કહેવાય છે કે પરશુરામે પોતાના નિવાસ માટે દરિયામાં તીર માર્યું અને દરિયાદેવ ત્યાંથી ખસી જતાં ભૂમિનો લાંબો પટ્ટો નિર્માણ પામ્યો. ચિપલૂણ સ્ટેશનથી ૪ કિલોમીટર દૂર મહેન્દ્રગિરિ પર્વત પર આવેલું લોટે પરશુરામ મંદિર ૧૭મી સદીથી ઊભું છે.
પરશુરામના મંદિર
અક્ષયતૃતીયાનો દિવસ સ્વયંસિદ્ધ મુહૂર્ત છે. વર્ષના સાડાત્રણ શુભ દિવસમાં માનદ સ્થાન ધરાવતો વૈશાખ સુદ ત્રીજનો દિવસ વિવાહ, ગૃહપ્રવેશ, વ્યાપાર જેવાં લૌકિક કાર્યો ઉપરાંત યજ્ઞ, દાન, તપ જેવાં પુણ્ય કર્મો કરવા માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ છે.