આજે સવારે ૮.૩૦ વાગ્યે નરેન્દ્ર મોદી અમદાવાદમાં ઘટનાસ્થળ અને સિવિલ હૉસ્પિટલની મુલાકાત લેશે.
નરેન્દ્ર મોદી
ગઈ કાલે બનેલી કાળમુખી પ્લેન-ક્રૅશની ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘અમદાવાદમાં થયેલી ત્રાસદીએ આપણને સ્તબ્ધ અને દુખી કરી દીધા છે. આ ઘટના હૃદયદ્રાવક છે. આ દુઃખની પળોમાં તમામ અસરગ્રસ્ત લોકો સાથે મારી સંવેદનાઓ છે. હું એ પ્રધાન અને અધિકારીઓના સંપર્કમાં છું જેઓ અસરગ્રસ્ત લોકોની મદદ માટે કામ કરી રહ્યા છે.’ આજે સવારે ૮.૩૦ વાગ્યે નરેન્દ્ર મોદી અમદાવાદમાં ઘટનાસ્થળ અને સિવિલ હૉસ્પિટલની મુલાકાત લેશે.

