શરૂઆતના ચરણમાં મતદાનમાં વધઘટને એકંદર ચૂંટણી-પરિણામો સાથે જોડવી ઉતાવળિયું કહેવાય, પણ જો સળંગ ત્રણ ચરણ સુધી ઓછું મતદાન થાય તો ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકાય.
ક્રૉસલાઇન
મતદાન
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં આ વખતે લોકોમાં ઉત્સાહનો અભાવ દેખાઈ રહ્યો છે. કમસે કમ પ્રથમ ચરણમાં નોંધાયેલું ૬૫.૫ ટકાનું મતદાન જે ૨૦૧૯ કરતાં ૪ ટકા (૬૯.૯ ટકા) ઓછું હતું એ રાજકીય પક્ષો અને રાજકીય નિરીક્ષકોને મૂંઝવણમાં મૂકી ગયું હતું, ખાસ કરીને જ્યારે હજી બીજાં છ ચરણ બાકી છે અને માથા પર કાળઝાળ ગરમી છે. ચૂંટણીપંચે પણ મતદારોમાં દેખાયેલા નિરુત્સાહથી સચેત થઈને રાજકીય પક્ષોની જેમ જ બીજા ચરણમાં વધુ ને વધુ મતદારો મતબૂથ સુધી આવે એ માટે બનતા પ્રયાસ કર્યા છે.