Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દેહદાનનો સંકલ્પ કર્યો રિતેશ-જેનિલિયા દેશમુખે

દેહદાનનો સંકલ્પ કર્યો રિતેશ-જેનિલિયા દેશમુખે

03 July, 2020 09:29 PM IST | Mumbai Desk
Agencies

દેહદાનનો સંકલ્પ કર્યો રિતેશ-જેનિલિયા દેશમુખે

રિતેશ અને જેનિલિયી દેશમુખ

રિતેશ અને જેનિલિયી દેશમુખ


રિતેશ દેશમુખ અને જેનિલિયા દેશમુખે નૅશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે દેહદાન કરવાનો ફેંસલો લીધો હતો. આ સાથે તેમણે લોકોને પણ દેહદાનની અપીલ કરી છે. આ વાતની માહિતી તેમણે એક નાનકડી ક્લિપ દ્વારા આપી છે. એ વિડિયોમાં રિતેશ કહી રહ્યો છે કે ‘જેનિલિયા અને હું આ દિશામાં ખૂબ વિચાર કર્યા બાદ અને અનેક ચર્ચાવિચારણા કર્યા બાદ આજે તમને જણાવવા માગીએ છીએ કે અમે બન્નેએ એક સંકલ્પ લીધો છે કે અમે દેહદાન કરવાનાં છીએ.’ એ વિડિયોમાં જેનિલિયા કહી રહી છે કે ‘હા, અમે નિર્ણય લીધો છે કે અમે દેહદાન કરવાનાં છીએ અને અમને લાગે છે કે જીવનદાન આપવા જેવી વિશેષ ગિફ્ટ તો કંઈ ન હોઈ શકે. જો તમને પણ એમ લાગતું હોય કે તમે દાન કરવા માગો છો તો પ્લીઝ અંગદાન માટે આગળ આવો.’ આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રિતેશે કૅપ્શન આપી હતી કે ‘ગિફ્ટ ઑફ લાઇફ કરતાં સારી ગિફ્ટ કંઈ ન હોઈ શકે. જેનિલિયા અને મેં સંકલ્પ લીધો છે કે અમે ઑર્ગન્સ ડોનેટ કરવાનાં છીએ. અમે બધાને આ નેક કામમાં જોડાવા માટેની અપીલ કરીએ છીએ. ‘ધ લાઇફ આફ્ટર લાઇફ’ના સહભાગી બનો.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2020 09:29 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK