Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તમે બે કિલો કચરો પાછો લઈ જશો?

પ્રદીપ સાંગવાનનો જન્મ હરિયાણાના એક સામાન્ય પરિવારમાં થયો. બાળપણથી જ તેઓ પ્રકૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષિત હતા. જોકે તેમના શરૂઆતના જીવનમાં એવું કંઈ ખાસ નહોતું કે જે સૂચવે કે એક દિવસ તેઓ હિમાલયના સંરક્ષણ માટે દેશભરમાં જાણીતા બનશે.

14 June, 2026 04:46 IST | Mumbai | Laxmi Vanita

ફેમિલી હોલિડે માટે ભારતના શ્રેષ્ઠ દરિયાકિનારા

ભારતમાં પરિવાર સાથે બીચ વેકેશનનું આયોજન કરતી વખતે સામાન્ય રીતે એક સંપૂર્ણ સંતુલન શોધવાનું હોય છે.

09 June, 2026 12:40 IST | Mumbai | Bespoke Stories Studio

ચારધામની જાત્રા પણ આ મંદિરે દર્શન કર્યા વિના અધૂરી છે

ગુજરાતનાં ૪ મુખ્ય કૃષ્ણ મંદિરો પ્રસિદ્ધ છે : દ્વારકા, ડાકોર, શામળાજી અને ઢીમા. ઢીમાને મિની દ્વારકા પણ કહેવાય છે.

07 June, 2026 02:44 IST | Mumbai | Alpa Nirmal

સાંચ બરાબર તપ નહીં, ઝૂઠ બરાબર પાપ જાકે હૃદય સાંચ હે, તાકે હૃદય આપ

સુરતના કામરેજ વિસ્તારમાં શ્રી સદ્ગુરુ કબીરસાહેબનું મોટું મંદિર આવેલું છે જે કબીરપંથી સાધુ બાબા બરુઆદાસજી મહારાજે નિર્માણ કરાવ્યું છે.

31 May, 2026 02:04 IST | Mumbai | Alpa Nirmal


અન્ય આર્ટિકલ્સ

બરફથી છવાયેલો મુક્તિનાથ મંદિર પરિસર

ભગવાન વિષ્ણુએ વૃંદાના શ્રાપથી જ્યાં મુક્તિ મેળવી એ મુક્તિનાથ ધામે જઈએ

ભારતના બધા પ્રદેશો અને વિસ્તારોમાં મંદિરોની સમૃદ્ધ વિરાસત આવેલી છે જે ઇતિહાસ, શ્રદ્ધા અને જાગૃતિનાં જીવંત પ્રમાણો છે. એમાંય અમુક દેવળો તો એમની પૌરાણિકતા, આધ્યાત્મિકતા અને ચૈતન્યતાને કારણે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

24 May, 2026 12:20 IST | Mumbai | Alpa Nirmal
પૅરિસ, ફ્રાન્સ, ચીન અને બ્રાઝિલ

૨૪ વર્ષની ઉંમરે બધા ૧૯૭ દેશો ઘૂમી વળ્યો છે આ બિહારી બાબુ

૨૦૧૭થી શુભમે વિશ્વ ખેડવાનું શરૂ કરી દીધું હતું, પણ ઘરમાં હજીયે ખબર નહોતી કે અમારો દીકરો વિશ્વભોમિયો બની રહ્યો છે. છેક ૨૦૨૦ની સાલમાં ઘરે ખબર પડી અને એ પણ શુભમની યુટ્યુબ ચૅનલ દ્વારા કે આ ભાઈસાહેબ ભણી નથી રહ્યા પરંતુ વિશ્વની ફૂદરડી ફરી રહ્યા છે.

17 May, 2026 12:46 IST | Mumbai | Aashutosh Desai
રીયુનિયન આયલૅન્ડ

છોટા પૅકેટ, બડા ધમાકા

તામિલ નવું વર્ષ થીમિથી, ચીની ઉત્સવ ગુના દી તેમ જ પિતૃઓને ખુશ કરવા માટેનો કૈવડી ઉત્સવ અહીં ધામધૂમથી મનાવવામાં આવે છે. ૨૦ ડિસેમ્બરે અહીં ખાસ જલસો મનાવાય છે કેમ કે આ દિવસે રીયુનિયન આઇલૅન્ડ પરથી ગુલામપ્રથા નાબૂદ થઈ હતી.

17 May, 2026 12:14 IST | Mumbai | Alpa Nirmal


ફોટો ગેલેરી

આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ

મેઘરાજાએ તો ખરી કરી ભઈસાબ. આજે ૨૧ જૂન થઈ છતાં હજી દેખા નથી દીધી. વેધશાળાનો રિપોર્ટ કહે છે કે જૂન મહિનાના ૧૭થી પચીસ દિવસ રેઇની ડે હોય છે અને આ મહિનામાં તો ઍવરેજ ૫૦૦થી ૬૩૦ મિલીમીટર જેટલો વરસાદ પડી પણ ગયો હોય છે. જોકે છેલ્લાં ૧૦ વર્ષમાં આ જૂન સૌથી ડ્રાય મહિનો રહ્યો છે ત્યારે હવે વરુણદેવને રીઝવ્યે જ છૂટકો. તો હાલો આજે આપણે તીર્થાટનમાં આકાશ પર રાજ્ય કરતા આ જળના દેવનાં મંદિરોએ જઈએ આમ તો શહેરને વર્ષભર પાણી પૂરું પાડતાં જળાશયો ઓવરફ્લો થઈ જાય એટલો જ વરસાદ ગમે. બાકી ચોમાસામાં લોનાવલા કે માલશેજ ઘાટની એકાદી ટ્રિપ અને હાઇટાઇડના દિવસોમાં મરીન ડ્રાઇવની પાળે વિતાવેલી સાંજ સિવાય મુંબઈકર મેહુલાને વધારે માણી શકતો નથી. અને ક્યાંથી માણે? ઑલરેડી આ મહાનગરના માર્ગોની હાલત બિસમાર છે. એમાં વરસાદ આવતાં ષોડશી કન્યાના ચહેરા પર જ્યાં-ત્યાં ફૂટી નીકળતા ખીલની જેમ રસ્તા પર જ્યાં-ત્યાં પડી જતા ખાડા, બેહદ ટ્રાફિક જૅમ, પાણીનો ભરાવો જેવા પ્રૉબ્લેમ્સ અહીંના સિટિઝનોની હાલત ખરાબ કરી મૂકે છે. એમાંય જો મેઘો ગાંડો થયો તો-તો અહીંની જીવનરેખા સમી રેલવેનું ટાઇમટેબલ પણ ઉપર-નીચે થઈ જાય અને લોકોના શેડ્યુલમાં ગાબડાં પડી જાય. રાજસ્થાનના બુંદી શહેરના નવલસાગર સરોવરની મધ્યમાં પણ વરુણદેવને સર્મપિત મંદિર છે. સરોવરની સુંદરતા વધારતા આ મંદિરની ખાસિયત એ છે કે અહીં જળદેવતાને જળની અંદર જ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. જોકે હવે આ શહેરીજનો વર્ષારાણીની ડેસ્પરેટલી વાટ જોઈ રહ્યા છે, કારણ કે શહેરભરમાં જબરદસ્ત પાણીકાપ ચાલી રહ્યો છે. એવા ટાણે આપણે જળના દેવ વરુણજીને મનોમન પ્રાર્થના કરીએ અને તેમનાં મંદિરોની માનસયાત્રા કરીએ. એ પણ એક નહીં પૂરાં પાંચ અને એક તો વિદેશનું બોનસમાં. વૈદિક ધર્મમાં ૧૦ દિકપાલમાંના એક ગણાતા વરુણદેવ કશ્યપ અને અદિતિ માતાનું સંતાન. કહે છે કે સપ્તઋષિઓમાંના એક વૈદિક ઋષિ કશ્યપે જ પોતાના પુત્રને નદી, ઝરણાં, સમુદ્ર આદિ જળના સર્વે સ્રોતના સ્વામી સલિલેશ્વર તરીકે સ્થાપિત કર્યા. જોકે નીલમણિ સમાન તેજસ્વી વરુણદેવ ફક્ત પાણીના જ દેવતા બનીને ન રહ્યા. આપણા રામાયણ, મહાભારત, પુરાણોમાં અનેક પ્રસંગો દર્શાવે છે કે તેમણે સમયે-સમયે પાંડવો, દશરથ-પુત્રોને વિવિધ આયુધો આપ્યાં છે અને મદદ કરી છે. આ ઉપરાંત પણ આપણા પ્રાચીન ગ્રંથોમાં વરુણદેવને મહત્ત્વના દેવતા ગણાવાયા છે, કારણ કે જળ વિના સૃષ્ટિનું સંવર્ધન થવું શક્ય નથી. એ અન્વયે મોટા ભાગનાં મંદિરોમાં તેમને વિધ-વિધ સ્થાન આપવામાં આવે છે. ક્યારેક તેઓ દિશા અનુસાર મંદિરની બહારની દીવાલો પર સ્થાપિત હોય છે તો ક્યાંક કોતરણી અને કારીગીરીમાં. જોકે ભારતમાં પાંચ અને પાકિસ્તાનમાં એક આખેઆખું મંદિર વરુણદેવને સર્મપિત છે. હા, પાડોશી દેશમાં પણ. વળી એ મંદિર તો છેક સોળમી સદીમાં બનેલું છે. જો વરુણદેવના આશીર્વાદ સમાન વરસાદમાં ભીંજાવું ન હોય તો છત્રી, રેઇનકોટ લઈ લો (કારણ કે આ દેવાલયમાં શુદ્ધ ભાવથી દર્શન કરશો તો વરુણદેવ પ્રસન્ન થવાના જ). તો ‘આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ’ ગાતાં-ગાતાં ઊપડીએ દેશના અલગ-અલગ પ્રાંતોના વરુણદેવને પાય લાગવા.
21 June, 2026 06:16 IST | Mumbai | Alpa Nirmal

થોરોંગ લા પાસ સમિટ‍

જીવનનો પહેલો ટ્રેક સીધો ૫૪૧૬ મીટર ઊંચાઈનો

જવું હતું એવરેસ્ટ બેઝ કૅમ્પ, પહોંચી ગયાં અન્નપૂર્ણા સર્કિટ

20 April, 2026 01:58 IST | Mumbai | Varsha Chitaliya
મંદિરમાં ભવ્ય સુવર્ણ મૂર્તિ હોવા છતાં કોઈ સ્પેશ્યલ સિક્યૉરિટી કે ગાર્ડ નથી. સ્વયં શ્રીકૃષ્ણ પોતાની રક્ષા કરે છે.

૧૨૮૦ કિલો શુદ્ધ સોનામાંથી બનેલી કાનુડાની આ મૂર્તિનું મૉનેટરી મૂલ્ય તો આંકી શકાય

અને અમને લાગે છે કે ભારતની અસલી અસ્મિતા, સંસ્કૃતિ, સંસ્કાર ભારતના આ બેબસ, લાચાર, રાંક, વંચિત મનુષ્યો જ સાચવીને બેઠા છે.

19 April, 2026 03:33 IST | Mumbai | Laxmi Vanita
ઓડિશાના અંગુલ જિલ્લામાં આવેલા સતકોસિયા ટાઇગર રિઝર્વ પાસે ચા બનાવતાં કાજલબહેન અને સાથે નવીનભાઈ.

ઘરે પાછા ફરવામાં દોઢેક વર્ષ લાગી જશે, પણ અહીં ઉતાવળ કોને છે?

કારને મિની હોમ બનાવીને ભારતભ્રમણ કરવા નીકળી પડ્યું છે રાજકોટનું આ કપલ

19 April, 2026 01:29 IST | Mumbai | Varsha Chitaliya


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK