
છેલ્લા ૭૬ વર્ષથી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ૬૬ વર્ષથી પારંપરિક મુશાયરા પ્રવૃત્તિને જીવંત રાખવામાં ઈન્ડિયન નેશનલ થિયેટરનો ફાળો મહત્ત્વનો રહ્યો છે.
ગઝલ-સાહિત્યને પ્રોત્સાહન આપવા પ્રત્યેક વરસે શાયરને એવૉર્ડ આપી બિરદાવવાની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી. આઈએનટી આદિત્ય બિરલા સેન્ટર ફૉર પરફૉર્મિંગ આર્ટ્સ દ્વારા વર્ષ ૨૦૨૫ માટે કાવ્યપ્રતિભા અને કાવ્યપ્રદાનને ધ્યાનમાં લઈને અપાતો કલાપી એવૉર્ડ કવિ યોગેશ જોષી તથા યુવા શાયરો માટેનો શયદા એવૉર્ડ હર્ષવી પટેલને જાહેર કરવામાં આવે છે.
જ્યુરી તરીકે હર્ષ બ્રહ્મભટ્ટ, ઉદયન ઠક્કર અને હિતેન આનંદપરાએ સેવા આપી છે. પારિતોષિક અર્પણ સમારંભ ૧૪ ઑગસ્ટે સાંજે ૭.3૦ કલાકે ભારતીય વિદ્યાભવન ચોપાટી ખાતે યોજાશે. આ પ્રસંગે આયોજિત મુશાયરામાં બંને વિજેતા કવિઓની સાથે જવાહર બક્ષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ભરત વિંઝુડા, કુણાલ શાહ અને સંચાલક મુકેશ જોષી ભાગ લેશે.
વધુ વિગત માટે કાર્યાલય સંપર્કઃ અવનિ મુળે - 98927 40008