Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાઇફસ્ટાઈલ સમાચાર ફોટોઝ

આજનાં વન્ડર વુમન છે અર્ચના ગોહેલ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વન્ડર વુમન: સાઉદી અરેબિયામાં ગુજરાતી વાનગીઓ અને નાસતાનો ચસકો લગાવ્યો છે આ બહેને

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના ‘સ્ત્રીત્વ’ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણા વન્ડર વુમન છે અર્ચના ગોહેલ જેમણે સાઉદી અરેબિયામાં ભારતીય વાગની ખાસ કરીને ઓથેન્ટિક ગુજરાતી નાસતાનો ચસકો લગાવ્યો અને તેમના આ નાસતાની ડિમાન્ડ દિવસેને દિવસે વધી જ રહી છે. તો ચાલો આજે જાણીએ કે મૂળ ગુજરાતના વતની અર્ચનાબેહેનના હાથની વાનગીઓ કેવી રીતે સાઉદીમાં બની ગઈ પ્રખ્યાત. 26 November, 2025 03:19 IST Mumbai | Viren Chhaya
આજના કવિવારના એપિસોડમાં કવિ દેવજી મોઢાની રચનાઓ

કવિવાર: મારા ફળીનાં ઝાડવાં બે હતાં કરતાં એક દિ’ વાતો- દેવજી મોઢા

કવિવારના આજના એપિસોડમાં દેવજી મોઢાની રચનાઓ. ગાંધીયુગના આ કવિએ ૧૯૩૦માં મેટ્રિક પાસ કરીને મુંબઈ યુનિવર્સીટી સાથે જોડાયેલી કરાચીની ડીજે સિંધ કોલેજમાંથી એમએનું શિક્ષણ પૂરું કર્યું હતું. પાકિસ્તાનનો ઉદ્ભવ થયા બાદ તેઓપોરબંદર આવી ગયા હતા અને અહીંની સ્કૂલમાં આચાર્યપદ શોભાવ્યું હતું. તેમની કવિતાઓમાં ગાંધીજીવનનો પડઘો સંભળાય છે. સરળતા સાથે ક્યાંક  ગુરુશિષ્યના નાતાની સાહજિકતા પણ તેમનાં કાવ્યોનું જમાપાસું રહ્યું છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. 25 November, 2025 11:46 IST Mumbai | Dharmik Parmar
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

શિયાળામાં મળતી આ શાકભાજી સાથે કરો તમારા ફૅટી લિવરને રિવર્સ

શિયાળામાં સૌથી મોટું સુખ એ છે કે શાકભાજી અને ફળો અત્યંત તાજાં અને પોષણથી ભરપૂર આવે છે. જેમને શાક લેવાનો અને ખાવાનો શોખ હોય તેમના માટે આ ઋતુ એક ઉત્સવ બની જતી હોય છે. શાકભાજી ખાવાથી હેલ્થ એકદમ ચમકી જાય એ તો સૌકોઈ જાણે છે પણ આ શાકભાજીમાં એવાં તત્ત્વો પણ રહેલાં છે જે તમને તમારા રોગોમાંથી મુક્ત કરવાની તાકાત પણ ધરાવે છે. આજની તારીખે નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર ડિસીઝનો વ્યાપ વધી રહ્યો છે. દારૂ લિવરને ડેમેજ કરે છે એ સૌકોઈ જાણે છે પણ જે લોકો દારૂ નથી પીતા તેમનું લિવર પણ ડૅમેજ થઈ જતું હોય છે. આંકડાઓ મુજબ દુનિયાભરમાં ૩૨ ટકા વયસ્ક લોકોને ફૅટી લિવરની સમસ્યા જોવા મળે છે જેમાં લિવર પર ફૅટ જમા થવાને કારણે લિવર પોતાનું કામ બરાબર કરી શકતું નથી. આ રોગ વધતો જાય તો લિવર ફેલ થઈ શકે છે. આ રોગનાં અલગ-અલગ તબક્કા હોય છે. પહેલા અને બીજા સ્ટેજનું ફૅટી લિવર હોય એટલે કે રોગની જો શરૂઆત જ હોય તો એને લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવીને પાછું ઠેલી શકાય છે. આ રોગને પાછો ઠેલવવામાં ડાયટ મહત્ત્વનો ભાગ છે જેમાં કેટલીક શાકભાજી છે જે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે જાણીએ એવી કેટલીક શાકભાજી જે ફૅટી લિવરને રિવર્સ કરવામાં મદદરૂપ સાબિત થાય.’ 25 November, 2025 10:31 IST Mumbai | Jigisha Jain
વિવિધ મોબાઇલ લાઇબ્રેરી

ઘોડા અને ઊંટ પર, સાઇકલ પર અને બસમાં... પુસ્તકો સામે ચાલીને આવે છે વાંચનારાઓ પાસે

ભારતમાં બાળકો સુધી વાંચનની દુનિયાને પહોંચાડવા માટે અનેક અનોખી અને સર્જનાત્મક લાઇબ્રેરીઓ કાર્યરત છે જે પરંપરાગત પુસ્તકાલયોથી બિલકુલ અલગ અને રસપ્રદ છે. ક્યાંક ઊંટ, ઘોડા, ગધેડા જેવાં જાનવરોની પીઠ પર પુસ્તકો લઈ ગામ સુધી લાઇબ્રેરી પહોંચે છે તો ક્યાંક બસ-સ્ટૉપને જ પુસ્તકોના નાના ખજાનામાં ફેરવી દેવામાં આવ્યું છે. કેટલાંક શહેરોમાં જૂની બસોને રંગીન ચલિત લાઇબ્રેરી બનાવવામાં આવી છે તો ક્યાંક સાઇકલ અને કાર્ટ દ્વારા બાળકો સુધી વાર્તાઓ પહોંચે છે. આ તમામ પહેલોથી એક વાત ચોક્કસ તરી આવે છે, દરેક બાળક સુધી પુસ્તક અને જ્ઞાનની સુગંધ પહોંચાડવાની આગ્રહભરી ઇચ્છા. ભારતમાં જન્મેલી આ અનોખી લાઇબ્રેરીઓ માત્ર વાંચન જ નહીં પણ કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને આશાની નવી દુનિયા ઉજાગર કરે છે. જોકે બુકમોબાઇલ કે મોબાઇલ લાઇબ્રેરી જેવો શબ્દ ૧૮મી સદીથી અસ્તિત્વમાં છે. ભારતમાં વીસમી સદીની શરૂઆતમાં જ્યારે વાહનોની અવરજવર નહોતી કે રસ્તાઓ પાકા નહોતા ત્યારે બળદગાડા દ્વારા આ મોબાઇલ લાઇબ્રેરી ચાલતી હતી. એટલે આધુનિક ભારતમાં મોબાઇલ લાઇબ્રેરીમાં કેટલી વિવિધતા આવી છે એ જાણીએ. માત્ર પુસ્તકો માટે જ આ વાક્ય લખી શકાય કે Beg, borrow or steal: પણ વાંચો. એટલે કે આજીજી કરીને, ઉધાર લઈને કે ચોરી કરીને પણ પુસ્તક વાંચો. બાળકોમાં વાંચનની આદત કેળવવા માટે ભારતભરમાં કેટલાય લોકો પ્રયાસ કરી રહ્યા છે જેના કારણે જન્મ થઈ રહ્યો છે વિવિધ મોબાઇલ લાઇબ્રેરીઓનો 23 November, 2025 02:08 IST Mumbai | Laxmi Vanita
કેટલીક ચીજવસ્તુઓ એવી છે કે એ તરત એનર્જી એક્સચેન્જ કરે છે અને દરેક એનર્જીની પોતાની એક તાકાત છે એટલે શાસ્ત્રોમાં અમુક ચીજવસ્તુઓ માગીને પહેરવાની ના પાડવામાં આવી છે

કઈ વસ્તુ માગીને વાપરવી કે પહેરવી નહીં?

કોઈ અન્યએ વાપરેલી ચીજવસ્તુ સાથે તેનાં કર્મ, વિચારધારા અને ઇમોશન જોડાયેલાં હોય છે. બીજાની એ ચીજવસ્તુ વાપરવાથી ઘણી વખત એ ચીજ વાપરનારાના વિકાસ, વિચારો, આત્મવિશ્વાસ અને નિર્ણયક્ષમતા પર નકારાત્મક અસર પહોંચી શકે છે એટલે જ શાસ્ત્રોમાં અન્ય કોઈએ વાપરી હોય એવી કેટલીક ચીજવસ્તુ લેવાની સ્પષ્ટતાપૂર્વક ના પાડવામાં આવી છે. કોની કઈ ચીજ માગીને વાપરવી નહીં એ જાણવું જોઈએ અને પછી એ ચીજ માગીને પહેરવા કે વાપરવાની માનસિકતા પણ છોડવી જોઈએ. 23 November, 2025 10:51 IST Mumbai | Acharya Devvrat Jani
આ થાળી મન મોહે તેવી છે અને સ્વાદ તો યાદ રહી જાય તેવો - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ ઠંડીમાં ચૂલાના રોટલા, તુવેરટોઠા, કાજુ લસણ અને લીલી હળદરના શાકની જમાવટ

શિયાળાની સવાર અને સાંજ જ્યારે ગુલાબી ઠંડીનો અહેસાસ કરાવે, ત્યારે ગુજરાતીઓના મનમાં સૌથી પહેલો વિચાર એક જ આવે ગરમાગરમ, ઘીથી લદબદ અને મસાલેદાર દેશી ભોજન. જો તમે પણ કાઠિયાવાડી ભોજનના સાચા રસિયા હો, અને સ્વાદની શોધમાં અમદાવાદથી લોંગ ડ્રાઈવ પર નીકળવા તૈયાર હો, તો ગાંધીનગર પાસેનું ‘રાંધેજા’ ગામ તમારા માટે એક તીર્થસ્થાન સમાન બનશે. આમ તો રાંધેજા છેલ્લા ૯૫ વર્ષથી તેની પ્રખ્યાત ‘ભેળ’ માટે જાણીતું છે, પરંતુ છેલ્લા સાત વર્ષથી અહીં એક નવું આકર્ષણ ઉમેરાયું છે, જે શિયાળાના મેનૂનો સરતાજ બની ગયું છે. આ સ્થળ એટલે હર્ષદભાઈ પટેલનું ‘હરિ ઓમ ફૂડ એન્ડ સ્પાઇસીસ હાઉસ’. ગાંધીનગરના પાદરે આવેલા રાંધેજા ગામની ચોકડી પાસે, હર્ષદભાઈના બંગલાના આંગણામાં ધમધમતું આ ફૂડ જોઈન્ટ હવે ભોજનપ્રેમીઓ માટે ‘વિન્ટર ડેસ્ટિનેશન’ બની ચૂક્યું છે. મારી આ મુલાકાત માત્ર ભોજન માટે નહીં, પણ એક અનુભવ માટે હતી, જેની ભલામણ મને મીના આંટીએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "ત્યાંનો મસાલો અને સ્વાદ જેવો બીજે ક્યાંય નથી." બસ, આ શબ્દો પર વિશ્વાસ મૂકીને અમે સાંજ પડ્યે હરિઓમનો સ્વાદ માણવા ઉપડી ગયા. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 21 November, 2025 02:29 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
સૂપરફૂડ

૫૦ વર્ષની ઉંમર પછી સ્ત્રીઓએ આ પાંચ સુપરફૂડ લેવાં જ જોઈએ

મોટા ભાગે આ ઉંમરમાં સ્ત્રીને મેનોપૉઝ આવી ચૂક્યો હોય છે અને કેટલીક સ્ત્રીઓને મેનોપૉઝ આવી રહ્યો હોય છે. આ બન્ને પરિસ્થિતિમાં સ્ત્રીની જરૂરિયાત ઘણી જુદી હોય છે. નૉર્મલ ડાયટની સાથે-સાથે અમુક વસ્તુઓનો ખોરાકમાં સમાવેશ તેમની શારીરિક, માનસિક અને હૉર્મોનલ હેલ્થને સ્ટેબલ રાખવામાં મદદરૂપ થાય છે. સુપરફૂડનું નામ સાંભળીને ગભરાઈ ન જતા. એ તો એકદમ દેશી છે જેથી અપનાવવું ખૂબ સરળ છે. આજે જાણીએ આ સુપરફૂડ શું છે અને કઈ રીતે મદદરૂપ છે. જો તમારા ઘરમાં ૫૦ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રી હોય તો તેનામાં ખાસ જોવા મળતો એક ગુણ એ હશે કે તેણે આખી જિંદગી પોતાના ઘરનું અને ઘરના લોકોનું ખૂબ ધ્યાન રાખ્યું હશે; પણ તેનામાં એક મોટો અવગુણ પણ હશે કે આ ૫૦ વર્ષના જીવનમાં તેણે ખુદની જાતને ખૂબ અવગણી હશે, ખુદનું ધ્યાન નહીં જ રાખ્યું હોય. એક ઉંમર પછી તેને પોતાના આ અવગુણ વિશે ખબર પણ પડી હોય, પરંતુ થાય એવું કે પછી ખુદને બદલવી અઘરું પડી જાય. જોકે આ અઘરું કામ કરવું પડશે એ દરેક સ્ત્રીએ સમજવાનું રહ્યું. એનું કારણ એ છે કે સ્ત્રીઓમાં દર ૧૦ વર્ષે મોટા બદલાવ આવે છે. એ બદલાવ હૉર્મોન સંબંધિત હોય, ઉંમર સંબંધિત હોય. એમાં પણ ખાસ કરીને મેનોપૉઝ પછી દરેક સ્ત્રીમાં ઘણા મોટા બદલાવ આવે. મેનોપૉઝ પછી ખરેખર સ્ત્રીનો નવો જન્મ જ કહી શકાય, કારણ કે તેનું આખું શરીર બદલાઈ જાય છે. આજકાલ ૪૫-૪૮ વર્ષની ઉંમર મેનોપૉઝની ઉંમર ગણાય છે. મેનોપૉઝ આવી જાય એ પછી સ્ત્રીના શરીરની એજિંગ-પ્રોસેસ ખૂબ ઝડપી થઈ જાય છે. ૫૦ વર્ષ પછી એકદમ જ એ એજિંગનાં ચિહ્‌નો સામે આવે છે. ખાસ કરીને હાડકાં નબળાં થઈ જાય છે, એનર્જી ઘટી જાય છે, કશું કરવાની ઇચ્છા નથી થતી, સુસ્તી આવી જાય છે, થાક વધુ લાગે છે. આ સિવાય વારસાગત આવતા રોગો આ સમયે ઊથલો મારે છે; જેમ કે ડાયાબિટીઝ, થાઇરૉઇડ, ઓબેસિટી, હાઈ બ્લડ-પ્રેશર, હાર્ટ-ડિસીઝ વગેરે. આ રોગોથી બચવા માટે પણ ૫૦ વર્ષ પછી વધુ ધ્યાન આપવું જરૂરી છે. ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ પાસેથી જાણીએ કે એવાં કયાં સુપરફૂડ છે જે ૫૦ની ઉંમર પછી દરેક સ્ત્રીએ પોતાની ડાયટમાં સામેલ કરવાં જરૂરી છે જેનાથી આ બધી તકલીફો ન આવે અને શરીરને મેનોપૉઝ પછીની તકલીફોથી સરળતાથી સાચવી શકાય. સુપરફૂડનું નામ સાંભળીને ગભરાઈ ન જાઓ. એ એકદમ દેશી સુપરફૂડ છે એટલે એમને અપનાવવાં એકદમ સરળ છે.  21 November, 2025 12:22 IST Mumbai | Jigisha Jain
સ્વાસ્થ્યાસનના એકોતેરમા એપિસોડમાં યોગ નિર્દેશક કરિશ્મા પાઊં (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ભૂખ અને તરસ પર કાબૂ મેળવવા માટે કરો શીતલી પ્રાણાયામ, જાણો ફાયદા

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું શીતલી પ્રાણાયામ વિશે. તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે કરવું જોઈએ શીતલી પ્રાણાયામ. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં. 20 November, 2025 05:55 IST Mumbai | Shilpa Bhanushali

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK