BJPની સભામાં ભગવા વાવટા ફરકાવીને વિરોધ કરશે યુવાનો : મહિલાઓ કરશે સાંકળી ઉપવાસ
ગુજરાતમાં ઠેકઠેકાણે સોસાયટીની બહાર આવાં બૅનરો પણ જોવા મળે છે જેમાં BJPના કાર્યકરોને પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે.
‘રોટી-બેટી’ની ટિપ્પણી બાદ કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનું ઉમેદવારી ફૉર્મ BJP દ્વારા કે ખુદ ઉમેદવાર દ્વારા પાછું નહીં ખેંચાતાં ગુજરાતના રાજપૂત સમાજે ગઈ કાલે મત એ જ શસ્ત્ર સાથે બૉયકૉટ BJP આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે અને મતદાનના દિવસ સુધી આંદોલન કરીને BJPને ગુજરાતની ૨૬ બેઠકો પર હરાવવા માટે કટિબદ્ધ થયા છે. એટલું જ નહીં, અમદાવાદ પોલીસે કાળા વાવટા ફરકાવવા સામે પ્રતિબંધ ફરમાવતાં એની સામે હવે રાજપૂત સમાજના યુવાનો BJPની સભાઓમાં કેસરિયા વાવટા ફરકાવીને વિરોધ કરશે.