શ્રી હાલાઈ લોહાણા મહાજન (મુંબઈ) દ્વારા સંચાલિત સમૂહ જનોઈ સમિતિએ તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રવિવારે શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, મુંબઈ ખાતે સમૂહ જનોઈ પ્રસંગનું આયોજન કર્યું છે. આ માટેના ફોર્મ શ્રી હાલાઈ લોહાણા બાલાશ્રમ, કાંદિવલી તેમજ શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, મુંબઈ ખાતેથી મળી જશે. તે ફોર્મ ભરીને ૨૦ નવેમ્બર, ૨૦૨૫માં બપોરે ૧૨થી સાંજે ૬.૩૦ સુધી આપવાના રહેશે.


