તેનું કહેવું છે કે ખરાબ દિવસો વધુ સમય સુધી ટકી શકશે નહીં એવું પોતાની જાતને સમજાવતા રહેવું જોઈએ
મૃણાલ ઠાકુર
મૃણાલ ઠાકુરે જીવનની અગત્યની શિખામણ આપી છે. તેનું કહેવું છે કે ખરાબ દિવસો વધુ સમય સુધી ટકી શકશે નહીં એવું પોતાની જાતને સમજાવતા રહેવું જોઈએ. લાઇફમાં એવા પણ દિવસો આવે છે જ્યારે તેને બેડ પરથી ઊઠવાની ઇચ્છા નથી થતી. એ વિશે મૃણાલ કહે છે, ‘એવા પણ દિવસો આવે છે જ્યારે મને જાગવાની ઇચ્છા નથી થતી. મને બેડ પરથી ઊઠવાનું મન નથી થતું. આમ છતાં મારી જાત માટે મારે બેડ પરથી ઊઠવું પડે છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, અઠવાડિયાં, મહિનાઓ સુધી આવું થાય છે; પરંતુ તમારા પરિવાર સિવાય કોઈ તમારી કાળજી નહીં લે. એથી મને પોતાની જાતને એ યાદ અપાવવું મહત્ત્વનું લાગે છે કે જો ખરાબ દિવસો આવ્યા છે તો સારા દિવસો પણ આવશે. આવા દિવસો પણ લાઇફમાં આવે છે. એથી તમે અસ્વસ્થ અનુભવો છો એ એક સામાન્ય બાબત છે.’