મુંબઈમાં થોડા સમયથી સપર ક્લબનો ટ્રેન્ડ વિકસતો જાય છે. ઇન્સ્ટાગ્રામ પર સપર ક્લબમાં જમતા હોય એવા લોકોની રીલ દિવસે ને દિવસે વધતી જાય છે. સપર એટલે ગુજરાતીમાં વાળુ. પોતાના ઘરનું, પ્રાંતનું, કોઈ ચોક્કસ ક્વિઝીનનું કે દેશી ખાવાનું જાતે બનાવીને ઘરના સેટ-અપમાં ખવડાવવાનો ટ્રેન્ડ એટલે સપર ક્લબ. આ સપર ક્લબમાં રેસ્ટોરાંની જેમ જ પૈસા ચૂકવીને જમવાનું હોય છે, પણ રેસ્ટોરાંથી વિપરીત અહીં બહુબધા માણસો અને કોઈ જાતનો કોલાહલ નથી હોતા. થાળી-ટાઇપનું આ ભોજન મહેમાન બનીને કોઈના ઘરે જમવા ગયા હોઈએ એમ બાકીના માત્ર દસ-પંદર જણ સાથે માણવાનું હોય છે08 November, 2025 02:44 IST Mumbai | Jigisha Jain
ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત રાજ્યનું પાટણ જિલ્લાનું સિદ્ધપુર એક એવું ઐતિહાસિક અને ધાર્મિક શહેર છે, જે પોતાની વિશિષ્ટ સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતું છે. જ્યાં એક તરફ માતૃગયા અને બિંદુ સરોવરનો ધાર્મિક મહિમા છે, તો બીજી તરફ વ્હોરા સમાજની ભવ્ય હવેલીઓ ભૂતકાળના વૈભવની ગાથા ગાય છે. આ તમામ ઐતિહાસિક અને શાંતિપૂર્ણ વાતાવરણની વચ્ચે, સિદ્ધપુરના એક ખૂણે રોજ સવારથી સાંજ સુધી મીઠાશ અને સ્વાદની સુગંધ મહેકતી રહે છે. અને આ સુગંધનું સરનામું છે, લાલુમલની પ્રસિદ્ધ લસ્સીની દુકાન. અહીં લસ્સી પીવાતી નથી, ખવાય છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)07 November, 2025 02:08 IST Sidhdhpur | Gujarati Mid-day Online Correspondent
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ચક્કી હલાસન’ વિશે જેને ‘ચક્કી ચાલનાસન’ પણ કહેવાય છે તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.06 November, 2025 02:00 IST Mumbai | Viren Chhaya
પૂજા કે લગ્નપ્રસંગોમાં સ્ત્રીઓ હેર ઍક્સેસરીઝ તરીકે પ્લાસ્ટિકના બનેલા આર્ટિફિશ્યલ ફ્લાવર્સને બદલે તાજાં ફૂલોનો ઉપયોગ કરતી થઈ છે ત્યારે આવનારી વેડિંગ સીઝનમાં ફૂલોથી બનેલી હેર ઍક્સેસરીઝનો દબદબો રહેવાનો છે એમ કહેવું ખોટું નથી. 04 November, 2025 05:32 IST Mumbai | Gujarati Mid-day Correspondent
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘યસ્તિકાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.04 November, 2025 05:18 IST Mumbai | Hetvi Karia
કોઈ પણ હાઈ સ્ટ્રેસવાળી જૉબમાં માનસિક થાક લાગવો સ્વાભાવિક છે. આપણે જ્યારે માનસિક થાક અનુભવીએ ત્યારે એની અસર એકાગ્રતા, કામ કરવાની ક્ષમતા, મનોદશા અને ઊંઘ પર પડે છે જેનાથી ચીડિયાપણું, માથાનો દુખાવો અને તનાવ વધી શકે છે. હાઈ સ્ટ્રેસવાળી જૉબમાં થાક લાગવાનું કૉમન છે, પણ એને કારણે કામ કરવાનો ઉત્સાહ જ જો ખતમ થઈ જતો હોય તો તમારે તમારા દૈનિક જીવનમાં કેટલીક હેલ્ધી હૅબિટ અપનાવવી જ જોઈએ જે તમારા મગજને ઝડપથી રિકવર કરે. જોકે સ્વસ્થ આદતો અપનાવીને તમે તમારા બ્રેઇનને ઝડપથી રિકવર થવા માટે ટ્રેઇન કરી શકો છો. ન્યુરોસર્જ્યન ડૉ. જય જગન્નાથને સોશ્યલ મીડિયા પર માનસિક થાકનો સામનો કરવા માટેની પાંચ વસ્તુઓ જણાવી છે. 04 November, 2025 02:15 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજે ફરી એકવાર કવિવારના એપિસોડમાં ગુજરાતની યુવા કલમ તરફ જવું છે. માળિયા હાટીનાના યુવાકવિ જયદીપ મહેતા જે `સૂર` અને `આરદીપ` ઉપનામથી સર્જન કરે છે. પોતે સરસ કંઠ પણ ધરાવે છે એટલે પોતાની ગઝલો, ગીતોને સોશિયલ મીડિયા પર ગાઈને વહેતી પણ મૂકે છે. ઊનામાં જન્મેલ આ યુવાકવિનો જન્મ ૨૪-૨-૯૮ના રોજ થયેલો. જયદીપે ૨૦૨૦થી સાહિત્યસર્જનમાં પગરણ માંડ્યા છે. ત્યારે આવો આ યુવા અવાજને માણીએ...
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.04 November, 2025 10:03 IST Mumbai | Dharmik Parmar
સામાન્ય રીતે વધતી ઉંમર સાથે જીવનમાં પ્રવૃત્ત રહેવાનો અને નવું શીખવાનો શોખ ઓસરતો જાય છે, પણ ભાંડુપમાં રહેતા ૮૧ વર્ષના પ્રાણજીવન મિસ્ત્રી અને ૭૭ વર્ષનાં દીના મિસ્ત્રી આ ધારણાને ખોટી પાડીને જીવનની પાછલી વયને મોજથી જીવી રહ્યાં છે03 November, 2025 09:14 IST Mumbai | Heena Patel
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK