Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગંભીર ગુનામાં ટ્રાયલમાં વિલંબ થાય તોય જામીન ન આપી શકાય

ગંભીર ગુનામાં ટ્રાયલમાં વિલંબ થાય તોય જામીન ન આપી શકાય

23 April, 2024 08:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સામૂહિક બળાત્કારમાં સામેલ આરોપીની અરજી ફગાવી દઈને હાઈ કોર્ટે કહ્યું...

બૉમ્બે હાઈ કોર્ટેની તસવીર

બૉમ્બે હાઈ કોર્ટેની તસવીર


બૉમ્બે હાઈ કોર્ટે સામૂહિક બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને જામીન આપવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે ગંભીર ગુનામાં ટ્રાયલમાં વિલંબ થાય તો ફક્ત એ કારણોસર જામીન આપી શકાય નહીં. આરોપી સોમનાથ ગાયકવાડની ૨૦૨૦માં ૧૫ વર્ષની ટીનેજર પર સામૂહિક બળાત્કાર મામલે ધરપકડ કરવામાં આવી હતી. તેના વકીલ સના રઈસ ખાને એવી દલીલ કરી હતી કે તે ઑક્ટોબર ૨૦૨૦થી જેલમાં છે અને ટ્રાયલમાં કોઈ પ્રગતિ થઈ નથી.

જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આરોપી સામૂહિક બળાત્કારના ગુનામાં સામેલ છે એટલે તેને ઓછામાં ઓછી આજીવન કેદની સજા થઈ શકે છે, જ્યારે આ ઘટના બની ત્યારે પીડિતા માત્ર ૧૫ વર્ષની હતી એટલે લાંબા જેલવાસના આધારે જામીન આપવાનો કોઈ કેસ બનતો નથી.



કોર્ટે જણાવ્યું હતું કે જામીન ફગાવવાનું અન્ય એક કારણ એ પણ છે કે પીડિતા અને તેના પિતાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે જો આરોપીને જામીન મળે તો તેમને કોઈ વાંધો નથી, આનાથી એ શંકા પેદા થાય છે કે આરોપીઓ કેસમાં પીડિતા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પુરાવા સાથે ચેડાં કરી રહ્યા છે. 
બેન્ચે ટ્રાયલ કોર્ટને નવ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવા અને દર ત્રણ મહિને રિપોર્ટ આપવા જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK