મંગળવારે ૭ મેએ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં બદાયૂં સહિત ઉત્તર પ્રદેશની ૧૦ લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશની બદાયૂં લોકસભાની બેઠક પર કયો ઉમેદવાર જીતશે એ મુદ્દે બે વકીલો વચ્ચે બે લાખ રૂપિયાની શરત લાગી છે. સત્યેન્દ્ર પાલ નામના વકીલનું માનવું છે કે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આદિત્ય યાદવની જીત થશે, જ્યારે દિવાકર વર્મા નામના વકીલનું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર દિગ્વિજય સિંહ શાક્યનો વિજય થશે.આ મુદ્દે આ બે વકીલોએ એક અૅફિડેવિટ તૈયાર કર્યું છે અને એમાં ચાર સાક્ષીની સહી લેવામાં આવી છે અને આ ઍફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે જે વકીલ આ શરત હારે તેણે બીજા વકીલને બે લાખ રૂપિયા આપવાના. મંગળવારે ૭ મેએ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં બદાયૂં સહિત ઉત્તર પ્રદેશની ૧૦ લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.