Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરિશ્મા કપૂરના એક્સ પતિ પર નિધનના પાંચ દિવસ બાદ પણ અંતિમ સંસ્કાર નહીં, જાણો કારણ

કરિશ્મા કપૂરના એક્સ પતિ પર નિધનના પાંચ દિવસ બાદ પણ અંતિમ સંસ્કાર નહીં, જાણો કારણ

Published : 16 June, 2025 05:54 PM | Modified : 16 June, 2025 06:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ઇંગ્લૅન્ડમાં પોલો મૅચ વખતે મધમાખી ગળી જવાથી સંજયનું મૃત્યુ થયું હતું. મધમાખી તેના ગળામાં ફસાઈ ગઈ હતી અને તેને બળતરા થયા હતા. ગભરાટની સ્થિતિને કારણે હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું કહેવાય છે.

સંજય કપૂર (તસવીર: મિડ-ડે)

સંજય કપૂર (તસવીર: મિડ-ડે)


ઉદ્યોગપતિ અને કરિશ્મા કપૂરનો પૂર્વ પતિ સંજય કપૂરનું અવસાન થયું છે. લંડનમાં એક પોલો મૅચ દરમિયાન, 53 વર્ષીના સંજયને હાર્ટ ઍટેક આવતા તેનું અવસાન થયું હતું. જોકે 12 જૂન અવસાન થયા ચટૅ સંજયના અંતિમ સંસ્કારમાં વિલંબ થઈ રહ્યો છે. વાસ્તવમાં, તેના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થવાના છે અને તેના મૃતદેહને ભારત લાવવામાં આવી રહ્યો છે. સંજય પાસે અમેરિકન નાગરિકતા હતી અને કાનૂની ઔપચારિકતાઓને કારણે તેના અંતિમ સંસ્કારમાં વિલંબ થઈ રહ્યો છે. તેના નિધનને 5 દિવસો વીત ગયા છે, તેમ છતાં તેનું મૃતદેહ હજી સુધી ભારતને સોંપમવામાં આવ્યું નથી.


મીડિયા અહેવાલ મુજબ, સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં વિલંબ થઈ શકે છે અને તેનું કારણ તેની નાગરિકતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરિવારના નજીકના સૂત્રો અનુસાર, સંજય અમેરિકન નાગરિક હતો અને તેનું મૃત્યુ લંડનમાં થયું હતું. આવી સ્થિતિમાં, તેમના મૃતદેહને ભારત લાવવાની કાનૂની પ્રક્રિયા થોડી જટિલ બની શકે છે. એવું કહેવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવશે, જેની પુષ્ટિ પોતે સંજય કપૂરના સસરા અશોક સચદેવે કરી છે. તેમણે કહ્યું કે "કાગળની કાર્યવાહી પૂર્ણ થયા પછી, મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ભારત લાવવામાં આવશે."



બિઝનેસ કન્સલ્ટન્ટ સુહેલ સેઠને ટાંકીને એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ઇંગ્લૅન્ડમાં પોલો મૅચ વખતે મધમાખી ગળી જવાથી સંજયનું મૃત્યુ થયું હતું. મધમાખી તેના ગળામાં ફસાઈ ગઈ હતી અને તેને બળતરા થયા હતા. ગભરાટની સ્થિતિને કારણે હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું કહેવાય છે. જોકે સંજય કપૂરની કંપની સોના કૉમસ્ટારે એના નિવેદનમાં મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો દર્શાવ્યું છે. સંજય કપૂર પોલો ટુર્નામેન્ટ માટે યુનાઇટેડ કિંગડમ ગયો હતો.


કરિશ્મા કપૂરે ૨૦૦૩માં દિલ્હીના ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. અભિષેક બચ્ચન સાથેની સગાઈ તૂટી ગયા બાદ કરિશ્માએ આ લગ્ન કર્યા હતા. સંજય અને કરિશ્માને બે બાળકો છે - કિયાન અને સમાયરા. તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને ૨૦૧૬માં લગ્ન તૂટી ગયા. છૂટાછેડા પછી, ભૂતપૂર્વ યુગલ તેમના બાળકો માટે ઘણી વખત સાથે આવ્યા હતા. તેઓ ઘણીવાર તેમના જન્મદિવસો સાથે ઉજવતા જોવા મળ્યા હતા. સંજયની ત્રીજી પત્ની પ્રિયા સચદેવના પણ કિયાન અને સમાયરા સાથે સારા સંબંધો હતા. પ્રિયાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમની સાથેની તસવીરો પણ શૅર કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2025 06:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK