Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હિંડનબર્ગના વિવાદિત અહેવાલ વચ્ચે અદાણી એન્ટરપ્રાઇઝે પાછો ખેંચ્યો FPO, જાણો વિગત

હિંડનબર્ગના વિવાદિત અહેવાલ વચ્ચે અદાણી એન્ટરપ્રાઇઝે પાછો ખેંચ્યો FPO, જાણો વિગત

02 February, 2023 10:10 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ સંદર્ભમાં અદાણી ગ્રુપે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જેમાં અદાણી ગ્રુપે જણાવ્યું છે કે તેઓ અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ રદ કરી રહ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે એફપીઓમાં રોકાણ કરાયેલા નાણાં રોકાણકારોને સમયસર પરત કરવામાં આવશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


અદાણી ગ્રુપ (Adani Group) સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અદાણી ગ્રુપે બુધવારે અદાણી એન્ટરપ્રાઇઝિસની ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તે જાણીતું છે કે 27 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઇઝે 20 હજાર કરોડ એકત્ર કરવા માટે FPO જાહેર કર્યો હતો, જેને કંપની દ્વારા આજે 1 ફેબ્રુઆરી 2023ના રોજ તેના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં પાછો ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અદાણી એન્ટરપ્રાઇઝે આપી આ માહિતી



આ સંદર્ભમાં અદાણી ગ્રુપે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે, જેમાં અદાણી ગ્રુપે જણાવ્યું છે કે તેઓ અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ રદ કરી રહ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે એફપીઓમાં રોકાણ કરાયેલા નાણાં રોકાણકારોને સમયસર પરત કરવામાં આવશે. અદાણી એન્ટરપ્રાઇઝિસે તેની પ્રેસ રિલીઝમાં 20 હજાર કરોડની કિંમતનો એફપીઓ પાછો ખેંચવાની વાત કરી છે.


FPO પાછી ખેંચવાનું કારણ શું હતું?

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AIL)ના બોર્ડે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલ ફોલો ઑન પબ્લિક ઑફર પાછી ખેંચી લીધી છે. અદાણી એન્ટરપ્રાઇઝે 1 ફેબ્રુઆરી 2023ના રોજ જણાવ્યું હતું કે અમેરિકન શોર્ટ સેલર, હિંડનબર્ગ રિસર્ચને પગલે ચાલી રહેલા વિવાદ વચ્ચે તેણે તેનો FPO રદ કર્યો છે. કંપની પર ટેક્સ હેવનનો ઉપયોગ કરવાનો આરોપ છે. ઉપરાંત, આ રિપોર્ટમાં લોન સંબંધિત ચિંતાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: એક ઑર રિપોર્ટ અને અદાણીના શૅરોમાં ૯૬૬૭૦ કરોડ રૂપિયા ડૂલ

બેઠકમાં લેવાયેલ નિર્ણય

કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે આજે મળેલી તેમની બેઠકમાં તેના ઘટકોના હિતમાં રૂા. 20,000 કરોડ સુધીના FPO સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધો છે. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે રૂા. 1, જે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું, તેની કિંમત આંશિક ચૂકવણીના આધારે રાખવામાં આવી હતી. હવે તેને અહીં રોકવામાં આવી રહ્યું છે.
તેની પાછળનું કારણ અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં ઝડપથી ઘટાડો થવા લાગ્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં બુધવારે 1 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં 28 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2023 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK