એક વર્ષથી ઓછા સમયમાં આ બીજી ઘટના છે જ્યારે આમિર હમઝાને નિશાન બનાવવામાં આવ્યો છે. અગાઉ, મે 2025 માં, અજાણ્યા બંદૂકધારીઓએ તેના નિવાસસ્થાનની બહાર ગોળીબાર કર્યો હતો. તે હુમલા બાદ, તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સુરક્ષા વધારી હતી.
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)નો ના સહ-સ્થાપક આમિર હમઝા
પાકિસ્તાનના લાહોરમાં, અજાણ્યા હુમલાખોરોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના સહ-સ્થાપક આમિર હમઝા પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આ હુમલો એક ન્યૂઝ ચૅનલના ઑફિસની બહાર થયો હતો. ઘાયલ હમઝાને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાની અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, હુમલાખોરોની ઓળખ અને હુમલા પાછળનો હેતુ હજી સુધી અસ્પષ્ટ છે.
બીજી વખત થયો હુમલો
ADVERTISEMENT
એક વર્ષથી ઓછા સમયમાં આ બીજી ઘટના છે જ્યારે આમિર હમઝાને નિશાન બનાવવામાં આવ્યો છે. અગાઉ, મે 2025 માં, અજાણ્યા બંદૂકધારીઓએ તેના નિવાસસ્થાનની બહાર ગોળીબાર કર્યો હતો. તે હુમલા બાદ, તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જોકે, તે ઘટના અંગે પણ ક્યારેય કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું ન હતું.
આમીર હમઝા કોણ છે?
ʟᴀᴅɪᴇꜱ ᴀɴᴅ ɢᴇɴᴛʟᴇᴍᴇɴ, ʏᴏᴜ’ʀᴇ ꜱᴛɪʟʟ ɴᴏᴛ ʀᴇᴀᴅʏ ꜰᴏʀ ᴛʜɪꜱ ??
— TRISHUL (@TrishulxIN) April 16, 2026
THE UNKNOWN GUNMEN ARE BACK IN ACTION.
JuD/LeT commander Amir Hamza was shot inside his car today by unknown gunmen while traveling with former Lahore High Court Justice Nazir Ghazi.
Justice… pic.twitter.com/OW4j6oe5LS
આમીર હમઝાને લશ્કર-એ-તૈયબાના શરૂઆતના દિવસોથી એક અગ્રણી વ્યક્તિ માનવામાં આવે છે. તે સંગઠનના સ્થાપક સભ્યોમાંનો એક હતો અને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો નજીકનો સાથી રહ્યો છે. હમઝાએ 1980ના દાયકા દરમિયાન અફઘાનિસ્તાનમાં સોવિયેત યુનિયન સામેની લડાઈમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ લશ્કર-એ-તૈયબાની રચનામાં સામેલ થયો હતો. તેણે સંગઠનની કેન્દ્રીય સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી છે.
આતંકવાદી પ્રચાર, ભંડોળ અને ભરતીમાં ભૂમિકા ભજવતો હતો હમઝા
હમઝા LeTના પ્રચાર અને વિચારધારાના પ્રસારમાં સક્રિય રહ્યો છે. તે લશ્કરના સામયિકો અને પ્રકાશનો સાથે સંકળાયેલો હતો, જેમાં મજલ્લાહ અલ-દાવાનું સંપાદન કરવાનો પણ સમાવેશ થતો હતો. 2002માં, તેણે કાફિલા દાવત ઔર શહાદત નામનું પુસ્તક લખ્યું, જેનો ઉપયોગ તે LeT ભરતી અને તેના પ્રચાર હેતુઓ માટે કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2019માં, અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ ધ ટ્રેઝરી દ્વારા તેને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તેના પર સંગઠન માટે ભંડોળ એકત્ર કરવા, ભરતીને સરળ બનાવવા અને સંલગ્ન સંસ્થાઓ સાથે સંકલન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
पाकिस्तानी आतंकी अमीर हमजा ....72 हूरों के पास
— Aarav Choudhary (@AaravChoudharyX) April 16, 2026
अज्ञात हमलावर ने गोलियों से छलनी किया
हाफ़िज़ सईद और आमिर हमज़ा लश्कर ए तैयबा के संस्थापक है
AmirHamza pic.twitter.com/LkS4VqBzMK
સંગઠન અને નવા જૂથથી દૂરી
અહેવાલો અનુસાર, 2018 માં આંતરરાષ્ટ્રીય દબાણ અને ભંડોળ સંબંધિત મુદ્દાઓ વચ્ચે, હમઝાએ પોતાને લશ્કર-એ-તૈયબાથી દૂર કરી લીધો હતો. ત્યારબાદ, તેણે `જૈશ-એ-મનકાફા` નામનું એક નવું સંગઠન બનાવ્યું, જે ભારતીય એજન્સીઓ માને છે કે તે લશ્કર નેટવર્ક સાથે જોડાયેલું છે. હાલમાં, લાહોરમાં થયેલા તાજેતરના હુમલા પાછળના હેતુ અને હુમલાખોરોની ઓળખ અંગે તપાસ ચાલી રહી છે.
