Lok Sabha Elections 2024: મતદાર ભાવેશભાઈ પટેલે ભાજપના મુકેશ દલાલની બિનહરીફ વિજય સામે વાંધો ઉઠાવતી અરજી દાખલ કરી હતી.
મુકેશ દલાલની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- ગુજરાત હાઈકોર્ટે પીઆઈએલ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો
- જાહેર હિતની અરજી પર આ મામલે વિચાર કરી એમ નથી
- PILને બદલે ઈલેક્શન પિટિશન દાખલ કરવી પડતી હોય છે એમ કહ્યું કોર્ટે
તાજેતરમાં જ ગુજરાતની સુરત લોકસભા બેઠક (Lok Sabha Elections 2024) પરથી ભાજપનો જે રીતનો વિજય થયો હતો તે ચર્ચામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ રીતે ચૂંટાયા હતા. જોકે આ મામલો અહીં અટકી ગયો નહોતો. બલકે, આ મામલો તો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
કોણે મુકેશ દલાલના બિનહરીફ રીતે ચૂંટાયાના વિરોધમાં અરજી કરી હતી?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે સુરતના જ એક મતદાર ભાવેશભાઈ પટેલે ભાજપના મુકેશ દલાલની બિનહરીફ વિજય સામે વાંધો ઉઠાવતી અરજી દાખલ કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે પીઆઈએલ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર ફરમાવી દીધો હતો.
સુરતના મતદાતા વતી હાજર રહેલા વકીલે શું કહ્યું?
Lok Sabha Elections 2024: સુરતના મતદાર વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે એવી દલીલ કરી હતી કે મતદાતા માટે નેગેટિવ મતદાનનો વિકલ્પ હોય છે, પરંતુ સુરતના મતદારોને તે આપવામાં આવ્યો નહોતો. એટલે જ કે અહીંના મતદાતાઓને નોટાનો ઓપ્શન જ આપવામાં આવ્યો નહોતો. માટે જ ભાજપના ઉમેદવારને જે રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે તે નિર્ણય પાછો ખેંચી લેવો જોઈએ.
દાખલ કરવામાં આવેલી અરજી પર શું કહ્યું ગુજરાત હાઇકોર્ટે?
તમને જણાવી દઈએ કે જ્યારે આ અરજી કરવામાં આવી ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે આ મામલે જણાવ્યું હતું કે, કાયદો એમ કહે છે કે જો તમે કોઈ ઉમેદવારના ચૂંટાયાને લઈને કોઈ પિટિશન દાખલ કરો છો, તો તમારે PILને બદલે ઈલેક્શન પિટિશન દાખલ કરવી પડતી હોય છે. કારણ કે તે પ્રક્રિયા દરમિયાન તમે વિજેતા થઈ ગયેલા ઉમેદવારની ખામીઓ બતાવી શકો છો, જેને કારણે તેઓને વિજયી જાહેર કરવામાં આવ્યા છે. તેથી, તે ચૂંટણી (Lok Sabha Elections 2024) અરજીના અધિકારક્ષેત્રમાં આવે છે. જાહેર હિતની અરજી પર આ મામલે વિચાર કરી એમ નથી.
તમને જણાવી દઈએ કે 7મી મેના રોજ ગુજરાતની તમામ બેઠકો પર લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) માટેનું મતદાન થવાનું હતું. જોકે, સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ ગયા છે. માટે હવે રાજ્યની 25 લોકસભા સીટો માટે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીંની તમામ 26 બેઠકો જીતી લીધી હતી.
ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન કથિત વિસંગતતાને કારણે રદ કરી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બેઠક પરથી બાકીના ઉમેદવારોએ પણ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અહીં બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.