Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ભારતી સિંહ અને શેખર સુમનને ૧૬ વર્ષે હાશકારો

ભારતી સિંહ અને શેખર સુમનને ૧૬ વર્ષે હાશકારો

Published : 02 May, 2026 08:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ચુકાદા સાથે જ છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી કાયદેસરની કાર્યવાહીનો અંત આવ્યો છે અને બન્ને કલાકારોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.

શેખર સુમન અને ભારતી સિંહ

શેખર સુમન અને ભારતી સિંહ


બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૧૦ના હેટ-સ્પીચના એક કેસમાં શેખર સુમન અને કૉમેડિયન ભારતી સિંહને મોટી રાહત આપી છે. એક ટીવી-શો દરમ્યાન ‘યા અલ્લાહ’, ‘રસગુલ્લા’ ‘દહીભલ્લા’ જેવા શબ્દપ્રયોગ કરવા બદલ આ બન્ને કલાકારો સામે નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)ને હાઈ કોર્ટે રદ કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે આ મામલે અવલોકન કરતાં સ્પષ્ટ કર્યું હતું કે માત્ર ખાદ્ય પદાર્થના નામનો ઉલ્લેખ કરવાથી કોઈ ધર્મનું અપમાન નથી થતું. આ કેસની વિગતો મુજબ ૨૦૧૦માં એક કૉમેડી શો દરમ્યાન કલાકારોએ કરેલી ટિપ્પણીથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે આ કેસની સુનાવણી દરમ્યાન હાઈ કોર્ટે ટાંક્યું હતું કે જે શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે એ સામાન્ય સામાજિક વ્યવહારમાં તટસ્થ છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે કોઈ કૉમિક ઍક્ટમાં માત્ર ખાદ્ય ચીજવસ્તુઓનાં નામ લેવાને ધર્મનું અપમાન ન ગણી શકાય. ન્યાયાધીશોએ ચુકાદામાં નોંધ્યું હતું કે કાયદાની કલમનો ઉપયોગ ત્યારે જ થઈ શકે જ્યારે કોઈનો ઇરાદો જાણીજોઈને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો હોય. પ્રસ્તુત કિસ્સામાં આવા કોઈ પુરાવા કે ઇરાદો જણાતા નથી. આ ચુકાદા સાથે જ છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી કાયદેસરની કાર્યવાહીનો અંત આવ્યો છે અને બન્ને કલાકારોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK