દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આવતા ઇન્બાઉન્ડ ભારતીય પૅસેન્જરોને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બિનજરૂરી ટ્રાવેલને રીશેડ્યુલ કરવાની સલાહ આપવામાં આવે છે.’
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
UAEમાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાયા બાદ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની ભારતીય એમ્બેસીએ શુક્રવારે એક ઍડ્વાઇઝરી બહાર પાડી હતી. દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પાણી ભરાવાના કારણે એમ્બેસીએ હાલ ભારતીયોને દુબઈની મુસાફરી ન કરવાની સલાહ આપી છે.
દૂતાવાસે જણાવ્યું હતું કે ‘અધિકારીઓ કામગીરી સામાન્ય બનાવવા માટે ૨૪ કલાક કામ કરી રહ્યા છે. દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આવતા ઇન્બાઉન્ડ ભારતીય પૅસેન્જરોને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બિનજરૂરી ટ્રાવેલને રીશેડ્યુલ કરવાની સલાહ આપવામાં આવે છે.’
ADVERTISEMENT
ઍરપોર્ટ ઑથોરિટીએ જણાવ્યું હતું કે પૅસેન્જરોને ફ્લાઇટની ડિપાર્ચર ડેટ અને સમય બાબતે સંબંધિત ઍરલાઇનો પાસેથી કન્ફર્મેશન મળે પછી જ તેમણે ઍરપોર્ટ પર આવવું જોઈએ. દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ભારતીય નાગરિકોની મદદ માટે ૧૭ એપ્રિલથી ઇમર્જન્સી હેલ્પલાઇન ઉપલબ્ધ છે.
ઍર ઇન્ડિયાની તેલ અવીવની ફ્લાઇટો ૩૦ એપ્રિલ સુધી રદ
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે લડાઈના પગલે ઍર ઇન્ડિયાએ ઇઝરાયલની રાજધાની તેલ અવીવની ફ્લાઇટોને ૩૦ એપ્રિલ સુધી રદ કરી છે. ઍર ઇન્ડિયાએ કહ્યું છે કે મિડલ ઈસ્ટમાં તંગદિલીભરી પરિસ્થિતિના કારણે પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બરોની સલામતીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રવાસીઓની કન્ફર્મ્ડ ટિકિટો છે તેઓ એક વાર તેમની ફ્લાઇટ રીશેડ્યુલ કરાવી શકશે અને ટિકિટ કૅન્સલ કરાવવામાં કૅન્સલેશન ચાર્જમાં એક વાર છૂટ આપવામાં આવશે.