Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > અક્ષરધામ વિના અક્ષરધામની વાત

અક્ષરધામ વિના અક્ષરધામની વાત

28 June, 2021 12:08 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’માં ગાંધીનગરના અક્ષરધામની ઘટનાનો રેફરન્સ લેવામાં આવ્યો છે

‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’

‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’


‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’માં ગાંધીનગરના અક્ષરધામની ઘટનાનો રેફરન્સ લેવામાં આવ્યો છે

ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને અનેક ભાવિકોને બંદી બનાવી લીધા હતા. આ જ ઘટના હવે ઝી-ફાઇવની ‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’માં જોવા મળશે. અક્ષરધામ મંદિરમાં ઘૂસેલા આતંકવાદીઓને કાઢવા માટે આર્મીની હેલ્પ લેવામાં આવી હતી, જ્યારે ‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’માં જવાબદારી ટાસ્કફોર્સને સોંપવામાં આવે છે, જેની લીડ અક્ષય ખન્ના લે છે.



‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’માં ટેમ્પલમાં ૭ આતંકવાદીઓ ઘૂસી ગયા છે અને તેમણે ૧૫૦થી વધુ ભક્તોને હોસ્ટેજ બનાવી રાખ્યા છે. ગણતરી એવી છે કે આ હોસ્ટેજના નામે મુખ્ય પ્રધાને અન્ય આતંકવાદીઓને છોડાવવાની ડિમાન્ડ કરવી, પણ અક્ષય ખન્ના અને ટાસ્કફોર્સ એ મનસૂબો પાર થવા દેતાં નથી.


‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’ માટે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાન દ્વારા પરમિશન મળી ન હોવાથી આખી સિરીઝમાં ક્યાંય સંસ્થા કે અક્ષરધામનું નામ એમાં આવશે નહીં. ‘સ્ટેટ ઑફ સીજ-ટેમ્પલ અટૅક’ ૯ જુલાઈએ રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2021 12:08 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK