Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાઇફસ્ટાઈલ સમાચાર ફોટોઝ

આ વાર્તા છે અમદાવાદના પાલડી વિસ્તારમા ઘરે બનાવેલા નાસ્તા પીરસતા મનાલીબેન ઠક્કરની, જેમની સફળતા પાછળ ૧૩ વર્ષનો અવિરત પરિશ્રમ અને સ્વાદ પ્રત્યેની અડગ પ્રામાણિકતા છુપાયેલી છે. (તસવીરો : પૂજા સાંગાણી)

હાંડવો, ઢોકળા, મુઠીયા જેવા ઘરેલુ સ્વાદિષ્ટ નાસ્તા માટેનું એક જ મુકામ એટલે પાલડી

અમદાવાદની સાંજ એટલે માત્ર ટ્રાફિકનો ઘોંઘાટ નહીં, પણ ખાણી-પીણીના શોખીનો માટે એક જીવંત ઉત્સવ. માણેકચોકના મસ્કાબનથી લઈને સિંધુભવનના ફેન્સી કાફે સુધી જાતજાતની વાનગીઓ અમદાવાદમા પીરસાય છે, પણ સાચો અને તૃપ્તિ આપનારો સ્વાદ ઘણીવાર ઝાકઝમાળ ધરાવતી એસી રેસ્ટોરન્ટ્સમાં નહીં, પરંતુ રસ્તાના કોઈ ખૂણે ઉભેલી નાનકડી લારી કે સાધારણ સ્ટોલ પર છુપાયેલો હોય છે. આજે મારે તમને એક એવી સ્ત્રીની વાત કરવી છે, જેણે સાબિત કર્યું છે કે, જો મનમાં અડગ ધગસ અને હાથમાં રસોઈનું હુન્નર હોય, તો ફૂટપાથ પર લાગેલી એક નાનકડી છત્રી પણ આખા શહેરના લોકોના દિલ જીતી શકે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 10 April, 2026 05:35 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં શ્રી અખિલ ભારતીય કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા સૌથી મોટાં નેઇલ આર્ટ ટ્રેનિંગ વર્કશોપ દરમિયાનની તસવીરો

સૌથી મોટા નેઇલ આર્ટ ટ્રેનિંગ વર્કશોપનું સફળ આયોજન, 504 વિદ્યાર્થીઓએ મેળવી તાલીમ

મુંબઈમાં શ્રી અખિલ ભારતીય કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ મહિલા ઉત્કર્ષ સમિતિ (Shree Akhil Bhartiya Kutch Vagad Leuva Patidar Samaj Mahila Uttkarsh Samiti) દ્વારા ત્રણ દિવસનું મોટું નેઇલ આર્ટ ટ્રેનિંગ વર્કશોપ સફળતાપૂર્વક યોજાયું હતું. આ વર્કશોપમાં કુલ 504 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને નેઇલ આર્ટની વિવિધ ટેક્નિક્સમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવી. આ વિશે જાણો વધુ... 08 April, 2026 07:36 IST Mumbai | Shilpa Bhanushali
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ તેજસ દવેની રચનાઓ

કવિવાર: તારાથી જે થાય કરી લે... કવિ તેજસ દવે

કવિવારની શ્રેણીમાં આજે યુવાકવિ તેજસ દવેની રચનાઓ માણવી છે. તેજસ દવે ઉત્તમ સંચાલન પણ કરી જાણે છે. કવિતાઓ, ગીતો, અછાંદસો, નાટકો લખનાર તેજસ દવે પાસેથી આપણને `ઓગળતી જિંદગીના સમ` નામે સંગ્રહ મળે છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.   07 April, 2026 02:29 IST Mumbai | Dharmik Parmar
 ૧૯ માર્ચથી શરૂ થયેલી ઉત્તરવાહિનીની નર્મદા પરિક્રમા ૧૮ એપ્રિલે પૂરી થશે.

નર્મદાની ૨૧ કિલોમીટરની પરિક્રમામાં આ ૯ મંદિરોનાં દર્શન અચૂક કરજો

સોશ્યલ મીડિયાના પ્રતાપે અનેક દશકાઓથી થતી મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા છેલ્લાં થોડાં વર્ષોથી ભારે પૉપ્યુલર થઈ છે. એક સમયે સંતો, સાધુઓ તથા પ્રખર ભક્તો જે યાત્રા કરતા એ પવિત્ર પરિક્રમા વડીલો અને યુવાનો સુધ્ધાં મોટી સંખ્યામાં કરે છે. ઘણા યાત્રાળુઓ પરિક્રમાના રૂટ પર આવેલાં પૌરાણિક અને મહત્ત્વનાં મંદિરોનાં દર્શન નથી કરતા. પણ દોસ્તો, ૨૧ કિલોમીટરની આ સર્ક્યુલર યાત્રામાં આ મંદિરોનાં દર્શન કરવાં એ પરિક્રમાનો જ ભાગ છે ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી મા ગંગા કાશીમાં વિશ્વનાથનાં દર્શન કરવા જેમ ફરીને ઉત્તર તરફ વહેવા લાગે છે એ જ રીતે મા રેવા ઉત્તરમાં આવેલા કૈલાશમાં રહેતા કૈલાશપતિનાં દર્શન કરવા ૯ કિલોમીટરના પટ્ટામાં પોતાનું વહેણ બદલીને ઉત્તરમાં વહે છે. ગંગાજી ભારતની સૌથી પવિત્ર નદી ગણાય છે. શિવજીની જટામાંથી નીકળતી આ સરિતામાં સ્નાન કરવાથી પાપમુક્ત થવાય છે. એ જ રીતે યમુનોત્રી ધામથી ઉદ્ભવતી યમુનાનાં જળના પાનથી વ્યક્તિની પુણ્યરાશિ વધે છે. છતાં બન્ને નદીઓની પરિક્રમાનો કોઈ ઉપક્રમ નથી. પરિક્રમા તો માત્ર નર્મદા નદીની થાય છે, કારણ કે સ્કંદપુરાણમાં રેવા ખંડનો એક શ્લોક છે, ‘નર્મદા સરિતાં શ્રેષ્ઠાં, શિવતત્ત્વ સમન્વિતામ, શિવસ્મરણ પ્રાપ્તયે, સર્વ પાપ વિનાશિની.’ અર્થાત્ નર્મદા શ્રેષ્ઠ નદી છે જે શિવ-સ્મરણ કરાવે છે અને શંભુના સ્મરણમાત્રથી સર્વ પાપનો વિનાશ થાય છે. કહેવાય છે કે દરેક જીવો ના સ્નાનથી, ના પાનથી, નર્મદાનાં દર્શનમાત્રથી પુનિત થાય છે. લગભગ ૭૦૦૦ વર્ષ પહેલાં ઋષિ માર્કન્ડેયએ પ્રથમ વખત મા રેવાની પરિક્રમા કરી. મધ્ય પ્રદેશની પૂર્વીય સીમાએ આવેલા અમરકંટકથી નીકળી ગુજરાતના ખંભાતના અખાતમાં આવીને સમુદ્રમાં ભળી જતી નર્મદાની કુલ લંબાઈ ૧૩૧૨ કિલોમીટર છે, જ્યારે એની પરિક્રમા ૨૬૦૦ કિલોમીટરની થાય છે. માર્કન્ડેય ઋષિને આ યાત્રા કરતાં ૩ વર્ષ ૩ મહિના ૧૩ દિવસ લાગ્યા હતા. પૌરાણિક ગ્રંથો કહે છે કે આ પરિક્રમા કર્યા બાદ મુનિને અહંકાર આવી જતાં તેમની સાધના વિફળ ગઈ અને માર્કન્ડેય ઋષિએ પ્રાયશ્ચિત્તરૂપે રેવામાં ભળતી ૯૯૯ સહાયક નદીઓના ઉદ્ગમની પણ યાત્રા કરતાં-કરતાં ફરી એક વખત નર્મદામૈયાની પરિક્રમા કરી જે પૂરી કરતાં તેમને ૪૫ વર્ષ લાગ્યાં હતાં (જોકે કોઈ સંદર્ભ અનુસાર એ ૭ વર્ષમાં થઈ હતી). આજે પણ અનેક સાધુ-સંતો મહર્ષિ માર્કન્ડેયની જેમ આખી પરિક્રમા ૩ વર્ષ ૩ મહિના ૧૩ દિવસની કરે છે અને અનેક ભક્તો આ પૂર્ણ પરિક્રમા ચારથી ૬ મહિનામાં કરે છે. જોકે સનાતન ધર્મની ઉદારતા જુઓ કે જેમના માટે રેવાની દીર્ઘ પરિક્રમા કરવી શક્ય નથી તેઓ ફક્ત ૨૧ કિલોમીટરની ઉત્તરવાહિનીની પરિક્રમા કરીને પણ પુણ્યનું ભાથું બાંધી શકે છે. કહે છે કે મા બિપાશાની ૩ ઉત્તરવાહિનીની પરિક્રમા દીર્ઘ પરિક્રમા કર્યાનું પુણ્ય આપે છે. દર ચૈત્ર મહિનામાં મા નર્મદાની ઉત્તરવાહિનીની પરિક્રમા થાય છે જે તિલકવાડા અથવા રામપુરાથી શરૂ કરી શકાય છે. આ પરિક્રમા દરમ્યાન અનેક નાનાં-મોટાં પ્રાચીન-અર્વાચીન મંદિરો, આશ્રમો અને સિદ્ધ સ્થળો આવે છે જ્યાં ભક્તો દર્શન કરીને પાવન થાય છે. જોકે આ મંદિરો અને આશ્રમો વિશે વાત કરતાં પહેલાં આપણે એ જાણવું સારું રહેશે કે ઉત્તરવાહિનીની પરિક્રમા એટલે શું? ભારતની મોટા ભાગની નદીઓનું વહેણ ઉત્તરથી દક્ષિણ અથવા પશ્ચિમથી પૂર્વ તરફનું છે. એક માત્ર રેવા પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. એ વહેણમાં નર્મદા રાજપીપળા જિલ્લાના ૯ કિલોમીટરના વિસ્તારમાં પોતાની દિશા છોડીને ઉત્તર તરફ વહેવા લાગે છે. વૈદિક પરંપરામાં ઉત્તર દિશા મોક્ષની દિશા ગણાય છે. આથી ઉત્તરવાહિની (ઉત્તર તરફ વહેતી)ની પરિક્રમા મોક્ષ-મુક્તિદાતા ગણાય છે. હવે રેવાના વિપરીત પ્રવાહ વિશે પ્રચલિત લોકકથાની વાત કરીએ તો ભોળેનાથ જ્યારે મેકલ પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તેમના શરીર પરથી પડેલાં પ્રસ્વેદનાં ટીપાંમાંથી એક સરોવર બન્યું. આ સરોવરમાંથી સુંદર કન્યા પ્રગટ થઈ અને દેવતાઓએ તેનું નામ નર્મદા રાખ્યું. પૌરાણિક કથા આગળ કહે છે કે મેકલની પુત્રી કહેવાતી નર્મદા જ્યારે વિવાહયોગ્ય થઈ ત્યારે રાજાએ ઘોષણા કરી કે જે વ્યક્તિ ગુલબકાવલીનું ફૂલ લઈ આવશે તેને નર્મદા વરશે (અન્ય માન્યતા મુજબ આ શરત નર્મદાએ રાખી હતી). કહાની આગળ ધપાવીએ તો રાજકુમાર સોનભદ્રએ આ શરત પૂરી કરી અને નર્મદા તેમ જ સોનભદ્રનાં લગ્નની તૈયારીઓ શરૂ કરવામાં આવી. જોકે વિવાહ પહેલાં નર્મદાએ તે રાજકુમારને જોવા હતા. તેમણે પોતાની સખી જોહિલાને પોતાનાં વસ્ત્રો પહેરાવી સંદેશો લઈને સોનભદ્ર પાસે મોકલી. ત્યારે રાજકુમાર સમજ્યા કે તે દાસી જ નર્મદા છે અને તેમણે તે કન્યા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ રાખી દીધો. સોનભદ્રથી મોહિત થઈ ગયેલી જોહિલાએ રાજાને સત્ય ન કહ્યું અને તેમના પ્રસ્તાવને સ્વીકારી લીધો. આ બાજુ નર્મદા સખી જોહિલાની રાહ જોવા લાગી, પરંતુ જ્યારે તે પાછી ન ફરી અને નર્મદાને આખા બનાવની જાણ થઈ ત્યારે તેણે જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્પ લીધો અને ક્રોધમાં પોતાનું વહેણ બદલી દીધું. 05 April, 2026 01:46 IST Mumbai | Alpa Nirmal
લસ્સીનો એક ગ્લાસ પેટ ભરવા માટે પૂરતો હોય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ પીઓ લસ્સી જીઓ અસ્સી, સુરતની 80 વર્ષ જૂની જય શંકર લસ્સીની લિજ્જત

આઠ દાયકાથી સુરતની જય શંકર લસ્સી તેની અનોખી ઘટ્ટતા અને પીઓ લસ્સી જીઓ અસ્સી ના સૂત્ર સાથે લોકોના દિલ જીતી રહી છે. સુરત વિશે કહેવાય છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ નસીબદારને જ મળે. તાપી નદીના કિનારે વસેલા આ સોનાની મુરત જેવા શહેરમાં સ્વાદની એવી સોડમ છે કે રસ્તે ચાલતા માણસને પણ ભૂખ લાગી જાય. સુરતીઓ ખાવાના જેટલા શોખીન છે એટલા જ આગ્રહી પણ છે. અને જ્યારે વાત ઉનાળાની બળબળતી બપોરની હોય ત્યારે સુરતીલાલાઓને ઠંડક આપવા માટે કોઈ ઠંડું પીણું નહીં પણ જય શંકર લસ્સીનો એક ગ્લાસ જ કાફી છે. તો ચાલો આજે તમને લઈ જઉં સુરતના હૃદયસમા ચોક બજાર વિસ્તારમાં જ્યાં છેલ્લા 80 વર્ષથી એક સ્વાદની વિરાસત અડીખમ ઉભી છે. આ માત્ર એક લસ્સીની દુકાન નથી પણ સુરતના ઈતિહાસ અને સંઘર્ષની જીવતી જાગતી ગાથા છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 03 April, 2026 07:55 IST Surat | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ ઉમેશ જોષીની રચનાઓ

કવિવાર: અહિંસા, સત્ય છે ખપ પૂરતાં - કવિ ઉમેશ જોષી

કવિવારની આજની શ્રેણીમાં રમેશ પારેખને ગામ જઈએ. આજે તાન્કાકવિ ઉમેશ જોષીનાં કાવ્યો તમારી સામે મૂકવા છે. વલારડીમાં જન્મેલા ઉમેશભાઈ પ્રાથમિક ટીચર રહ્યા છે એટલે બાળકાવ્યોનો સંપૂટ `તારલા` આપી શક્યા છે. અમરેલીમાં જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર ટ્રસ્ટમાં તેઓ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સક્રિય છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ. 31 March, 2026 02:23 IST Mumbai | Dharmik Parmar
પ્રખ્યાત `Shraddha Kothi Icecream` (તસવીરો : પૂજા સાંગાણી)

જ્યાફત: અમરેલીનો પ્રખ્યાત `શ્રદ્ધા કોઠી આઈસ્ક્રીમ`ની ઠંડક હવે અમદાવાદના આંગણે

આજે નૅશનલ આઈસ્ક્રીમ ડે છે. અમદાવાદની કાળઝાળ ગરમી અને ખાણી-પીણી પ્રત્યેનો તેમનો પ્રેમ, આ બંને વચ્ચે એક અનોખો સંબંધ છે. ગમે તેવી ગરમી હોય, પણ જો સાંજે સાબરમતી રિવરફ્રન્ટ પર બેસીને કે સિંધુભવન રોડ પર ટહેલતા-ટહેલતા કઈંક ઠંડું-મીઠું મળી જાય, તો દિવસભરનો થાક ઉતરી જાય છે. આજકાલ ફૂડ ઈન્ડસ્ટ્રીમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. લોકો હવે માત્ર સ્વાદ પાછળ નથી ભાગતા, સ્વાદની સાથે સ્વાસ્થ્યને (Health with Taste) પણ એટલું જ મહત્વ આપે છે. આ જ કારણ છે કે શહેરમાં `રિયલ ફ્રૂટ બેઝ્ડ આઈસ્ક્રીમ`નો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધી રહ્યો છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 27 March, 2026 03:55 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ દેવેન્દ્ર જોશીની રચનાઓ

કવિવાર : જિંદગી પણ કેટલા નખરા બતાવે છે! કવિ દેવેન્દ્ર જોશી

કવિવારની શ્રેણીમાં આજે મુંબઈના સર્જક દેવેન્દ્ર જોશીની ગઝલો મૂકવી છે. ૭૮ વર્ષના દેવેન્દ્રભાઈએ ગઝલ-સર્જન થકી પોતાની જાતને નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રાખી છે. મૂળે ટેક્સ્ટટાઇલ ટેકનોલોજીમાં સ્નાતક દેવેન્દ્ર જોશી વર્ષ ૨૦૦૩માં ઇંડિયન પેટ્રોકેમિકલમાંથી સેવાનિવૃત્ત થયા ત્યાર પછી આ કવિએ પોતાને સાહિત્ય અને સંગીતમાં ઓતપ્રોત કરી નાખી છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ. 24 March, 2026 01:11 IST Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK