2026 12:54 IST Mumbai | Dharmik Parmar
આ રીતે પીરસાતાં સમોસા લોકોમાં બહુ પ્રિય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ અમદાવાદમાં અહીં જ મળે છે પાંચ દાયકાથી મમરાવાળા સિંધી સ્ટાઇલ સમોસા ચાટ

આખા ધાણા, વરિયાળી, અજમો અને જીરુંને ધીમી આંચે શેકીને અધકચરા પીસવામાં આવે, પછી તેમાં ઝીણા સમારેલા આદુ-મરચાં, હિંગ, હળદર, આમચૂર પાવડર અને ગરમ મસાલાનું સંતુલિત મિશ્રણ ઉમેરાય, ત્યારે એક અનોખી સુગંધ સર્જાય છે. આ તમામ સામગ્રી જ્યારે બાફેલા બટાકા અને ચણાદાળના માવા સાથે એકરૂપ થાય છે, ત્યારે તેની સોડમ જ સ્વાદપ્રેમીઓને આકર્ષવા માટે પૂરતી બની જાય છે. ત્યારબાદ આ મસાલેદાર પૂરણને સમોસાના પાતળા પડમાં ભરીને શુદ્ધ સીંગતેલમાં સોનેરી અને ખસ્તા થાય ત્યાં સુધી તળવામાં આવે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 26 June, 2026 02:57 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અહીંની સફર યાદગાર નિવડશે તેની ગેરંટી -તસવીર સૌજન્ય પીઆર

દરેક પ્રકારના પ્રવાસી માટે લુઇસિયાનાની યાદગાર રોડ ટ્રિપ્સની યાદી હાજર છે

લુઇસિયાનાની રોડ ટ્રિપનું આયોજન કરી રહ્યા છો? કુદરતી સૌંદર્યથી ભરપૂર આઉટડોર સફરો, અમેરિકાના ઇતિહાસના મહત્ત્વપૂર્ણ પ્રકરણો સાથે પરિચય કરાવતી યાત્રાઓ, સંગીતના વારસાને ઉજાગર કરતી ટ્રેલ્સ કે કલા અને સંસ્કૃતિની રંગબેરંગી સફરો – લુઇસિયાનામાં દરેક રસ-રૂચિના પ્રવાસી માટે કંઈક વિશેષ છે. આ માર્ગો પરની દરેક સફર અનોખાં સ્થળો અને અનુભવો સાથે તમને લુઇસિયાનાની સમૃદ્ધ સાંસ્કૃતિક તથા પ્રાકૃતિક ધરોહરને નજીકથી ઓળખવાની તક આપે છે. 23 June, 2026 06:03 IST Louisiana | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ હરજીવન દાફડાની રચનાઓ

કવિવાર: વિશ્વને પ્રેમનું પટોળું કરવા નીકળેલા કવિ હરજીવન દાફડા

કવિવારની આજની શ્રેણીના વાત અમેરલીના કવિ હરજીવન દાફડાની. અમરેલીના દેવળિયા ગામમાં એમનો જન્મ. વ્યવસાયે સિવિલ એન્જિનિયરિંગ હોવાથી ગુજરાત પાણીપુરવઠા બોર્ડમાં સેવા બજાવી. હાલમાં તેઓ સેવાનિવૃત્ત થઈને આયુર્વેદિક ક્લિનિક ચલાવી રહ્યા છે.  ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ. 23 June, 2026 03:30 IST Mumbai | Dharmik Parmar
તો ‘આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ’ ગાતાં-ગાતાં ઊપડીએ દેશના અલગ-અલગ પ્રાંતોના વરુણદેવને પાય લાગવા.

આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ

મેઘરાજાએ તો ખરી કરી ભઈસાબ. આજે ૨૧ જૂન થઈ છતાં હજી દેખા નથી દીધી. વેધશાળાનો રિપોર્ટ કહે છે કે જૂન મહિનાના ૧૭થી પચીસ દિવસ રેઇની ડે હોય છે અને આ મહિનામાં તો ઍવરેજ ૫૦૦થી ૬૩૦ મિલીમીટર જેટલો વરસાદ પડી પણ ગયો હોય છે. જોકે છેલ્લાં ૧૦ વર્ષમાં આ જૂન સૌથી ડ્રાય મહિનો રહ્યો છે ત્યારે હવે વરુણદેવને રીઝવ્યે જ છૂટકો. તો હાલો આજે આપણે તીર્થાટનમાં આકાશ પર રાજ્ય કરતા આ જળના દેવનાં મંદિરોએ જઈએ આમ તો શહેરને વર્ષભર પાણી પૂરું પાડતાં જળાશયો ઓવરફ્લો થઈ જાય એટલો જ વરસાદ ગમે. બાકી ચોમાસામાં લોનાવલા કે માલશેજ ઘાટની એકાદી ટ્રિપ અને હાઇટાઇડના દિવસોમાં મરીન ડ્રાઇવની પાળે વિતાવેલી સાંજ સિવાય મુંબઈકર મેહુલાને વધારે માણી શકતો નથી. અને ક્યાંથી માણે? ઑલરેડી આ મહાનગરના માર્ગોની હાલત બિસમાર છે. એમાં વરસાદ આવતાં ષોડશી કન્યાના ચહેરા પર જ્યાં-ત્યાં ફૂટી નીકળતા ખીલની જેમ રસ્તા પર જ્યાં-ત્યાં પડી જતા ખાડા, બેહદ ટ્રાફિક જૅમ, પાણીનો ભરાવો જેવા પ્રૉબ્લેમ્સ અહીંના સિટિઝનોની હાલત ખરાબ કરી મૂકે છે. એમાંય જો મેઘો ગાંડો થયો તો-તો અહીંની જીવનરેખા સમી રેલવેનું ટાઇમટેબલ પણ ઉપર-નીચે થઈ જાય અને લોકોના શેડ્યુલમાં ગાબડાં પડી જાય. રાજસ્થાનના બુંદી શહેરના નવલસાગર સરોવરની મધ્યમાં પણ વરુણદેવને સર્મપિત મંદિર છે. સરોવરની સુંદરતા વધારતા આ મંદિરની ખાસિયત એ છે કે અહીં જળદેવતાને જળની અંદર જ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. જોકે હવે આ શહેરીજનો વર્ષારાણીની ડેસ્પરેટલી વાટ જોઈ રહ્યા છે, કારણ કે શહેરભરમાં જબરદસ્ત પાણીકાપ ચાલી રહ્યો છે. એવા ટાણે આપણે જળના દેવ વરુણજીને મનોમન પ્રાર્થના કરીએ અને તેમનાં મંદિરોની માનસયાત્રા કરીએ. એ પણ એક નહીં પૂરાં પાંચ અને એક તો વિદેશનું બોનસમાં. વૈદિક ધર્મમાં ૧૦ દિકપાલમાંના એક ગણાતા વરુણદેવ કશ્યપ અને અદિતિ માતાનું સંતાન. કહે છે કે સપ્તઋષિઓમાંના એક વૈદિક ઋષિ કશ્યપે જ પોતાના પુત્રને નદી, ઝરણાં, સમુદ્ર આદિ જળના સર્વે સ્રોતના સ્વામી સલિલેશ્વર તરીકે સ્થાપિત કર્યા. જોકે નીલમણિ સમાન તેજસ્વી વરુણદેવ ફક્ત પાણીના જ દેવતા બનીને ન રહ્યા. આપણા રામાયણ, મહાભારત, પુરાણોમાં અનેક પ્રસંગો દર્શાવે છે કે તેમણે સમયે-સમયે પાંડવો, દશરથ-પુત્રોને વિવિધ આયુધો આપ્યાં છે અને મદદ કરી છે. આ ઉપરાંત પણ આપણા પ્રાચીન ગ્રંથોમાં વરુણદેવને મહત્ત્વના દેવતા ગણાવાયા છે, કારણ કે જળ વિના સૃષ્ટિનું સંવર્ધન થવું શક્ય નથી. એ અન્વયે મોટા ભાગનાં મંદિરોમાં તેમને વિધ-વિધ સ્થાન આપવામાં આવે છે. ક્યારેક તેઓ દિશા અનુસાર મંદિરની બહારની દીવાલો પર સ્થાપિત હોય છે તો ક્યાંક કોતરણી અને કારીગીરીમાં. જોકે ભારતમાં પાંચ અને પાકિસ્તાનમાં એક આખેઆખું મંદિર વરુણદેવને સર્મપિત છે. હા, પાડોશી દેશમાં પણ. વળી એ મંદિર તો છેક સોળમી સદીમાં બનેલું છે. જો વરુણદેવના આશીર્વાદ સમાન વરસાદમાં ભીંજાવું ન હોય તો છત્રી, રેઇનકોટ લઈ લો (કારણ કે આ દેવાલયમાં શુદ્ધ ભાવથી દર્શન કરશો તો વરુણદેવ પ્રસન્ન થવાના જ). તો ‘આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ’ ગાતાં-ગાતાં ઊપડીએ દેશના અલગ-અલગ પ્રાંતોના વરુણદેવને પાય લાગવા. 21 June, 2026 06:16 IST Mumbai | Alpa Nirmal
ક્રોએશિયાના યોગાચાર્ય જાદ્રાન્કો મિકલેક નરેન્દ્ર મોદી સાથે.

આજે બારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે એક દિવસ નહીં પણ એક જનઆંદોલન બનતું જાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિએ પણ ૧૯૦ દેશોમાં ૨૫૦૦થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને યોગ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે એવા દુનિયામાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગશિક્ષકો સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનમાં યોગનો ઉદ્ભવ કેવી રીતે થયો? તેમણે પોતાના દેશમાં યોગનો વ્યાપ કયા સ્તર પર વધાર્યો? યોગ તેમના માટે શું છે અને કઈ રીતે તેઓ ભારતની આ પરંપરાને ખાસ ગણે છે? દર વર્ષે ૨૧ જૂને વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં કરોડો લોકો એકસાથે યોગાભ્યાસ કરે છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને પૅરિસના આઇફલ ટાવર સુધી વિશ્વના ખૂણે-ખૂણે યોગના કાર્યક્રમો યોજાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિને આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ મહત્ત્વનું છે કે યોગની વ્યાપકતા જેટલી વધી છે એટલી જ યોગની ઉપયોગિતાને વધારવાના પ્રયાસો પણ થયા છે. જેમ કે યોગ પર ઢગલાબંધ રિસર્ચો થયાં છે અને સ્વાસ્થ્ય-રક્ષાથી લઈને સારવારમાં દુનિયાના દેશો યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં જેવા મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોમાં પણ સત્તાવાર રીતે યોગ દિવસની ઉજવણી થાય છે અને ત્યાંની સ્કૂલોમાં યોગને માન્યતા આપવામાં આવી છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા વધીને ૪ કરોડને પાર થઈ ગઈ છે. કેટલાંક સર્વેક્ષણો દર્શાવે છે કે યોગ દિવસની સામૂહિક ઉજવણી અને પ્રચારને કારણે દુનિયાના ૩૦ ટકાથી વધુ લોકોએ પોતાના જીવનમાં પહેલી વાર યોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૩ના યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૫થી વધુ દેશોના નાગરિકોએ એકસાથે ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જે યોગની વૈશ્વિક સ્વીકૃતિનું સૌથી મોટું આંકડાકીય પ્રતીક છે. આ બધી જ વાતોનો સૂર માત્ર એટલો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ હવે કોઈ દિવસ નથી પણ જનઆંદોલન છે જેને આખી દુનિયાએ ૪ હાથે વધાવ્યો છે. એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના યોગીઓની પણ કમાલ છે જેમણે યોગને લોકલથી ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી અને જેમના કાર્યને બિરદાવવા ભારત સરકારે તેમને પ્રધાનમંત્રી યોગ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા. આજે એવા જ કેટલાક યોગીઓની દુનિયામાં ડોકિયું કરીએ. 21 June, 2026 04:48 IST Mumbai | Ruchita Shah
મહારાષ્ટ્રના ઉલ્લાસનગરની ફેમસ બટન પાપડી ચાટ, જેને અમદાવાદમાં બટર પાપડી ચાટ કહે છે, તે છેલ્લા 10 મહિનાથી અમદાવાદમાં મળે છે

જ્યાફતઃ ઉલ્લાસનગરનાં `બટન-બટર પાપડી ચાટ` નો તીખો-મીઠો સ્વાદ હવે અમદાવાદમાં

​અમદાવાદ શહેરને જો કોઈ એક વાત માટે દેશભરમાં ઓળખવામાં આવે છે, તો એ છે અહીંના લોકોનો ખાણી-પીણી પ્રત્યેનો અદભુત પ્રેમ. જૂના શહેરની પોળોમાં મળતા ગરમાગરમ ભજિયાથી લઈને આધુનિક કેફે સુધી, અમદાવાદીઓ હંમેશાં નવા સ્વાદોને ખુલ્લા દિલથી આવકારતા આવ્યા છે. કદાચ એટલે જ્યારે મને ખબર પડી કે મહારાષ્ટ્રના ઉલ્લાસનગરની ફેમસ બટન પાપડી ચાટ, જેને અમદાવાદમાં બટર પાપડી ચાટ કહે છે, તે છેલ્લા 10 મહિનાથી અમદાવાદમાં મળે છે, ત્યારે એને જોવાની અને ચાખવાની મારી ઉત્સુકતા એકદમ વધી ગઈ. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 19 June, 2026 06:49 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK