Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કાવ્યસંપદા શ્રેણીમાં ગૌરાંગ ઠાકર અને હર્ષવી પટેલનું કાવ્યપઠન

26 August, 2025 02:05 IST | Mumbai

કાવ્યસંપદા શ્રેણીમાં ગૌરાંગ ઠાકર અને હર્ષવી પટેલનું કાવ્યપઠન

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ ૨૦૦૮થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત કાવ્યપઠનના કાર્યક્રમો યોજાય છે. આપણું આંગણું બ્લૉગ અને કવિશા હૉલિડેના સહયોગથી આયોજિત આગામી મણકામાં ૩૦ ઑગસ્ટે સાંજે ૬.૩૦ વાગ્યે સુરતના કવિ ગૌરાંગ ઠાકર અને બીલીમોરાના કવયિત્રી હર્ષવી પટેલ કાવ્યપઠન કરશે.

આ પ્રસંગે `તમને ગઝલ તો કહેવી છે' અને `તારી ન હો એ વાતો' ગઝલ સંગ્રહનું વિમોચન કરવામાં આવશે. કાવ્યગાન હિમાંશુ ઠાકરનું અને સંયોજન હિતેન-મુકેશનું છે. સ્થળઃ એસ. પી. જૈન સભાગૃહ, ભવન્સ કૅમ્પસ, અંધેરી (પશ્ચિમ).


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK