Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બાલભારતી ' બાળવાર્તાવંત ' ચૌદ વરસની ચાર કન્યા

23 February, 2024 08:23 IST | Mumbai

બાલભારતી ' બાળવાર્તાવંત '  ચૌદ વરસની ચાર કન્યા

ગુજરાતી ટૂંકી વાર્તાને વરેલા બાલભારતી 'વાર્તાવંત'માં આ વખતે ૨૫મી ફેબ્રુઆરી રવિવારે સાંજે સાત વાગે બાલભારતીમાં ભણતી ચૌદ વરસની ચાર કન્યા બાળવાર્તાનું ભાવવાહી પઠન કરશે. બાળવાર્તાકારો છે ધાર્મિક પરમાર, હેમંત કારિયા, સતીશ વ્યાસ અને સંદીપ ભાટિયા.

પઠનકર્તા વિદ્યાર્થીનીઓ છે ક્રિશા બલદાનીયા, ધૃવી બલદાનીયા, હેતાંશી પરમાર અને જાનવી મકવાણા. બે વાર્તા પછી થતા મધ્યાંતરમાં બાળકોને ફ્રુટી અને નાસ્તો આપવામાં આવશે. સહુ બાળકો અને સાથે માતાપિતાને પણ જાહેર આમંત્રણ છે. કાર્યક્રમનું શિર્ષક ચૌદ વરસની ચાર કન્યા એ જાણીતા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના જાણીતા કાવ્ય ચૌદ વરસની ચારણ કન્યા પરથી લેવામાં આવ્યું છે. વધુ માહિતી માટે હેમંત કારિયાને ૯૮૨૧૧૯૬૯૭૩ પર સંપર્ક કરવો.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK