મહોત્સવનો મંગલમય પ્રારંભ બુધવારથી માલિની કિશોર સંઘવી હૉલ, ઋતંભરા કૉલેજ ગ્રાઉન્ડ, એન. એ. આહુજા માર્ગ, જે. વી .પી.ડી. સ્કીમ, વિલે પાર્લે-વેસ્ટ ખાતે થશે
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ
અખંડ ૧૦૦૮ આયંબિલ તપની ઉગ્ર આરાધના પરિપૂર્ણ કરી રહેલાં મહાતપસ્વી સાધ્વીરત્ના, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબનાં સુશિષ્યા પરમ સૌમ્યાજી મહાસતીજીનો પારણા અવસર - મહાતપોત્સવ તેમ જ મુમુક્ષુ શ્રી યશ્વીદીદી મહેન્દ્રભાઈ નંદુના દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ બુધવારથી માલિની કિશોર સંઘવી હૉલ, ઋતંભરા કૉલેજ ગ્રાઉન્ડ, એન. એ. આહુજા માર્ગ, જે. વી .પી.ડી. સ્કીમ, વિલે પાર્લે-વેસ્ટ ખાતે થશે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ આવતી કાલે સવારે ૮.૩૦ કલાકે વિલે પાર્લેના સ્થાનકવાસી જૈન ઉપાશ્રયે પધારશે અને ૯.૩૦ કલાકે મહોત્સવનો મંગલ પ્રારંભ થશે.