Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લાઇફસ્ટાઈલ સમાચાર ફોટોઝ

અનોખાં દાનવીર દાદીએ બનાવેલી વસ્તુઓનું કૉલાજ

અનોખાં દાનવીર દાદી

૮૨ વર્ષનાં કેસરબહેન નિસર કાને ઓછું સાંભળે છે, પરંતુ નવરાં બેસી રહેવાનું નહીં ગમતું હોવાથી નાનપણમાં પોતાની મમ્મી પાસેથી શીખેલું મોતીકામ કરીને જાતજાતની વસ્તુઓ બનાવે છે. એને નજીવા ભાવે વેચીને મહિનાની લગભગ વીસેક હજારની આવકને સારા કામમાં દાનમાં આપી દે છે. પારાવાર પૉઝિટિવિટી ધરાવતાં આ કર્મઠ દાદી સાથે ગુફ્તગો કરીએ 16 September, 2025 04:50 IST Mumbai | Ruchita Shah
આજના કવિવારના એપિસોડમાં કવિ હિમાંશુ ભટ્ટની રચનાઓ

કવિવાર : મળે જો બધું તો, સ્વભાવો નડે છે - કવિ હિમાંશુ ભટ્ટ

કવિવારના આજના એપિસોડમાં ગુજરાતી ભાષાના એક આશાસ્પદ યુવા કવિ તરફ જવું છે. કમનસીબે કવિ હયાત નથી. પરંતુ તેઓની ગઝલો એટલી જ સાંપ્રત અને જીવતી જણાય છે. હિમાંશુ ભટ્ટની રચનાઓમાં સરળતા અને સહજતાની સાથે જીવનના ગૂઢ વ્યક્ત કરવાની ગજબ કસબ છે. તેમનો જાણીતો શેર છે કે `ન હો જો કશું તો, અભાવો નડે છે/ મળે જો બધું તો, સ્વભાવો નડે છે` ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. 16 September, 2025 10:30 IST Mumbai | Dharmik Parmar
મગદળનો સ્વાદ લોકોને દાઢે વળગે તેવો હોય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ છોટાકાકાના મગદળનો સ્વાદ આખું વર્ષ લોકપ્રિય, શ્રાદ્ધમાં ખાસ

હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ અવસરે ચાણોદ અને સિદ્ધપુર ગુજરાતના એવા બે પ્રાચીન તીર્થસ્થાનો છે, જ્યાં પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. વિવિધ તીર્થસ્થાનોમાં માતૃ શ્રાદ્ધ વિધિ કરતા હજારો શ્રદ્ધાળુઓ પાટણ જિલ્લાની પ્રાચીન નદી સરસ્વતીના કિનારે વસેલા ઐતિહાસિક શહેર સિદ્ધપુરમાં ભેગા થાય છે. અહીંનું ખાસ આકર્ષણ છે `છોટાકાકા મગદળવાળા`, જ્યાં શ્રાદ્ધ દરમિયાન ભાવના અને પરંપરાનો ખાસ અનુભવ થાય છે. પરંપરાગત રીતરિવાજ સાથે તથા અતિશય કાળજીપૂર્વક બનાવાતું આ મગદળ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મેળવી ચૂક્યું છે. ચાર પેઢીથી સંચાલિત આ પ્રખ્યાત પરંપરા શ્રદ્ધા અને સ્વાદનું અનોખું સંકલન રજૂ કરે છે. આ લેખનું મથાળું વાંચતાં જ તમને અંદાજ આવી ગયો હશે કે આજે હું સિદ્ધપુરના પ્રખ્યાત મગદળની ખાસિયતો અને તેની પ્રસિદ્ધિ વિશે વાત કરવા જઈ રહી છું. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 12 September, 2025 03:52 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના બાસઠમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ધાર્યા સમયમાં કામ પૂરું નથી કરી શકતા? આ મુદ્રાનો અભ્યાસ કરી લો

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું `અંકુશ મુદ્રા`ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં. 11 September, 2025 01:07 IST Mumbai | Dharmik Parmar
આજનાં વન્ડર વુમન છે લજ્જા સંભવનાથ. (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

Wonder Woman: ભારતીય કળાને વિદેશી સંસ્કૃતિ સાથે જોડી ઇતિહાસ રચ્યો લજ્જા સંભવનાથે

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે લજ્જા સંભવનાથ. લજ્જા સંભવનાથ એક એવાં કલાકાર છે જેમણે માત્ર ભારતમાં જ નહીં પણ પોર્ટુગલની ધરતી પર પણ ભારતીય સંસ્કૃતિ, પરંપરા એવા કથક નૃત્યનો ડંકો વગાડ્યો છે. જાણો તેમના વિશે વિગતે... 10 September, 2025 07:54 IST Mumbai | Shilpa Bhanushali
આર. માધવન

જવાની સદાબહાર કે બુઢાપો બેમિસાલ?

તાજેતરમાં આર. માધવને ઉંમર સાથે આવતા સફેદ વાળનો સહજતા સાથે સ્વીકાર કરવાની વાત કરી છે. બેશક, કેટલાક લોકો એવું માને છે કે ઉંમર સાથે દેખાવમાં આવતા બદલાવોનો સહર્ષ સ્વીકાર કરવાનો હોય તો કેટલાક એવું પણ માને છે કે એજ ઇઝ જસ્ટ અ નંબર, દેખાવ તો હંમેશાં અપ-ટુ-ડેટ જ જોઈએ અને એને ઉંમર સાથે શું લેવાદેવા? તમે આમાંથી શું પ્રિફર કરો? જીવન એટલે ચલતી કા નામ ગાડી અને ગાડી જેમ ચાલે એમ એને પણ જો ડેપ્રિશિએશન લાગતું હોય તો શરીરને પણ વધતી ઉંમર સાથે ઘસારો લાગે જ. ઉંમર સાથે આવતા બદલાવોમાંથી કેટલાક એવા બદલાવ છે જેને ઘણા લોકો પસંદ નથી કરતા અથવા તો એ બદલાવોને બદલીને વધુ બહેતર ફીલ કરે છે તો કેટલાક લોકો એવા પણ છે જે એ સિલ્વર ઇનિંગ્સને એના ઓરિજિનલ સ્વરૂપમાં જ સ્વીકારવામાં વધુ આનંદ અનુભવે છે. આજે આ વાત નીકળી છે જાણીતા ઍક્ટર આર. માધવને આપેલા એક ઇન્ટરવ્યુને કારણે. થોડાક સમય પહેલાં માધવને કહ્યું હતું કે ‘શું થાય, ઉંમર સાથે સફેદ વાળ આવી ગયા તો આવી ગયા. એમાં શું થઈ શકે? એને ડાઇ કરીને કાળા કરવાનું મને નથી ગમતું. હા, કોઈ ફિલ્મમાં રોલની જરૂરિયાત મુજબ બધા બદલાવો કરીશ, પરંતુ સામાન્ય જીવનમાં ઉંમર સાથે આવતા આ બદલાવને મેં સ્વીકારી લીધો છે.’ જોકે માધવન જેવી વિચારધારાથી વિપરીત વિચારો ધરાવતા ઘણા જાણીતા ચહેરાઓ તમને દેખાશે જેઓ માત્ર સ્ક્રીન પર જ નહીં પણ પોતાના અંગત જીવનમાં પણ યંગ લુકને પ્રાધાન્ય આપીને જરૂરી ગ્રૂમિંગ કરતા રહે છે. કોણ સાચું? માધવન જેવા લોકો જેઓ માને છે કે ઉંમર સાથે આવતા બદલાવોને ઊજવવા જોઈએ કે પછી એ લોકો જેઓ ઉંમરના બદલાવોનો પડછાયો જીવનના રંગોને હણી ન નાખે એ માટે સજાગ રહીને પોતાને ટિપટૉપ રાખવામાં પાવરધા છે? જવાબ જાણવા અમે આ બન્ને બાબતમાં પોતાનો અલાયદો મત ધરાવતા અને એ મતને અનુસરતા ગુજરાતીઓ સાથે વાત કરી. તેમની પાસે પોતાના મંતવ્યને જસ્ટિફાય કરવા માટેના વિશિષ્ટ તર્કો છે. તો ચાલો જાણીએ બન્ને બાજુના અભિગમ પાછળનાં કારણો અને પછી પોતાનો નિર્ણય લઈએ.   09 September, 2025 03:23 IST Mumbai | Ruchita Shah
આજના કવિવારના એપિસોડમાં કવિ દિલીપ રાવલની રચનાઓ

કવિવાર: એક છોકરો થયો છે સાવ ધેલો - કવિ દિલીપ રાવલ

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. કવિવારની સફરમાં આજે ફરી એકવાર મુંબઈ તરફ આવવું છે. બહુમુખી પ્રતિભા ધરાવતા દિલીપ રાવલની રચનાઓ તરફ જઈએ. છેલ્લાં ત્રીસ વર્ષથી તેઓ સાહિત્ય-સર્જન સાથે જોડાયેલા છે. ગઝલ, ગીતોના સર્જન ઉપરાંત તેઓ ગજબનું સંચાલન પણ કરી જાણે છે. 09 September, 2025 10:48 IST Mumbai | Dharmik Parmar
કાઠિયાવાડી ભોજનનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે - સૌરાષ્ટ્રનું ખાણું ભરુચ થઇને અમદાવાદ પહોંચ્યું - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ ભરૂચના જાણીતા શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો સ્વાદ હવે અમદાવાદમાં ફેમસ

કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણવા ગુજરાતીઓ દરેક ઋતુમાં ખાસ ઘરના રોજિંદા જમણ વચ્ચે અઠવાડિયામાં કે મહિને એક વખત કાઠિયાવાડી ઢાબાની મજા માણવા જરૂર પહોંચી જતા હોય છે. તેમના માટે આ ભોજન માત્ર સ્વાદ નહીં પણ એક સંસ્કૃતિ છે. એવામાં ભરૂચની પ્રસિદ્ધ બ્રાન્ડ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા (SKKD), જેણે કાઠિયાવાડી વાનગીઓ સાથે પંજાબી ભોજનમાં અનોખો કાઠિયાવાડી ટચ આપી ખાદ્ય જગતમાં આગવી ઓળખ ઉભી કરી છે, આજે દેશ-વિદેશમાં 100થી વધુ શાખાઓ સાથે લોકપ્રિય બની છે. ગુજરાતના હાઇવે પર આ બ્રાન્ડની અનેક શાખાઓ છે, અને અમદાવાદમાં પણ સેટેલાઇટ, બોપલ, ગોતા, ભાટ સર્કલ, વસ્ત્રાલ, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં સ્થાયી ઉપસ્થિતિ ધરાવે છે. આ તમામમાં તાજેતરમાં વિષ્ણુભાઈ જોશી દ્વારા સાયન્સ સિટી વિસ્તારમાં ખોલવામાં આવેલી નવી શાખા ખાસ ચર્ચામાં છે, જ્યાં મારો અનુભવ વિશેષ યાદગાર રહ્યો. માત્ર એક મહિના દરમિયાન જ અહીં ભારે ભીડ ઉમટી રહી છે, સાથે જ ખાસ આકર્ષણ રૂપે બપોરનું જમણ સાંજે ચાર વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી) 05 September, 2025 03:11 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK