જાવેદે સગીરાને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે પણ દબાણ કર્યું હતું અને તેને બીફ ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સગીરાના પિતાનું તાજેતરમાં અવસાન થયું હતું અને તેના આઘાતમાં વધારો થયો હતો. તે કોઈક રીતે મધ્યપ્રદેશના એકલ રૂમમાંથી ભાગી જવામાં સફળ રહી.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના મીરા ભાયંદરમાં એક ધર્મ પરિવર્તનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સોમવારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુંબઈના મીરા ભાયંદરમાં વાલિવ પોલીસ સ્ટેશનની હદમાં એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક યુવક દ્વારા એક 15 વર્ષની સગીરાનું અપહરણ, બળજબરીથી ધર્મ પરિવર્તન અને જાતીય હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં આરોપીની ઓળખ જાવેદ તરીકે થઈ છે.
શું છે આ કેસ?
ADVERTISEMENT
અહેવાલ મુજબ પીડિતા અને આરોપી પડોશમાં રહેતા હતા અને બન્ને વચ્ચે મિત્રતા પણ હતી. જાવેદે ગુપ્ત રીતે તેના સ્પષ્ટ ફોટા અને વીડિયો રેકોર્ડ કરીને મિત્રતાનો લાભ લીધો હતો, પછી તેને મધ્યપ્રદેશ લઈ જવા માટે બ્લૅકમેલ કર્યો હતો. સગીરાને મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા પછી, તેને છ મહિના સુધી ત્યાં રાખવામાં આવી હતી, જે દરમિયાન તેના પર અવિરત દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જાવેદે છોકરીના નામ અને ફોટાનો ઉપયોગ કરીને નકલી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બનાવીને, તેની સર્વિસ માટે દર રાત્રે રેટ કાર્ડ પોસ્ટ કરીને, તેની ઓનલાઈન હરાજી પણ કરતો હતો.
મળતી માહિતી અનુસાર, જાવેદે સગીરાને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે પણ દબાણ કર્યું હતું અને તેને બીફ ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સગીરાના પિતાનું તાજેતરમાં અવસાન થયું હતું અને તેના આઘાતમાં વધારો થયો હતો. તે કોઈક રીતે મધ્યપ્રદેશના એકલ રૂમમાંથી ભાગી જવામાં સફળ રહી અને મુંબઈ ઘરે પાછી આવી. ત્યારબાદ, પીડિતાએ મહિનાઓ સુધી થયેલા દુર્વ્યવહારની વાત તેના પરિવારના સભ્યોને કહી, જેમણે પછી વાલિવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી. છોકરીએ વાલિવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હોવા છતાં, જાવેદ હજી પણ ફરાર છે. પીડિતાએ કહ્યું છે કે આનાથી તે ગભરાઈ ગઈ છે કારણ કે પોલીસ તેની ધરપકડ કરવામાં નિષ્ફળ ગઈ છે, અને તેને પોતાના જીવનો ભય છે.
પીડિતાનો સીએમ ફડણવીસને પત્ર
ગભરાઈને, પીડિતા હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખી રહી છે, જેમાં આ કેસમાં તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરી રહી છે. પોલીસે કહ્યું કે તેઓ કેસની તપાસ કરી રહ્યા છે અને આરોપીઓને શોધી રહ્યા છે અને આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે મહારાષ્ટ્રમાં લોકો દ્વારા રાજ્ય સરકારને કડક ધર્માંતરણ વિરોધી કાયદો, જેને સામાન્ય રીતે `લવ જેહાદ વિરોધી` કાયદો તરીકે ઓળખવામાં આવે છે, લાગુ કરવા માટે દબાણ કરવાના હેતુથી સતત, સુનિયોજિત ઝુંબેશ ચાલી રહી છે. જેથી હવે આ મામલે પોલીસ અને રાજ્ય સરકાર શું પગલાં લેશે તે જોવાનું રહેશે.


