Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બોરીવલી 'ઝરૂખો'માં 'મારું સફરનામું, રંગભૂમિ અને સિરિયલનું' વિષય પર ગોષ્ઠિ

03 April, 2024 07:34 IST | Mumbai

બોરીવલી 'ઝરૂખો'માં 'મારું સફરનામું, રંગભૂમિ અને સિરિયલનું' વિષય પર ગોષ્ઠિ

મુંબઈની રંગભૂમિ હોય કે સિરિયલ કે હવે ઉમેરાયેલું OTT, મુંબઈના કલાકાર, લેખક, દિગ્દર્શક પોતાની આગવી છાપ છોડી જતાં હોય છે. મુંબઈ દરેક તેજસ્વી કલાકારને પોતાની સ્પેસ આપે છે. ' મસાલા મામી' , ' એક રૂમ રસોડું ' જેવાં નાટકોના લેખક તથા વાર્તાકાર જયેશ મહેતા તથા ૮૨ જેટલા નાટકો તથા ' સો દહાડા સાસુના ' , ' પ્રીત પિયુ ને પન્નાબેન ' જેવી સિરિયલોના અદાકાર તથા ડબિંગ આર્ટિસ્ટ તરીકે ખાસ્સી ઊંચાઈએ પહોંચનાર વરિષ્ઠ કલાકાર રાજુલ દીવાન આ વખતે 'ઝરૂખો 'માં સંજય પંડ્યા સાથે સંવાદ કરશે. શ્રોતાઓ પણ કેટલાક પ્રશ્નો પૂછી શકશે. ૬ એપ્રિલ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે આ જાહેર કાર્યક્રમનું આયોજન થયું છે અને સરનામું હંમેશ મુજબ એ જ છે .... સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમ. તો પહોંચી જજો આ રસપ્રદ ગોષ્ઠિ સાભળવા 'ઝરૂખો 'માં જ્યાં આ વખતની ગોષ્ઠિનું શિર્ષક છે... મારું સફરનામું, રંગભૂમિનું અને સિરિયલનું!


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK