Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જવાહર બક્ષીના ગઝલ સંગ્રહ 'ટોળાંની શૂન્યતા છું' નો લોકાર્પણ સમારંભ

09 May, 2026 01:30 IST | Mumbai

જવાહર બક્ષીના ગઝલ સંગ્રહ 'ટોળાંની શૂન્યતા છું' નો લોકાર્પણ સમારંભ

 આપણા સુપ્રસિદ્ધ અધ્યાત્મરંગી કવિ અને ગઝલકાર શ્રી જવાહર બક્ષીની ૬૦ વર્ષની સર્જન કાવ્ય યાત્રામાંથી ચૂંટેલી ગઝલોનો સંગ્રહ  ' ટોળાંની શૂન્યતા છું'નું પ્રકાશન તાજેતરમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે.
ગુજરાતી ગઝલના સમૃધ્ધ ઇતિહાસને દ્રષ્ટિએ નીવડેલા ગઝલકારોની ચુનંદી ગઝલોનું સંપાદન અધિકારી વિવેચક દ્વારા કરવામાં આવતી આ શ્રેણીમા આ સંગ્રહનું સંપાદન ધ્વનિલ પારેખે કર્યું છે.
આ સંગ્રહનું લોકાર્પણ  ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા કરશે. આ સમારંભ આગામી તા. ૧૭ મી મે ૨૦૨૬ ને રવિવારે સાંજે ૬-૩૦ કલાકે ભવન્સ કલ્ચરલ સેન્ટરના એસ.પી જૈન ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે.આ અવસરે કવિ - ગઝલકાર શ્રી જવાહર બક્ષી પોતાની ગઝલોનું પઠન આસ્વાદ સાથે કરશે.
આ કાર્યક્રમ 'આપણે હરિ ભજનમાં રહીએ' ના લોકાર્પણ સમારોહની સાથે સંલગ્ન છે.
સૌ કવિતા અને સાહિત્ય રસિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક જાહેર નિમંત્રણ છે. પ્રવેશ  નિઃશુલ્ક છે


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK