આ કેરી માત્ર એક અનોખો સ્વાદ લાવવાની સાથે દેશને ફોરેન એક્સ્ચેંજ મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ રહી છે. ગત વર્ષે ૩૦ મેટ્રિક ટન કેસર કેરીની નિકાસ કરવામાં આવી હતી. કેસર એ કેરીની એક જાતિ છે જે મુખ્યત્વે ગુજરાતના ગીર વિસ્તારમાં ઉગાડવામાં આવે છે અને લણવામાં આવે છે. ગીરના વિવિધ તાલુકાઓમાં ખેડૂતો શેરડીની ખેતી છોડીને મુખ્યત્વે કેસર કેરીની ખેતી કરવા લાગ્યા છે. આ પરિવર્તન પાછળનું કારણ છે કેસર કેરીનો ]અસાધારણ સ્વાદ, સુગંધ અને રંગ. કેસર કારીનો વ્યવસાય ખેડૂતોને સારું વળતર પણ આપે છે. તાલાલા કેસર કેરીના વેચાણ અને ખરીદી માટેનું મુખ્ય બજાર છે. તાલાલા વિસ્તારમાં એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC) માર્કેટ છે જ્યાં ખેડૂતો તેમની પેદાશો વચેટિયાઓ દ્વારા વેચે છે. ખેડૂતોને તેમની ઉપજની કિંમત મળે છે અને આ કિંમત ગુણવત્તા પ્રમાણે રૂ.૧૦૦ થી ૧૫૦ પ્રતિ કિલો સુધી બદલાઈ શકે છે.